________________
૩૬૮
આગમ કથાનુયોગ-૩
તે દિવસ યાદ કરો કે, પેલી આર્યા તમને વંદન કરવાની ઇચ્છાવાળી હતી ત્યારે વંદન કરતા-કરતા મસ્તકથી પગનો સ્પર્શ કર્યો હતો.
તે સમયે આ લોકના અપયશથી ભય પામેલા અતિ અભિમાન પામેલા તે સાવદ્યાચાર્ય નામ ઠોકી બેસાડ્યું તેમ અત્યારે પણ કંઈક એવું નામ પાડશે તો સર્વ લોકમાં હું અપૂજ્ય થઈશ. તો હવે અહીં મારે શું સમાધાન આપવું? એમ વિચારતા સાવદ્યાચાર્યને તીર્થકરવચન યાદ આવ્યું કે, જે કોઈ આચાર્ય કે ગચ્છનાયક અથવા ગચ્છાધિપતિ શ્રત ધારણ કરનાર હોય તેણે જે કંઈ પણ સર્વજ્ઞ અનંતજ્ઞાની ભગવંતોએ પાપ અને અપવાદ સ્થાનકોને પ્રતિષેધેલા હોય તે સર્વ શ્રુતાનુસારે જાણીને સર્વ પ્રકારે ન આચરે તેમજ આચરનારને સારો ન માને – તેની અનુમોદના ન કરે.
- ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, ભયથી, હાસ્યથી, ગારવથી, દર્પથી, પ્રમાદથી વારંવાર ચૂકી જવાથી કે સ્કૂલના થવાથી દિવસે કે રાત્રે એકલો હોય કે પર્ષદામાં રહેલો હોય, સુતેલો કે જાગતો હોય. ત્રિવિધ–ત્રિવિધ મન-વચન કે કાયાથી આ સૂત્ર કે અર્થના એક પણ પદના જે કોઈ વિરાધક થાય. તે ભિક્ષુ વારંવાર નિંદનીય, ગણીય, ખીંસા કરવા યોગ્ય, ગંછા કરવા યોગ્ય, સર્વલોકથી પરાભવ પામનારો, અનેક વ્યાધિવેદનાથી વ્યાપ્ત શરીરવાળો, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અનંત સંસાર સાગરમાં પરિભ્રમણ કરનારા થાય છે. તેમાં પરિભ્રમણ કરતા એક ક્ષણ પણ કયાય કદાચિત્ પણ શાંતિ મેળવી શકતો નથી–
– તો પ્રમાદાધીન થયેલા પાપી અધમાધમ હીનસત્ત્વવાળા કાયર પુરુષ સરખા મને અહીં જ આ મોટી આપત્તિ ઊભી થઈ છે કે જેથી હું અહીં યુક્તીવાળું કોઈ સમાધાન આપવા સમર્થ થઈ શકતો નથી. તથા પરલોકમાં પણ અનંતભવ–પરંપરામાં ભ્રમણ કરતો અનંતીવારના ઘોર ભયંકર દુઃખ ભોગવનારો થઈશ. ખરેખર હું મંદભાગ્યવાળો થયો છું. આ પ્રમાણે વિચારતા એવા સાવદ્યાચાર્યે દુરાચારી પાપકર્મ કરનારા દુષ્ટ શ્રોતાઓએ બરાબર જાણી લીધા કે આ ખોટો અતિ અભિમાન કરનારો છે. તત્પર પછી ક્ષોભ પામેલા મનવાળા અતિ અભિમાની થયેલા તેને જાણીને તે દુખ શ્રોતાઓએ કહ્યું કે, જ્યાં સુધી આ સંશયને છેદશો નહીં, ત્યાં સુધી વ્યાખ્યાન ઉઠાડશો નહીં, માટે આનું સમાધાન દુરાગ્રહ દૂર કરવા સમર્થ પ્રૌઢયુક્તિ સહિત આપો.
ત્યારે તેમણે વિચાર્યું કે, હવે તેનું સમાધાન મેળવ્યા સિવાય તેઓ અહીંથી નહીં જાય, તો હવે હું તેનું સમાધાન કેવી રીતે આપું ? એમ વિચારતા ફરી પણ હે ગૌતમ ! તે દૂરાચારીઓએ તેમને કહ્યું કે, તમે આમ ચિંતા સાગરમાં કેમ ડૂબી ગયા? જલ્દી આ વિષયનું કંઈક સમાધાન આપો. વળી એવું સચોટ સમાધાન આપો કે જેથી કરીને કહેલી આસ્તિકતામાં તમારી યુક્તિ વાંધા વગરની – અવ્યક્તિચારી હોય ત્યારપછી લાંબા સમય સુધી હૃદયમાં પરિતાપ અનુભવીને સાવદ્યાચાર્યે મનથી ચિંતવ્યું કે અને કહ્યું કે આજ કારણે જગદ્ગુરુએ કહેલું છે કે૦ સાવદ્યાચાર્યમાં મિથ્યાભાવ પ્રવેશ :
કાચા ઘડામાં નાખેલું જળ જેવી રીતે જળ અને તે ઘડાનો વિનાશ કરે છે. તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org