SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર ચરિત્ર–ભઋષભકથા ભગવંત શ્રમણ નિગ્રંથ અને નિJથીઓને ભાવનાસહિત પાંચ મહાવ્રતોનો અને છે જીવનિકાયની રક્ષારૂપ ધર્મનો ઉપદેશ આપવા પૂર્વક વિચરવા લાગ્યા. આ પૃવીકાયાદિક છે જીવનિકાય અને ભાવના સહિત પાંચ મહાવ્રતોનું સ્વરૂપ આચારાંગ સૂત્રથી જાણી લેવું. કૌશલિક અર્હત્ ઋષભદેવે આ અવસર્પિણી કાળના નવ સાગરોપમ કોટાકોટિ વર્ષ વીત્યા બાદ તીર્થ પ્રવર્તન કર્યું. –૦- ભરતે પણ ભગવંતની પૂજા કર્યા બાદ ચક્રરત્નનો અઠાઈ મહોત્સવ કર્યો. ક્રમશઃ તેણે છ ખંડને સાધવા માટે તેની દિગ્વીજય યાત્રાનો આરંભ કર્યો. (તેનું સમગ્ર વર્ણન ભરત ચક્રવર્તીના કથાનકમાં કરાયેલ છે.) ૬૦,૦૦૦ વર્ષે તે ભરત ક્ષેત્રના છ ખંડ સાધી પોતાને ઘેર આવ્યા. વિનીતા નગરી આવ્યા બાદ બાર વર્ષ સુધી તેનો મહારાજા અભિષેક મહોત્સવ પ્રર્વત્યો. –૦-- સુંદરીની દીક્ષા :- મહારાજા અભિષેક મહોત્સવ બાદ ભરત ચક્રવર્તીએ પોતાના સ્વજન વર્ગને યાદ કરવો શરૂ કર્યો. સર્વે સ્વજનોને જોતા-જોતા તેણે સુંદરીને પણ જોઈ. તેણીને અત્યંત કૃશકાય જોઈ. સૌદર્યરહિત એવી સુંદરીને જોઈને તેણે પૂછ્યું કે, આ સુંદરી આવી કૃશ કેમ થઈ ગઈ છે ? શું મારા ગયા પછી તેની કોઈ સારસંભાળ પણ લેતું ન હતું ? ત્યારે ખબર પડી કે રાજા ભરત જે દિવસે દિગ્વીજય યાત્રા કરવા નીકળ્યા તે જ દિવસથી સુંદરીએ આયંબિલનો તપ આરંભ કર્યો હતો. ભરતે જ્યારે રોષપૂર્વક કુટુંબીજનોને પૂછયું કે, શું મારે ત્યાં ભોજન ન હતું ? વૈદ્યો ન હતા કે તેણી આવી સૌદર્યહીન થઈ ગઈ. કુટુંબીજનોએ કહ્યું કે, તેણી (સંયમ અને વૈરાગ્યથી ઉછળતા સાગરથી પ્રવજ્યા પંથે જવા માટે) ૬૦,૦૦૦ વર્ષથી આયંબિલ કરી રહી છે. તેથી ભરતનો તેના પરનો રાગ ઘટી ગયો. સુંદરીએ પણ કહ્યું કે, જો તમને યોગ્ય લાગે તો મારી સાથે ભોગ ભોગવો અથવા મને દીક્ષા લેવા અનુમતિ આપો. ત્યારે ભરત તેના પગમાં પડી ગયો. દીક્ષા લેવાની અનુમતિ આપી. સુંદરીએ દીક્ષા ગ્રહણ કરી. -૦- અઠાણ ભાઈઓની દીક્ષા : ભરતક્ષેત્રના છ એ ખંડની સાધના કરી પાછા આવેલા ભરત ચક્રવર્તીએ પોતાના અઠાણું ભાઈઓને દૂત મોકલીને સંદેશો આપ્યો કે મારી આજ્ઞાનો તમે સ્વીકાર કરો. તેઓએ ઉત્તર આપ્યો કે તને પણ પિતાએ રાજ્ય આપ્યું છે અને અમને પણ પિતાએ રાજ્ય આપ્યું છે. અમે પિતાને પૂછીશું. તેઓ જેમ કહેશે તેમ કરીશું. તે સમયે ભગવંત ઋષભ અષ્ટાપદ તરફ વિચરી રહ્યા હતા. બધાં ભાઈઓ ભેગા થઈને ભગવંત પાસે ગયા, ભગવંતને પૂછયું કે, તમે અમને રાજ્ય આપેલ છે. મોટા ભાઈ અમારું રાજ્ય લઈ લેવા માંગે છે. તો અમારે શું કરવું? અમે તેની સાથે યુદ્ધ કરીએ કે તેની આજ્ઞા માનીએ ? ત્યારે ભગવંતે તેઓને ભોગથી નિવર્તવા માટે ધર્મ ઉપદેશ કહ્યો. મુક્તિ સમાન કોઈ સુખ નથી. પછી તેઓને અંગારદાહકનું દષ્ટાંત આપ્યું એક અંગારદહક હતો. પાણીનું એક વાસણ ભરીને ગયો. પાણીને એક સ્થાને રાખી દીધું, એક તો ઉપર બળબળતો સૂર્ય, બીજું ચારે તરફ (તેણે લાકડા સળગાવીને કોલસા બનાવવા માટે પ્રગટાવેલો) અગ્રિ. વળી લાકડા કાપવાનો તેનો સખત પરિશ્રમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy