________________
શ્રાવક કથા
૧૦૫
જોયો. જોઈને ચુલનીપિતા શ્રમણોપાસકને આ પ્રમાણેકહ્યું, ઓ ચુલનીપિતા શ્રમણોપાસક ! – યાવત – જો તું આજે શીલ, વ્રત – યાવત્ – ભંગ નહીં કરે તો હું હમણાં જ તારા નાનાપુત્રને ઘરમાંથી ઉઠાવી લાવીશ, લાવીને તારી સામે તેનો ઘાત કરીશ, કરીને તેના માંસના ટુકડે ટુકડા કરીશ – યાવત્ – તું આર્તધ્યાનથી પીડિત થઈને અકાળે જ જીવિતથી રહિત થઈ જઈશ.
ત્યારે તે ચુલનીપિતા શ્રમણોપાસક તે દેવના કથનને સાંભળીને અભીત – યાવત્ – સ્થિર રહ્યો.
ત્યારપછી તે દેવે ચુલનીપિતા શ્રમણોપાસકને નિર્ભય – યાવત – સ્થિર જોયો. જોઈને બીજી અને ત્રીજી વખત પણ ચુલનીપિતા શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, અરે ઓ ચુલની પિતા શ્રમણોપાસક ! જો તું આજે શીલ, વ્રત – પાવત્ ભંગ નહીં કરીશ તો હું હમણાં જ તારા નાના પુત્રને ઘરમાંથી ઉઠાવી લાવીશ, લાવીને તારી સામે તેનો ઘાત કરીશ, કરીને તેના માંસના ટુકડે-કુકડા કરીશ – યાવતું – તું આર્તધ્યાનને વશ થઈને દુઃખથી પીડિત થઈને આકાળે જ જીવિતથી રહિત થઈ જઈશ.
તે દેવે બીજી વખત, ત્રીજી વખત પણ આ પ્રમાણે કહેવા છતા ચુલનીપિતા શ્રમણોપાસક નિર્ભય – યાવત્ – સ્થિર રહ્યો.
ત્યારપછી તે દેવે ચુલનીપિતા શ્રમણોપાસકને નિર્ભય-ચાવતુ - સ્થિર જોયો. જોઈને અત્યંત ક્રુદ્ધ, રુટ, કુપિત થઈને – યાવતુ – નાના પુત્રને ઘરમાંથી બહાર ખેંચી લાવ્યો. લાવીને ચુલનીપિતાની સામે જ તેનો ઘાતકર્યો. ઘાત કરીને માંસના ટુકડે ટુકડા કર્યા. ટુકડા કરીને તેલની ભરેલ કડાઈમાં તળ્યો. તળીને ચુલની પિતા શ્રમણોપાસકના શરીર પર માંસ અને રક્તને સીંચ્યું.
ત્યારે પણ તે ચુલનીપિતા શ્રમણોપાસકે તે તીવ્ર – યાવત -- દૂસ્સહ વેદનાને સમ્યક્ પ્રકારે સહન કરી, ખમી, તિતિક્ષાપૂર્વક અધ્યાસિત કરી. ૦ ચુલની પિતાની માતાની હત્યાનો ઉપસર્ગ અને ધ્યાનની ચિલતતા :
- ત્યારપછી તે દેવે ચુલની પિતા શ્રમણોપાસકને નિર્ભય – યાવત્ સ્થિર જોઈને ચોથી વખત તેણે ચુલની પિતા શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું
અરે ઓ ! ચુલનીપિતા શ્રમણોપાસક ! જો તું – યાવત્ – પૌષધોપવાસને ખંડિત નહીં કરે તો હું હમણાં જ તારા માટે દેવરૂપ અને ગુરુ સદશ પૂજનીય, તારા લાલનપાલન આદિરૂપ દુષ્કર કાર્ય કરનારી માતા ભદ્રા સાર્થવાહીને ઘરમાંથી લાવીશ, લાવીને તમારી સામે મારીશ, મારીને તેના માંસના ટુકડા કરીશ,કરીને તેલની ભરેલી કડાઈમાં પકાવીશ, પકાવીને તારા શરીર પર માંસ ને લોહી છાંટીશ, જેનાથી તે આર્તધ્યાનને વશ થઈને દુસ્સહ વંદનાથી પીડિત થઈને કસમયે જ જીવિનતથી રહિત થઈ જઈશ.
ત્યારપછી તે દેવે ચુલનીપિતા શ્રમણોપાસકને પૂર્વવત્ નિર્ભય – યાવત્ – સ્થિર જોયો. જોઈને ફરીથી બીજી અને ત્રીજીવાર પણ ચૂલનીપિતા શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, અરે ઓ ! ચુલનીપિતા શ્રમણોપાસક ! – યાવત્ – જીવનથી રહિત થઈ જઈશ.
ત્યારપછી તે દેવ દ્વારા બીજી અને ત્રીજી વખત આ પ્રમાણે કહેવાયું. ત્યારે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org