________________
૧૦૨
આગમ કથાનુયોગ-૫
અવગ્રહ યાચીને સંયમ તથા તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરણ કરી રહ્યા છે.
હે દેવાનુપ્રિયો ! જ્યારે તથારૂપ અરિહંત ભગવંતોના નામ અને ગોત્રનું શ્રવણ માત્ર પણ મહાફળદાયક છે, તો પછી તે આયુષ્યમનું ! તેમની સન્મુખ જવું, તેમને વંદન નમસ્કાર કરવા, તેમને પ્રશ્નો પૂછવા અને તેમની પર્યુપાસના કરવાના સુફલ વિશે તો કહેવાનું જ શું હોય ? ધર્માચાર્યનું એક સુવચન સાંભળવું જ કલ્યાણપ્રદ છે, તો તેમની પાસેથી વિપુલ અર્થનું ગ્રહણ કરવાના ફળને માટે તો કહેવાનું જ શું હોય ?
તેથી હું જાઉં અને તે દેવાનુપ્રિય શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કરું, તેમનું સત્કાર-સન્માન કર્યું અને તે કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ, ચૈત્યરૂપ ભગવંતની પર્યાપાસના કરું. આ પ્રમાણે તેણે વિચાર કર્યો, વિચાર કરીને સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કર્યા, શુદ્ધ, પ્રાવેશ્ય, માંગલિક ઉત્તમ વસ્ત્રો પહેર્યા, અલ્પ પણ બહુમૂલ્ય એવા આભુષણો વડે શરીરને અલંકૃત્ કરીને પોતાના ઘેરથી નીકળ્યો.
ત્યારપછી ચુલનીપિતા જ્યાં કોષ્ઠક ચૈત્ય હતું, તેમાં જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યો, આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને યથાયોગ્ય સ્થાને રહીને શઋષા કરતો, કિંચિંતુ મસ્તક નમાવીને, પોતાના બંને હાથ જોડીને વિનયપૂર્વક પર્યાપાસના કરવા લાગ્યો.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે ચુલનીપિતા ગાથાપતિ અને તે વિશાળ પર્ષદાને - યાવત્ – ધર્મકથા કહી. પર્ષદા પાછી ફરી. રાજા જિતશત્રુ પણ પાછો ફર્યો. ૦ ચુલની પિતા દ્વારા શ્રાવકધર્મ સ્વીકાર :
ત્યારપછી ચૂલનીપિતા ગાથાપતિ શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મકથા શ્રવણ કરીને અને હૃદયમાં અવધારીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, પ્રીતિમના, પરમ સૌમનસ અને હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળો થઈને પોતાના આસનેથી ઊભો થયો. ઊભો થઈને શ્રમણ ભગવંત મહાવીરની ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદનનમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું –
હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું. હે ભગવન્! હું તેની પ્રતીતિ કરું છું. હે ભગવન્! મને નિગ્રંથ પ્રવચન પરત્વે રુચિ છે. હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચન માટે અમ્યુત્થિત થયો છું. હે ભગવન્! તે એ પ્રમાણે જ છે, હે ભગવન્! તે તથ્યરૂપ છે, હે ભગવન્! તે યથાર્થ છે. હે ભગવન્! તે અસંદિગ્ધ છે. હે ભગવન્! તે અભિલષણીય છે, હે ભગવન્! તે અભીપ્સનીય છે. હે ભગવન્! તે અભિલષણીય અને અભીસનીય છે કે એ પ્રમાણે જ છે, જે પ્રમાણે આપે કહેલ છે.
જે રીતે અનેક રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિ આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને, ગૃહત્યાગ કરીને આનગારિક પ્રવજ્યાથી પ્રવ્રુજિત થયા છે, તે પ્રમાણે તો હું મુંડિત થઈને ગૃહત્યાગ કરીને આનગારિક દીક્ષા અંગીકાર કરવામાં સમર્થ નથી. પરંતુ આપ દેવાનુપ્રિયની પાસે પાંચ અણુવ્રત અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org