________________
આગમ કથાનુયોગ-૫
ચુલનીપિતા શ્રમણોપાસકને આ અને આવા પ્રકારનો અધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, અહો ! આ પુરુષ ઘણો અનાર્ય—અધમ અને અનાર્ય બુદ્ધિવાળો છે, નિકૃષ્ટ પાકર્મોને કરનારો છે–
૧૦૬
જેણે મારા મોટા પુત્રને ઘરમાંથી બહાર કાઢીને મારી સામે જ તેની હત્યા કરીને, તેના માંસના ટુકડા કર્યા, ટુકડા કરીને તેલની ભરેલી કડાઈમાં પકાવ્યો. પકાવીને તેના માંસ અને લોહીને મારા શરીર પર ચાંટયું. ત્યારપછી વચલા પુત્રને પણ ઘરમાથી બહાર લાવીને મારી સામે મારી નાંખ્યો – યાવત્ – તેના માંસ અને લોહીને મારા શરીર પર છાંટ્યું. ત્યારપછી મારા નાના પુત્રને પણ ઘરમાંથી બહાર લાવીને મારી સામે હત્યા કરીને યાવત્ તેના માંસ અને લોહીની મારા શરીર પર છાંટ્યું.
-
હવે તે દેવ અને ગુરુસમાન પૂજનીય, દુષ્કરથી પણ દુષ્કર ક્રિયાઓને કરનારી મારી માતા ભદ્રા સાર્થવાહીને પણ ઘરમાંથી લાવીને મારી સામે હત્યા કરવા ઇચ્છે છે – તેથી એ જ યોગ્ય છે કે, આ પુરુષને પકડી લઉં – આવો વિચાર કરી તે પકડવાને માટે દોડ્યો. પરંતુ તે દેવ આકાશમાં ઉડી ગયો અને ચુલનીપિતાના હાથમાં થાંભલો આવી ગયો અને તે ઉચ્ચ સ્વરમાં કોલાહલ કરવા લાગ્યો.
૦ ભદ્રા માતાને ચુલનીપિતાનો ઉત્તર ઃ
ત્યારે તે ભદ્રા સાર્થવાહી તે કોલાહલ સાંભળીને અને સમજીને જ્યાં ચુલનીપિતા શ્રમણોપાસક હતો, ત્યાં આવી. આવીને ચુલનીપિતા શ્રાવકને કહ્યું, હે પુત્ર ! તેં મોટામોટા શબ્દોથી કોલાહલ કેમ કર્યો ?
ત્યારે ચુલનીપિતા શ્રમણોપાસકે માતા ભદ્રા સાર્થવાહીને આ પ્રમાણે કહ્યું, ખરેખર ! એ પ્રમાણે હે માતા ! હું જાણતો નથી કે તે પુરુષ કોણ હતો કે જેણે અત્યંત ક્રુદ્ધ, રુષ્ટ, કુપિત, વિકરાલ થઈને દાંતોને કચકચાવી, એક મોટી નીલકમલ, ભેંસના શીંગડા અને અલચીના ફૂલ જેવી નીલી પ્રભાવાળી તીક્ષ્ણ તલવાર લઈને મને કહ્યું
-
અરે ઓ ચુલનીપિતા શ્રમણોપાસક ! – યાવત્ – જો તું – યાવત્ – જીવનથી રહિત થઈ જઈશ.તે પુરુષ દ્વારા આમ કહેવાયા છતાં પણ હું નિર્ભય – યાવત્ – સ્થિર રહ્યો.
ત્યારપછી તે પુરુષે મને નિર્ભય યાવત્ – સ્થિર જોયો, જોઈને બીજી અને ત્રીજી વખત પણ મને કહ્યું, આ ચુલનીપિતા શ્રમણોપાસક ! – યાવત્ – જીવિતથી રહિત થઈ જઈશ.
ત્યારપછી હું તે પુરુષ દ્વારા બીજી અને ત્રીજી વખત પણ આ પ્રમાણે કહ્યું છતાં પણ હું નિર્ભય - યાવત્ – સ્થિર રહ્યો.
ત્યારપછી તે પુરુષે મને અભીતયાવત્ – સ્થિર જોયો. જોઈને અત્યંત ક્રુદ્ધ, રુષ્ટ,કુપિત અને વિકરાળ થઈને દાંતોને કચકચાવતા મારા મોટા પુત્રને ઘરમાંથી લાવ્યો, લાવીને મારી સામે તેની હત્યા કરી, હત્યા કરીને તેના માંસના ટુકડે ટુકડા કર્યા, ટુકડા કરીને તેલ ભરેલી કડાઈમાં તળ્યો. તળીને મારા શરીર પર માંસ અને લોહીને છાંટ્યાં. થાવત્ વેદનાને સમભાવપૂર્વક સહન કરી, ખમી,
ત્યારે મેં તે અત્યંત તીવ્ર
Jain Education International
--
-
For Private & Personal Use Only
www.jainelibrary.org