SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ–૧ સ્થાન રહિત), વાયુની જેમ પ્રતિબંધ રહિત અને જીવની જેમ અપ્રતિહત ગતિવાળા હતા. (કેવળ જ્ઞાન પ્રાપ્તિ પૂર્વે સર્વે તીર્થંકર આવા સ્વરૂપના અનગાર હોય છે.) ભગવંત ઋષભનો પ્રતિબંધ અભાવ : ૯૮ તે ભગવંતને કોઈ જ પ્રકારનો પ્રતિબંધ–આસક્તિ ન હતી. (આ મારું છે અથવા હું આનો છે એવા હેતુપૂર્વકનો કોઈ બંધ ન હતો) આવો પ્રતિબંધ ચાર પ્રકારનો હોય છે. ૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૩. કાળથી અને ૪. ભાવથી. - દ્રવ્યથી :- આ મારી માતા છે, આ મારા પિતા છે, આ મારો ભાઈ છે, આ મારી બહેન છે – યાવત્ – આ મારા સ્વજન, સંબંધિ, પરિચિત છે. આ મારું હિરણ્ય છે, આ મારું સુવર્ણ છે યાવત્ આ મારા ઉપકરણ છે અથવા સંક્ષેપમાં કહીએ તો આ સચિત્ત-અચિત્ત કે મિશ્ર દ્રવ્ય મારા છે. એવા સંકલ્પ તેમને હોતા નથી. ક્ષેત્રથી : ગામ કે નગર કે અરણ્ય અથવા ખેતર કે ખળા અથવા ઘર કે આંગણું કે એવા કોઈપણ ક્ષેત્ર-પ્રદેશમાં આ મારું છે એવું કોઈ મમત્ત્વ તેમને ન હતું. કાળ :– સમય, આવલિકા, શ્વાસોચ્છવાસ, સ્ટોક, લવ, મુહૂર્ત, અહોરાત્રિ, પક્ષ, માસ, અયન, સંવત્સર કે એવા કોઈપણ પ્રકારના દીર્ઘકાલ અથવા કાલખંડ (કોઈપણ પ્રકારના સમયમાં) ભગવંતને મમત્ત્વભાવ ન હતો. ભાવ :- ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, શોક, રતિ–અરતિ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, પરપરિવાદ ઇત્યાદિ કોઈપણ ભાવોમાં તેમને પ્રતિબંધ ન હતો. - ભગવંત ઋષભની વિહાર–ચર્યા : તે ભગવંત વર્ષાવાસ (ચોમાસા) સિવાય હેમંત અને ગ્રીષ્મઋતુમાં ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ રહેતા હતા. તેઓ હાસ્ય, શોક, રતિ–અરતિ, ભય, ત્રાસ આદિથી મુક્ત થઈને, મમત્વ અને અહંકાર રહિતપણે, લઘુભૂત (નિર્લોભી) થઈને, પરિગ્રહ રહિત વિચરતા હતા. તેઓને કોઈ લાકડાની માફક છોલે તો દ્વેષ થતો નહોતો અને કોઈ ચંદનથી વિલેપન કરે તો રાગ થતો ન હતો. માટીના ઢેફા કે સુવર્ણમાં સમસૃષ્ટિ હતા. આ લોક અને પરલોકના બંધનથી રહિત અને જીવન કે મૃત્યુ પ્રતિ નિઃસ્પૃહપણે વિચરતા હતા. સંસારથી પાર થનારા અને કર્મસંબંધનો નાશ કરવા માટે પુરુષાર્થયુક્ત થઈ વિચરતા હતા. -૦- ભગવંત ઋષભને કેવળ જ્ઞાન – (પ્રથમ કેવલી) :— આવા ઉત્તમ અનગાર સ્વરૂપને ધારણ કરનાર, પ્રતિબંધ રહિત અને પ્રશસ્ય વિહારચર્યા કરતા ભગવંતને એક હજાર વર્ષ વીતી ગયા, પુરિમતાલ નગરની બહાર શકટમુખ ઉદ્યાનમાં શ્રેષ્ઠ ન્યગ્રોધ વૃક્ષની નીચે ધ્યાનાન્તરિકામાં લીન રહેલા ત્યારે જ્ઞાનદર્શન–ચારિત્રાદિ અસાધારણ ગુણો વડે પોતાના આત્માને ભાવિત કરીને રહેલા હતા તે કાળે જે આ શીતકાળનો ચોથો મહિનો, શીતકાળનો સાતમો પક્ષ એટલે કે ફાગણ માસનું કૃષ્ણ પખવાડીયું તેના અગીયારમાં દિવસે એટલે ફાગણ વદ-૧૧ના દિવસે (ગુજરાતી મહાવદ–૧૧) પૂર્વા કાલ સમયે - પ્રાતઃકાળે, જ્યારે તેમણે નિર્જળ એવો અઠ્ઠમ તપ કરેલો હતો ત્યારે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થતા શુક્લધ્યાનના મધ્ય ભાગમાં વર્તતા એવા ભગવંતને— - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy