________________
૧૦૦
આગમ કથાનુયોગ-૧
વિપ્રમુક્ત એવા તેમનો દેવદાનવેન્દ્રોએ (વૈમાનિક, જ્યોતિષ્ઠ, ભવનપતિ અને વ્યંતરના ઇન્દ્રોએ – દેવો સહિત) જ્ઞાન મહોત્સવ કર્યો–કેવળજ્ઞાન મહિમા કર્યો. બધાં જ તીર્થકરોને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે શક્ર આવીને અવસ્થિત કેશ, રોમ, દાઢી, મૂછ, નખ વગેરેનું સંમાર્જન કરે છે. તે કૃત્ય કર્યું. વિશેષ એ કે ઋષભ સ્વામીની જે જટા (એક મુષ્ટિ પ્રમાણ વાળ) મેરૂ પર્વત પર અંજનરેખા જેવા શોભતા હતા તેનું છેદન ન કર્યું.
પછી દેવોએ સમવસરણની રચના કરી (સમવસરણ વર્ણન ભગવંત મહાવીરના કથાનકમાં હવે પછી આવશે. સવરચક્ર નિશ્ચિત્ત આદિમાં પણ તેમજ છે) ભગવંત ઋષભ દેવતા રચિત સમવસરણમાં બિરાજમાન હતા. ચોત્રીશ અતિશયોથી શોભતા એવા તે સુવર્ણના સિંહાસન પર બિરાજેલા, સુરેન્દ્રોથી પૂજાતા અને સુરનર આદિ સમુદાયથી પરિવરેલા હતા.
ભરતે મરૂદેવા માતાને કહ્યું કે, માતાજી જુઓ આપના પુત્રનો આ વૈભવ કેવો છે. આકાશ મંડલથી દેવોનો સમૂહ વિમાનથી ઉતરી રહ્યો છે. દેવદુંદુભિના નાદથી ચારે દિશા મંડલો ધ્વનિત થયેલા છે. મારી ઋદ્ધિ તો ભગવંતના લાખ-કરોડમાં ભાગે પણ નથી. જુઓ આપના પુત્ર કેવી અમૃતમય દેશના આપી રહ્યા છે. ભારતનું આવું કથન સાંભળી (પ્રભુનો દિવ્ય વૈભવ તથા ધર્મકથા સાંભળતા) રોમાંચિત થયેલા અંગવાળા મરૂદેવા માતાને આનંદના અશ્રુઓ આવી ગયા. નેત્રમાં બાઝેલા પડલ ધોવાઈ ગયા. પ્રભુની છત્રચામરાદિક લક્ષ્મી જોઈ, મરૂદેવા માતાને થયું કે મોહથી વિહળ બનેલા પ્રાણીને ધિક્કાર છે. ખરેખર ! સ્નેહને ધિક્કાર છે. તેમના ધ્યાનનો પ્રવાહ પલટાયો. શુક્લ ધ્યાનની ધારાએ તે જ ક્ષણે મરૂદેવા માતાને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. આયુષ્યનો લય પણ એ જ વખતે થતા મરૂદેવા માતાના ચાર અઘાતી કર્મો પણ ક્ષય પામ્યા. હાથી પર આરૂઢ થયેલા તેઓ સિંદ્ધ, બુદ્ધ, મુક્ત થઈ ગયા અર્થાત્ મોક્ષે સિધાવ્યા. આ રીતે આ ભરતક્ષેત્રમાં, આ અવસર્પિણી કાળમાં મરૂદેવા માતા પ્રથમ સિદ્ધ થયા. દેવોએ પણ તેમની પૂજા કરી તેણીના શરીરને ક્ષીર સમુદ્રમાં પધરાવ્યું. ૦ ઋષભ દેવ દ્વારા તીર્થ પ્રવર્તન :
કેવળજ્ઞાન થતાં જ દેવતાકૃતુ સમવસરણમાં ઋષભદેવ ભગવંતે પ્રથમ દેશના આપી. સમવસરણમાં દેવ–મનુષ્યો અને અસુરોની સભામાં ધર્મ કહ્યો ત્યારે પૂર્વબદ્ધ ગણધર નામગોત્ર (કર્મ)ના ઉદયથી સંવેગ ઉત્પન્ન થતાં ભારતના પુત્ર ઋષભસેને દીક્ષા લીધી. તે પ્રથમ ગણધર થયા. બ્રાહ્મીએ પણ દીક્ષા લીધી, તે મુખ્ય સાધ્વી થયા. ભરતરાજા મુખ્ય શ્રાવક થયા, સુંદરી પણ દીક્ષા લેવાની ઈચ્છા ધરાવતી હતી પણ તેણીને અત્યંત સ્વરૂપવાનું જાણીને સ્ત્રીરત્ન રૂપે સ્થાપવાની ઈચ્છાથી ભારતે દીક્ષા લેવાની આજ્ઞા ન આપતા તે શ્રાવિકા થઈ એ રીતે ચતુર્વિધ એવો શ્રમણપ્રધાન સંઘ સ્થપાયો. શ્રમણશ્રમણી, શ્રાવક-શ્રાવિકા રૂપ સંઘ અર્થાત્ ધર્મતીર્થનું પ્રવર્તન થયું.
ભરતના ઋષભસેન સહિત પ૦૦ પુત્રો અને ૭૦૦ પૌત્રોએ પણ દીક્ષા લીધી. ભગવંતના કેવળજ્ઞાન થયાની વાત સાંભળી કચ્છ–મહાકચ્છ સિવાયના બધાં તાપસોએ આવીને ભવનપતિ વ્યંતર જ્યોતિષ્ક વૈમાનિકો દેવો સહિતની પર્ષદા જોઈને ભગવંત પાસે દીક્ષા ગ્રહણ કરી. સમવસરણમાં રહેલા મરીચિ આદિ અનેક કુમારોએ પણ દીક્ષા લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org