SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા ૧૦૧ પ્રતિક્રમણ કરીને મરણનો સમય આવ્યો ત્યારે સમાધિપૂર્વક મરણ પામ્યો. સમાધિમરણ પામ્યા બાદ તે સૌધર્માવલંસક મહા વિમાનના ઇશાન દિશાભાગમાં સ્થિત અરુણાભવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયો – યાવત્ – ત્યાં કામદેવ દેવની ચાર પલ્યોપમની સ્થિતિ થઈ. ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને પૂછયું, હે ભગવન્! આયુલય, ભવક્ષય, સ્થિતિશય થયા પછી તે કામદેવ શ્રાવક તે દેવલોકથી ઐવિત થઈને કયાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ! તે કામદેવ દેવ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે અને સંપૂર્ણ દુઃખોનો અંત કરશે. ૦ આગમ સંદર્ભ :ઉવા ૩, ૨૦, ૨૮; આવ.યૂ.૧–પૃ. ૪૫ર થી ૪૫૪; આવનિ ૮૪૪ની વૃ – ૮ – ૮ – ૦ યુલની પિતા શ્રાવકની કથા – તે કાળે તે સમયે વાણારસી નામની નગરી હતી, કોષ્ઠક નામે ચૈત્ય હતું. ત્યાં જિતશત્રુ નામે રાજા હતો. તે વાણારસી નગરીમાં ચુલનીપિતા નામે ગાથાપતિ નિવાસ કરતો હતો. જે ધનાઢ્ય હતો – યાવત્ – કોઈથી પરાભવ પ્રાપ્ત ન કરે તેવો હતો. ૦ ચુલની પિતાની સંપત્તિ મહત્તા : - તે ચુલનીપિતા ગાથાપતિના કોષમાં આઠ કોટિ સુવર્ણ હતું. આઠ કોટિ સુવર્ણ વ્યાપારમાં રોકેલું હતું, આઠ કોટિ સુવર્ણ ઉપકરણ આદિમાં લાગેલું હતું. તેની પાસે દશદશ હજાર ગાયોનું એક એવા આઠ ગોકુળ હતા. : તે ચુલનીપિતા ગાથાપતિને ઘણાં રાજા વગેરે – યાવત્ – પોતપોતાના કાર્યોને માટે પૂછતા હતા, પરામર્શ કરતા હતા અને પોતાના કુટુંબ–પરિવારનો પણ તે આધાર સ્તંભ હતો – યાવત્ – સર્વ કાર્યોનો નિર્દેશક હતો. - તે ચુલનીપિતાની પત્નીનું નામ શ્યામા હતું. જે શુભ લક્ષણોવાળી, પરિપૂર્ણ પંચેન્દ્રિય શરીરવાળી હતી – યાવત્ – મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવતી એવી સમય વ્યતીત કરતી હતી. ૦ ભગવંત મહાવીર પાસે ચુલની પિતા દ્વારા ઘર્મશ્રવણ : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ – જ્યાં વાણારસી નગરી હતી, જ્યાં કોષ્ટક ચૈત્ય હતું. ત્યાં પધાર્યા. પધારીને યથાપ્રતિરૂપે અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. પર્ષદા નીકળી, કોણિક રાજાની માફક જિતશત્રુરાજા પણ નીકળ્યો – યાવતુ – પર્યાપાસના કરવા લાગ્યો. ત્યારપછી તે ચુલનીપિતા ગાથાપતિએ આ મુજબ સમાચાર સાંભળ્યા કે, પૂર્વાનુપૂર્વીક્રમથી ચાલતા, ગ્રામાનુગ્રામ વિહાર કરતા શ્રમણ ભગવંત મહાવીર અહીં પધાર્યા છે, પ્રાપ્ત થયા છે, સમવસર્યા છે અને વારાણસી નગરીની બહાર કોષ્ટક ચૈત્યમાં યથોચિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy