________________
શ્રાવક કથા
૧૦૩
સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારના શ્રાવકધર્મનો સ્વીકાર કરવાને ઇચ્છું છું.
હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, પણ વિલંબ ન કરો. ત્યારપછી તે ચુલની પિતા ગાથાપતિએ શ્રમણ ભગવંત મહાવીર પાસે શ્રાવકધર્મ અંગીકાર કર્યો.
ત્યારપછી કોઈ દિવસે શ્રમણ ભગવંત મહાવીર વારાણસી નગરી અને કોષ્ઠક ચૈત્યથી નીકળ્યા. નીકળીને બહારના જનપદમાં વિચરવા લાગ્યા. ૦ ચુલની પિતા અને શ્યામાની શ્રાવકચર્યા :
ત્યારપછી તે ચુલની પિતા જીવ–અજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા શ્રમણોપાસક થઈ ગયો – યાવત્ – શ્રમણ નિગ્રંથોને પ્રાસુક, એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોંછન, ઔષધિ, ભૈષજ અને પ્રાતિહારિક પીઠ, ફલક, શય્યા, આસન આદિથી પ્રતિલાભિત કરતા વિચારવા લાગ્યા.
ત્યારપછી તે શ્યામા ભાર્યા જીવાજીવ તત્ત્વોની જ્ઞાતા શ્રમણોપાસિકા થઈ ગઈ – યાવતું – શ્રમણ નિગ્રંથોને પ્રાશુક એષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર આદિ – કંબલ, પાદપ્રીંછન, ઔષધિ, ભૈષજ અને પ્રાતિહારિક એવા પીઠ, ફલક, શય્યા, સંસ્મારકથી પ્રતિલાભિત કરતા વિચારવા લાગી. ૦ ચુલની પિતાની ધર્મ જાગરણા અને ગૃહી વ્યાપાર ત્યાગ :
ત્યારપછી અનેક પ્રકારના શીલવતો, ગુણવતો, વિરમણો, પ્રત્યાખ્યાનો અને પૌષધોપવાસોની અનુપાલના દ્વારા આત્માને ભાવિત કરતા ચુલનીપિતાને ચૌદ વર્ષ વ્યતીત થયા અને પંદરમું વર્ષ ચાલી રહ્યું છે. ત્યારે કોઈ સમયે મધ્ય રાત્રિમાં જાગરણ કરતા– કરતા આ પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે વાણારસી નગરીમાં અનેક લોકો પોતપોતાના કાર્યોને માટે મને પૂછે છે, પરામર્શ કહે છે - યાવત્ – સ્વયં પોતાના કુટુંબ પરિવારનો આધારસ્તંભ – યાવત્ – સર્વે કાર્યોનું નિર્દેશક છું (ઇત્યાદિ સર્વે વર્ણન આ પૂર્વે આનંદ શ્રાવક અને કામદેવ શ્રાવકમાં આવી ગયેલ છે. તે પ્રમાણે જાણી લેવું) – યથાવત્ – તે યુલની પિતા શ્રમણોપાસક દર્ભના સંથાર પર સ્થિત થઈને શ્રમણ ભગવંતુ મહાવીરની પાસે ગ્રહણ કરેલી ધર્મપ્રજ્ઞપ્તિને સ્વીકાર કરીને વિચારવા લાગ્યો. ૦ ચુલની પિતાને દેવકૃત ઉપસર્ગ :
ત્યારપછી મધ્યરાત્રિના સમયે તે ચુલનીપિતા શ્રમણોપાસકની સમક્ષ એક દેવ પ્રગટ થયો. ત્યારપછી તે દેવે એક મોટી, નીલકમલ – ભેંસના શીંગડા અને અલસીના ફૂલ જેવી નીલી પ્રભાવાળી તીક્ષ્ણ તલવાર હાથમાં લઈને ચુલનીપિતા શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું
અરે આ ચુલનીપિતા શ્રમણોપાસક ! અરે ઓ અપ્રાર્થિતની પ્રાર્થના કરનારા ! – થાવત્ – જોતું તારા આ શીલ,વ્રત ઇત્યાદિનો ભંગ નહીં કરે તો હું હમણાં જ તારા મોટાપુત્રને ઘેરથી બહાર કાઢી લાવીશ, લાવીને તારી સામે જ તેને મારીશ, મારીને તેના માંસના ટુકડે ટુકડા કરીશ, ટુકડા કરીને તેલની ભરેલી કડાઈમાં તળીશ, પકાવીશ, પકાવીને તેનું માંસ અને લોહીથી તારા શરીરને સીંચીશ. જેનાથી તે આર્તધ્યાનને વશ થઈને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org