SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા અધ્યાસિત કરી – ચાવતુ – એ જ પ્રમાણે (જેનું વર્ણન દેવકૃત ઉપસર્ગમાં આવી જ ગયેલ છે તેવા સર્પનું રૂપ તે દેવે વિકુવ્યું) સર્પ રૂપે આવેલ તે દેવે અત્યંત કુદ્ધ, રુખ, કુપિત, વિકરાળ થઈને દાંતોને કચકચાવતા સર-સર કરતા તારા શરીર પર ચઢીને પોતાના પાછલા ભાગને તારી ગર્દન પર લપેટ્યો. લપેટીને પોતાના તીણ અને વિષયુક્ત દાંતોથી વક્ષસ્થળ પર ડિંસ દીધા. ત્યારે પણ તે તીવ્ર – યાવત્ – વેદનાને સહન કરી, ખમી અને તિતિક્ષાપૂર્વક અધ્યાસિત કરી. ત્યારપછી તે સર્પરૂપધારી દેવે તને પહેલાની જેમ જ નિર્ભય – યાવત્ – સ્થિર જોઈને અને તને નિગ્રંથ પ્રવચનથી વિચલિત, સુભિત અને વિપરિત પરિણામ વાળો ન કરી શકવાથી શ્રાંત, કલોત અને નિરાશ થઈને – યાવત્ – (જે વર્ણન પૂર્વે આવી ગયું છે તે પ્રમાણે) શ્રેષ્ઠ દિવ્ય દેવરૂપ બનાવ્યું. બનાવીને પૌષધશાળામાં પ્રવિષ્ટ થયો, પ્રવેશ કરીને – યાવતું - (વર્ણન પૂર્વવતુ જાણવું) તને આ પ્રમાણે કહ્યું હે કામદેવ શ્રમણોપાસક ! હે દેવાનુપ્રિય ! તમે ધન્ય છો, હે દેવાનુપ્રિય ! તમે પુણ્યશાળી છો, હે દેવાનુપ્રિય ! તમે કૃતકૃત્ય છો, હે દેવાનુપ્રિય! તમે મનુષ્ય જન્મનું અને જીવનનું સુફળ પ્રાપ્ત કરેલ છે કે, જેનાથી તમને નિગ્રંથપ્રવચનમાં આવા પ્રકારની પ્રતિપત્તિ, સુલબ્ધ, સુપ્રાસ અને અભિસમન્વાગત થયેલી છે – યાવત્ – (શક્રએ કરેલ પ્રશંસા આદિ, શક્રનું વર્ણન ઇત્યાદિ આ કથામાં જ પૂર્વે વર્ણવાયેલ છે, તે જાણી લેવું) તેણે તારી વારંવાર ક્ષમાયાચના કરી, ક્ષમાયાચના કર્યા પછી જે દિશામાંથી આવ્યો હતો, તે જ દિશામાં પાછો ચાલ્યો ગયો. તો હે કામદેવ ! આ કથન સત્ય છે ? – (તેમ ભગવંતે પૂછ્યું) કામદેવે કહ્યું, હાં, ભગવન્! તે એમ જ છે. ૦ ભગવંતે આપેલ ઉપદેશ અને કામદેવનું ગમન : હે આર્યો ! આ પ્રમાણે સંબોધિત કરીને શ્રમણ ભગવંત મહાવીરે તે ઘણાં જ નિગ્રંથ શ્રમણો અને શ્રમણીઓને આ પ્રમાણે કહ્યું– હે આર્યો ! જો શ્રમણોપાસક ગૃહસ્થ પણ ગૃહસ્થાવસ્થામાં રહેવા છતાં દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી ઉપસર્ગોને સમભાવપૂર્વક સહન કરે છે, ખમે છે અને તિતિક્ષા સહિત અધ્યાસિત કહે છે. તો હે આર્યો ! દ્વાદશાંગ ગણિપિટકનું અધ્યયન કરનારા શ્રમણ નિગ્રંથોએ પણ દેવકૃતું, મનુષ્યકૃતુ, તિર્યચકૃત્ ઉપસર્ગોને સમ્યક્ પ્રકારે સહન કરવા, ખમવા અને તિતિક્ષાભાવથી અધ્યાસિત કરવા જોઈએ. તે અનેક શ્રમણ નિગ્રંથો અને નિગ્રંથીઓએ “તહત્તિ” – એ પ્રમાણે છે એમ કહીને શ્રમણ ભગવંત મહાવીરના કથનનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો. ત્યારપછી તે કામદેવ શ્રમણોપાસકે હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, પ્રીતિ યુક્ત મનવાળા થઈને, પરમ સૌમનસ્ક અને હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળા થઈને શ્રમણ ભગવંત મહાવીરને પ્રશ્નો પૂછયા, અર્થને ગ્રહણ કર્યા, પછી શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા કરીને વંદન–નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને જે દિશામાંથી આવ્યો હતો, તે જ દિશા તરફ પાછો ચાલ્યો ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy