________________
૧૦૪
આગમ કથાનુયોગ-૫
દુઃખથી પીડિત થઈને અકાળે જ જીવનથી દૂર થઈ જઈશ. (મૃત્યુ પામીશ.)
ત્યારે તે દેવ દ્વારા આ પ્રમાણે કહેવાયા છતાં પણતે શ્રમણોપાસક ચુલની પિતા નિર્ભય – યાવત્ – ધર્મધ્યાનમાં રત રહ્યો. તે દેવે ચુલનીપિતા શ્રમણોપાસક – યાવત્ – સ્થિર જોયો. જોઈને બીજી અને ત્રીજી વખત પણ ચુલનીપિતા શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, ઓ ચુલનીપિતા શ્રમણઓપાસક ! જો તું હમણાં જ શીલ – યાવત્ – પૌષધોપવાસને નહીં છોડે તો જીવિતથી રહિત થઈ જઈશ.
ત્યારે પણ તે ચુલનીપિતા શ્રમણોપાસક તે દેવ દ્વારા બીજી અને ત્રીજીવાર પણ કહેવાયેલા શબ્દોને સાંભળીને નિર્ભય – યાવતુ – સ્થિર રહ્યો.
ત્યારે તે દેવે ચુલનીપિતા શ્રમણોપાસકને નિર્ભય – યાવત્ – સ્થિર જોયો. જોઈને અત્યંત ફ્રદ્ધ, પુષ્ટ, કુપિત, વિકરાળ થઈને દાંતોને કચકચાવતો ચુલની પિતાના મોટા પુત્રને ઘેરથી બહાર કાઢ્યો, કાઢીને તેની સામે માર્યો મારીને માંસના ટુકડેટુકડા કર્યા ટુકડા કરીને તેલથી ભરી કડાઈમાં પકાવ્યો. પકાવીને ચુલની પિતા શ્રમણોપાસકના શરીરનો માંસ અને લોહીતી સીંચ્યું.
તે શ્રમણોપાસક ચુલની પિતાએ તે તીવ્ર, વિપુલ, કર્કશ, પ્રગાઢ, પ્રચંડ, કુસ્સહ વેદનાને સહન કરી, ખમી, તિતિક્ષાપૂર્વક અધ્યાસિત કરી.
ત્યારપછી તે દેવે ચુલનીપિતા શ્રમણોપાસકને નિર્ભય – યાવતું – સ્થિર જોયો, જોઈને ચુલની પિતા શ્રમણોપાસકને એ પ્રમાણે કહ્યું, અરે ઓ ચુલની પિતા શ્રમણોપાસક ! હજી પણ જો તું શીલ, વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસને છોડીશ નહીં ખંડિત નહીં કરે તો હું હમણાં જ તારા વચલા પુત્રને ઘેરથી બહાર લાવીશ, લાવીને તારી સામે માડી, મારીને – યાવત્ – તું પણ જીવંતરહિત થઈ જઈશ.
તે દેવના આ કથનને સાંભળીને પણ ચુલની પિતા શ્રમણોપાસક નિર્ભય – યાવત્ - સ્થિર રહ્યો.
ત્યારપછી તે દેવે ચુલની પિતા શ્રમણોપાસકને નિર્ભય – યાવત્ – ધર્મધ્યાને રત જોયો, જોઈને બીજી અને ત્રીજી વખત પણ ચુલનીપિતા શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, અરે ઓ ચુલની પિતા શ્રમણોપાસક ! – યાવત્ – (પૂર્વે જણાવ્યા પ્રમાણે) તું જીવિતથી રહિત થઈ જશે.
તે દેવ દ્વારા બીજી અને ત્રીજી વખત પણ આ પ્રમાણે કહેવા છતાં પણ તે ચુલનીપિતા શ્રમણોપાસક નિર્ભય – યાવત્ – સ્થિર રહ્યો. ત્યારપછી તે દેવે ચુલની પિતા શ્રમણોપાસકને અભીત – યાવત્ – ધર્મધ્યાનમાં મગ્ન જોયો. જોઈને અત્યંત ક્રુદ્ધ, રુખ, કુપિત, વિકરાલ થઈને દાંતોને કચકછાવતો યુલની પિતા શ્રમણોપાસકના વચલા પુત્રને ઘેરથી લાવ્યો, લાવીને તેની સામે માર્યો. મારીને તેના માંસના ટુકડા કર્યા – યાવત્ – ચુલની પિતા શ્રમણોપાસકના શરીર પર માંસ ને લોહીથી સીંચ્યો.
તે ચુલની પિતા શ્રમણોપાસકે તે તીવ્ર –ચાવત્ – વેદનાને સમ્યક્ પ્રકારે સહન કરી, ખમી, તિતિક્ષાપૂર્વક અધ્યાસિત કરી.
ત્યારે તે દેવે ચુલની પિતા શ્રમણોપાસકને અભીત – યાવત્ – ધર્મધ્યાનમાં મગ્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org