________________
તીર્થકર ચરિત્ર–ભઋષભકથા
સર્વોત્કૃષ્ટ સંયમ, તપ, બળ, વીર્ય, નિર્દોષ વસતિમાં વિહાર કરતા, સર્વોત્કૃષ્ટ ભાવના, ક્ષમા, ગુતિ, ઇન્દ્રિયનિગ્રહ, મુક્તિ (નિસ્પૃહતા), તુષ્ટિ (સંતોષ) સહ વર્તતા, સર્વોત્કૃષ્ટ આર્જવ, માર્દવ, લાઘવ યુક્ત એવા, સુચરિત અને સુપુષ્ટ ફળવાળા નિર્વાણ માર્ગની સાધના કરતા કરતા આત્મધ્યાનમાં લીન બનેલા હતા ત્યારે અનંત વસ્તુના વિષયવાળું, અનુત્તર, અનુપમ, આવરણ રહિત, અખંડ, પ્રતિપૂર્ણ એવું કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયા (એ રીતે તેઓ આ કાળના પ્રથમ કેવલી બન્યા)
ભગવંત ઋષભ જિન, કેવલી, સર્વજ્ઞ અને સર્વદર્શી થયા. તેઓ નરકલોક, તિર્યલોક, મનુષ્યલોક અને દેવલોકના સમસ્ત પદાર્થોના સ્વરૂપને જોવા-જાણવા લાગ્યા. જેમકે—કોઈની પણ આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉત્પત્તિ, ભોજન, ક્રિયા, સેવન, પ્રગટકર્મ, ગુપ્તકર્મ, સર્વ કાળના મન, વચન, કાયાના વ્યાપાર (પ્રવૃત્તિ) ઇત્યાદિ તથા જીવના સર્વ ભાવો, અજીવોના સર્વભાવો (પર્યાયો)ને ભગવંત જોવા-જાણવા લાગ્યા. તેમજ આ મોક્ષમાર્ગ મારા માટે, અન્ય જીવોને માટે હિતકર, સુખકર, કલ્યાણકર, સર્વ દુઃખોથી મુક્તિને આપનાર અને પરમ સુખરૂપ થશે. (તેમ જાણવા લાગ્યા.) –૦- ભરત ચક્રીનું પ્રભુ – વંદનાર્થે મરૂદેવા માતા સાથે ગમન :
ઋષભદેવપ્રભુને વિનીતાનગરીના પુરિમતાલના શકટમુખ ઉદ્યાનમાં જ્યારે કેવળજ્ઞાન થયું ત્યારે ભરતરાજાને એક દૂતે આવીને વધામણી આપી કે, આપની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું છે અને બીજા એક દૂતે તે પૂર્વે ભરતને જણાવ્યું કે, આપના પિતા– તીર્થકર ઋષભદેવ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. આ રીતે ભરતને એક સાથે બે વધામણી મળી, એક જ્ઞાનરત્નની ઉત્પત્તિની અને બીજી ચક્રરત્નની ઉત્પત્તિની. બંને વધામણી સાંભળી ક્ષણવાર ભરત વિચારમાં પડ્યા કે મારે પહેલા પિતાજી (તીર્થકર)ની પૂજા કરવી કે ચક્રરત્નની ? તુરંત તેમણે નિર્ણય કર્યો કે આ લોક અને પરલોકનું સુખ આપનારા પિતાજી (તીર્થકર)ની પૂજા કરવા માત્રથી આ લોકનું સુખ આપનારા ચક્રની પૂજા થઈ જ જવાની. એ રીતે વિચારી પ્રભુને વંદન કરવા જવાની તૈયારી કરી.
પ્રભુએ જ્યારથી દીક્ષા લીધી ત્યારથી મરૂદેવા માતા પુત્ર વિરહને લીધે વ્યથિત હતા. ભારતની રાજ્યલક્ષ્મી જોઈને હંમેશાં ફરિયાદ કરતા કે, હે ભરત ! મારો પુત્ર આ બધી રાજ્યલક્ષ્મીને છોડીને ચાલ્યો ગયો. અત્યારે તે ભુખ-તરસથી કેવા પીડાતો હશે ! વસ્ત્રરહિત ફરતો હશે ! તેને કેવા કેવા દુઃખો પડતા હશે ? એ પ્રમાણે ઉદ્વેગ કર્યા કરે. ભારતે તેની પાસે તીર્થકરના વૈભવનું વર્ણન કર્યું તો પણ મરૂદેવામાતાને પ્રતીતિ ન થઈ. પુત્રના શોકમાં અવિરત રૂદન કરતા અવિશ્રાંત અમૃતલથી તેમનાં નેત્રોમાં પડલ બાઝી ગયા.
ભરતે પ્રભુના કેવળજ્ઞાનના સમાચાર સાંભળ્યા ત્યારે સર્વ ઋદ્ધિ સહિત વંદન કરવા જતી વખતે મરૂદેવા માતાને કહ્યું કે, માતા! મારી સાથે ચાલો, હું તમને તમારા પુત્રનો વૈભવ દેખાડું, મરૂદેવા માતાને હાથી ઉપર બેસાડી ભરત રાજા પ્રભુને વાંદવા નીકળ્યો. –૦- પ્રથમ ઘર્મ ચક્રવર્તી – ભઋષભનું સમવસરણ :
ફાગણ વદ-૧૧ના દિવસે જયારે ભગવંતને કેવળજ્ઞાન થયું ત્યારે અર્થાત્ ઘાતિકર્મ ચતુષ્ટયનો ક્ષય થવાથી અનંતજ્ઞાનાદિ (કેવળજ્ઞાનાદિ), ઉત્પન્ન થયા ત્યારે જરામરણથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org