SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ આગમ કથાનુયોગ-૫ પહેલી ઉપાસક પ્રતિમાની ચુલનીપિતા શ્રમણોપાસકે યથાસૂત્ર, યથાકલ્પ, યથામાર્ગ યથાતત્ત્વ સમ્યક્ પ્રકારે કાયા દ્વારા સ્પર્શના કરી, પાલન કર્યું, શોધિત કરી, તીર્ણ કરી, કીર્તિત કરી અને આરાધના કરી. ત્યારપછી તે ચુલનીપિતા શ્રમણોપાસકે બીજી ઉપાસક પ્રતિમાને આરાધિત કરી, તે જ પ્રકારે ત્રીજી, ચોથી, પાંચમી, છટ્ઠી, સાતમી, આઠમી, નવમી, દશમી અને અગિયારમી ઉપાસક પ્રતિમાને યથાસૂત્ર, યથાકલ્પ, યથામાર્ગ, યથાતત્ત્વ સમ્યક્ પ્રકારે કાયા દ્વારા સ્પર્શતિ કરી, પાલિત કરી, શોધિત કરી, તીર્ણિત કરી, કીર્તિત કરી અને આરાધી. આ તપ કર્મથી તે ચુલનીપિતા શ્રમણોપાસક તે ઉદાર, વિપુલ, પ્રયત્નસાધ્ય, તપોકમને ગ્રહણ કરવાથી શુષ્ક, રુક્ષ, નિમસ, અસ્થિચર્યાવૃત, કડકડાટ કરતી, કૃશ અને જેની નાડીઓ દેખાવા લાગી છે તેવા શરીરવાળો થઈ ગયો. ત્યારપછી કોઈ દિવસે ઘર્મજાગરણાથી જાગરણ કરતા તે ચુલની પિતા શ્રમણોપાસકને આ આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે (ઇત્યાદિ સર્વ વર્ણન આનંદ, કામદેવ આદિ શ્રાવકમાં કર્યા મુજબ જાણવું) મારે અંતિમ મારણાંતિક સંલેખના, ઝૂસણાને અંગીકાર કરીને, ભોજન–પાણીનો ત્યાગ કરીને, જીવનમરણની આકાંક્ષા ન કરતા વિચરું. એ પ્રમાણે વિચાર કરીને – યાવત્ – તે વિચરવા લાગ્યો. ૦ ચુલની પિતાનું સમાધિમરણ અને ગતિ : ત્યારે તે ચુલનીપિતા શ્રમણોપાસક અનેકવિધ શીલ, વ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસથી આત્માને સંસ્કારિત કરી વીસ વર્ષનો શ્રમણોપાસક પર્યાય પાલન કરી, અગિયાર ઉપાસક પ્રતિમાનું આરાધન કરી, માસિક સંખના દ્વારા આત્માને શુદ્ધ કરી, અનશન દ્વારા સાઈઠ ભક્તોનું છેદન કરી, આલોચના, પ્રતિક્રમણ કરીને સમાધિભાવપૂર્વક મરણ સમયે મૃત્યુ પામ્યો. સમાધિમરણ પામીને સૌધર્મકલ્પમાં સૌધર્માવલંસક મહાવિમાનના ઇશાન દિશિ ભાગમાં અરુણપ્રભ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો. ત્યાં તેની સ્થિતિ ચાર પલ્યોપમની થઈ. ત્યાંથી ચ્યવીને મહાવિદેક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે અને સંપૂર્ણ દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :ઉવા. ૩, ૨૯ થી ૩૧; ૦ સુરાદેવ શ્રાવકની કથા - તે કાળે, તે સમયે વાણારસી નામક નગરી હતી. ત્યાં કોક ચૈત્ય હતું. રાજા જિતશત્રુ હતો. એ જ વાણારસી નગરીમાં સુરાદેવ નામનો ગાથાપતિ નિવાસ કરતો હતો. જે ઋદ્ધિમાનું – યાવત્ – અપરાભૂત હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy