________________
આગમ કથાનુયોગ–૩
આક્રોશયુક્ત ભાષા વાપરી ત્યારે સર્વાનુભૂતિ મુનિની માફક સુનક્ષત્ર મુનિએ પણ ગોશાળા સાથે પ્રતિવાદ કર્યો હતો. પરિણામે ક્રોધિત થઈને ગોશાળાએ તેમના પર તેજોલેશ્યા છોડી હતી. જેનાથી પરિતાપિત થઈ ગયેલ સુનક્ષત્ર મુનિ થોડાં જ વખતમાં કાળધર્મ પામ્યા. પછી તેઓ અચ્યુત કલ્પમાં ઉત્પન્ન થયા અને ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને મુક્તિ પામશે.
‘‘ગોશાલક કથા” અંતર્ગત્ આવે છે ત્યાં જોવી.)
કલ્પસૂ. ૧૯ની વૃ
૧૩૨
(સુનક્ષત્ર અણગારની કથા
૦ આગમ સંદર્ભ :
ઠા. ૧૦૦૦ની વૃ;
1
ભગ ૬૫૧, ૬૫૬, ૬૫૭;
- * — X
© સિંહ (અણગાર) કથા :
ભગવંત મહાવીરના એક શિષ્ય હતા. ગોશાળાએ છોડેલ તેજોલેશ્યાથી જ્યારે ભગવંતને પિત્તજ્વર અને લોહીખંડવા થયો ત્યારે તેઓ અત્યંત વ્યથિત થઈ ગયેલા ભગવંતના વચનથી તેઓ રેવતી શ્રાવિકાને ત્યાં જઈ નિર્દોષ બીજોરા પાક વહોરી લાવેલ (સિંહ અણગારની કથા “ગોશાલક કથા' અંતર્ગત આવે છે. તેથી ત્યાંથી જોઈ લેવી.) ૦ આગમ સદર્ભ :
ઠા. ૮૭૦ની વૃ;
X
*
Jain Education International
© સુમંગલ કથા ઃ
આગામી ઉત્સર્પિણીની ચોવીસીમાં થનારા તીર્થંકર ભ૰વિમલના પ્રશિષ્ય હતા ગોશાળાનો જીવ જ્યારે ભાવિમાં મહાપદ્મ રાજા થશે ત્યારે સુમંગલ અણગાર તેને બાળીને ભસ્મ કરશે. સુમંગલ અણગાર કાળ કરીને સર્વાર્થસિદ્ધ વિમાન દેવતા થશે. ત્યાંથી ચ્યવીને મોક્ષે જશે.
ભગ. ૬૬૫
1
(સુમંગલ અણગારની કથા – ‘‘ગોશાલક કથા’” અંતર્ગત્ આવી ગયેલ છે, તેથી ત્યાંથી જોઈ લેવી. ૦ આગમ સંદર્ભ :
=
ભગ. ૬૫૭, ૬૫૮;
→ X — K
© કાલિકપુત્ર આદિ સ્થવીર—(લઘુ) કથા ઃ
ભગવંત પાર્શ્વની પરંપરાના ચાર સ્થવીર અણગારોનો લઘુ પ્રસંગ આ કથામાં નોંધાયેલ છે. તે ચાર સ્થવીર આ પ્રમાણે છે - (૧) કાલિકપુત્ર, (૨) મેહિલ, (૩) આનંદરક્ષિત અને (૪) કાશ્યપ. આ ચારે સ્થવીર ભગવંતોએ તુંગિકા નગરીન શ્રાવકોની શંકાનું સમાધાન આપેલ હતું. તે આ પ્રમાણે—
તે શ્રમણોપાસકોએ પૂછ્યું કે, હે ભગવન્ ! જો સંયમનું ફળ અનાશ્રવતા હોય અને તપનું ફળ વ્યવદાન (કર્મપંકથી મલિન આત્માને શુદ્ધ કરવો) એ પ્રમાણે હોય તો દેવ દેવલોકમાં કેમ ઉત્પન્ન થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org