SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા ૧૦૯ ૦ સુરાદેવની સંપત્તિ – મહત્તા અને ઘન્યાભાર્યા : તે સુરાદેવ ગાથાપતિના કોષમાં છ કોટિ સુવર્ણ હતું, છ કોટિ સુવર્ણ વ્યાપારમાં લાગેલ હતું અને છ કોટિ સુવર્ણ ભવન તથા ગૃહોપકરણમાં પ્રયુક્ત હતું. તેને દશ-દશ હજારની ગાયોનું એક એવા છ ગોકુળ હતા. તે સુરાદેવ ગાથાપતિને ઘણાં જ રાજા–ઈશ્વર આદિ પોતપોતાના કાર્યો માટે પૂછતા હતા, પરામર્શ કરતા હતા અને પોતાના કુટુંબમાં પણ તે આધાર સ્તંભ હતો. - યાવતું – તે સર્વે કાર્યોમાં નિર્દેશક હતો. તે સુરાદેવ ગાથાપતિની ધન્યા નામે ભાર્યા હતી. જે શુભલક્ષણ અને પરિપૂર્ણ પંચેન્દ્રિયયુક્ત શરીરવાળી હતી – યાવત્ – મનુષ્યસંબંધી કામભોગોનો ઉપભોગ કરતી એવી વિચરણ કરી રહી હતી. ૦ ભગવંત મહાવીર પાસે સુરાદેવનું ઘર્મશ્રવણ : તે કાલે, તે સમયે શ્રમણ ભઘવંત મહાવીર – યાવત્ – જ્યાં વાણારસી નગરી હતી, જ્યાં કોષ્ઠક ચૈત્ય હતું, ત્યાં પધાર્યા. પધારીને યથોચિત અવગ્રહની યાચના કરીને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. પર્ષદા નીકળી. કોણિક રાજાની માફક જિતશત્રુ રાજા પણ નીકળ્યો – યાવત્ – પર્યપાસના કરવા લાગ્યો. ત્યારપછી તે સુરાદેવે ગાથાપતિએ આ સંવાદ સાંભળ્યો કે, પૂર્વાનપૂવ ક્રમથી ગમન કરતા, ગ્રામાનુગ્રામ વિચરણ કરતા શ્રમણ ભગવંત મહાવીર અહીં આવ્યા છે, પ્રાપ્ત થયા છે, સમવસર્યા છે અને અહીં વાણારસી નગરીની બહાર કોષ્ટક ચૈત્યમાં યથોચિત અવગ્રહની યાચના કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા એવા બિરાજમાન છે. હે દેવાનુપ્રિયો ! જ્યારે તથારૂપ અરિહંત ભગવંતોનું નામ અને ગોત્રનું શ્રવણ પણ મહાફળદાયક છે તો પછી તેમની સન્મુખ જવું, તેમને વંદન–નમસ્કાર કરવો, તેમને પ્રશ્નો પૂછવા અને પર્યાપાસના કરવાના ફળ વિશે તો કહેવું જ શું ? જ્યારે આર્યધર્મનું એક સુવચન શ્રવણ પણ દુર્લભ છે, તો પછી વિપુલ અર્થ ગ્રહણ કરવા વિશે તો કહેવાનું જ શું હોય ? (ઇત્યાદિ સંપૂર્ણ વર્ણન આનંદશ્રાવક અને કામદેવ શ્રાવકની કથામાં કહેવાયા પ્રમાણે સમજી લેવું) – યાવત્ – જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યો, આવીને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યા, વંદન– નમસ્કાર કર્યા પછી યથાયોગ્ય સ્થાને રહીને શુશ્રષા કરતો એવો, કિંચિત્ મસ્તક નમાવીને, વિનયપૂર્વક અંજલિ કરતો પÚપાસના કરવા લાગ્યો. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે સુરાદેવ ગાથાપતિ અને તે વિશાળ પર્ષદાને – વાવ – ધર્મ કહ્યો. પર્ષદા પાછી ફરી રાજા પણ ગયો. ૦ સુરાદેવની ગૃહી ધર્મ પ્રતિપત્તિ : ત્યારપછી તે સુરાદેવ ગાથાપતિ શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મ સાંભળીને અને હૃદયમાં અવધારીનિ હર્ષિત થયો, સંતુષ્ટ થયો, આનંદિત ચિત્ત થયો, પ્રીતિયુકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy