SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ કથાઓ ૩૦૭ - - વશ થઈ જશે. તે પ્રમાણે ગાતાં ગાતાં હાથીને પકડીને બંધન સ્થાને લાવ્યા. ત્યારે પ્રદ્યોત રાજાએ અભયને બીજું વરદાન આપ્યું. કોઈ સમયે ઉજ્જૈનીમાં રાક્ષસી અગ્નિ ઉત્પન્ન થયો, આ ભયંકર નગરદાહ અગ્નિનું નિવારણ પૂછયું ત્યારે અભયે રાજાને કહ્યું, તમે આવો જુદી જાતનો અગ્નિ પ્રગટાવો તેનાથી અગ્નિ શાંત થઈ જશે. એ રીતે અગ્નિ ઓલવાઈ જતાં અભયને ત્રીજું વરદાન આપ્યું. કોઈ વખતે ઉજૈનીમાં ભયંકર અશીવ ઉત્પન્ન થયો. અભયે કહ્યું, આપની શિલવતી પદ્મિની એવી શીવારાણી વસ્ત્રરહિતપણે રાત્રે ગવાક્ષમાં ઊભા રહે, એક આઢક પ્રમાણ બલિગ્રહણ કરે. રાત્રે જ્યારે કોઈ ભૂત તે ગવાક્ષ સન્મુખ ઊભું થાય ત્યારે તેના મુખમાં આ બલિ ફેકે. આ રીતે અશિવ શાંત થઈ જતા તેને ચોથું વરદાન આપ્યું. અભયકુમારે કોઈ વખતે ચારે વરદાનોની થાપણ એક સાથે માંગતા કહ્યું કે, હું રાજ! આપ અનલગિરિ હાથી પર મહાવત થઈને બેસો, અગ્નિભીર રથમાં લાકડાં ભરીને શિવાદેવી માતાના ખોળામાં હું બેસું અને અગ્નિ પ્રવેશ કરીએ. આવી મારી છેલ્લી ઇચ્છા છે, તો હવે તમે મને આપેલા વરદાન પુરા કરો. ત્યારે પ્રદ્યોત વિચાર્યું કે હવે અભય પોતાના સ્થાને જવા ઉત્કંઠિત થયો છે. એટલે મોટા સત્કાર કરવા પૂર્વક અભયને વિસર્જિત કર્યો. ત્યારે અભયકુમારે કહ્યું કે તમે મને ધર્મના બહાને કપટથી અહીં લાવ્યા છો. પણ જો હું દિવસના સૂર્યની સાક્ષીએ બૂમ બરાડા પાડતા તમને નગરના લોકો સમક્ષ બાંધીને, હું “અભય” એવા મારા નામને જાહેર કરતો હરીને ન લઈ જઉં, તો મારે અગ્રિમાં પ્રવેશ કરવો. આવી પ્રતિજ્ઞા. કરીને રાજગૃહે પહોંચ્યો. કેટલાંક દિવસ પછી તે સમાન આકૃતિવાળી બે ગણિકા–પુત્રીઓને સાથે લઈને વેપાર કરવા કેટલુંક કરિયાણું સાથે લઈને વેપારીનો વેશ ધારણ કરીને ઉજૈનીમાં અપૂર્વ દુર્લભ પદાર્થોનો વેપાર શરૂ કર્યો. રાજમહેલના માર્ગે રહેવા માટે એક પ્રાસાદ રાખ્યો. રાજા પ્રદ્યોત કોઈ દિવસે વિશેષ પ્રકારે વસ્ત્રાભૂષણથી સજ્જ થયેલી બંને સુંદરીઓને ગવાક્ષમાં રહેલી જોઈ. તે બંનેએ વિશાળ, ઉજ્જવળ, પ્રસન્ન દૃષ્ટિથી રાજા તરફ નજર કરી. તેના ચિત્તને આકર્ષવા માટે તેની સામે અંજલિ જોડી. રાજા તેમનાથી આકર્ષિત થયો. પરસ્ત્રી લોલુપ રાજાએ તેમની પાસે દૂતી મોકલી. તે બંનેએ ક્રોધિત થઈ દૂતીને કાઢી મૂકીને કહ્યું કે, રાજા કદી આવા ચરિત્રનો ન હોય. ફરી પ્રાર્થના કરવા આવી ત્યારે કહ્યું, જાઓ આજથી સાતમા દિવસે અમારા દેવમંદિરમાં મહોત્સવ થશે, ત્યાં અમારો એકાંતમાં મેળાપ થશે. આ સમયમાં અભયકુમારે પ્રદ્યોતરાજાની સમાન આકૃતિવાળા એક મનુષ્યને ગાંડો બનાવીને લોકમાં પ્રસિદ્ધ કર્યું કે, આ મારો ભાઈ દૈવયોગે ગાંડો થયો છે. હું તેની ચિકિત્સા કરાવું છું, બહાર જતાં રોકું છું, તો પણ નાસી જાય છે. વળી રડારોળ કરતા ઊંચકીને તેને પાછો લાવું છું. પછી રોજ – તે ગાંડો માણસ બૂમો પાડતો કે, હું ચંડપ્રદ્યોત રાજા છું અને આ વેપારી મારું હરણ કરી રહ્યો છે. આ ઘટના રોજ બનતા લોકોને તેમની વાતમાં વિશ્વાસ બેસી ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005010
Book TitleAgam Kathanuyoga Gujarati Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy