SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ આગમ કથાનુયોગ–૧ પાણીની તરસ લાગી. ઘરે જઈ પાણી પીધું. મૂચ્છિત થઈને પડી ગયો. તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ખૂબજ તરસ લાગવાથી તે પાણી પીવા લાગ્યો. તેની તરસ છીપી નહીં તે બધાંજ કુવા, તળાવ, નદી, કહ, સમુદ્રના પાણી પી ગય. તો પણ તેની તરસ છીપાઈ નહીં. ત્યારે કોઈ જીર્ણ કૂવામાં ઘાસનો પૂડો નાંખી પાણી સિંચવા લાગ્યો. જે કંઈ બિંદુઓ પડે તે જળબિંદુને જીભથી ચાંટવા લાગ્યો. શું ભીના થયેલા તે ઘાસના પૂડાથી તેની તરસ છીપે ખરી ? એ જ પ્રમાણે તમે પણ સર્વલોકના અનુત્તર એવા શબ્દ–સ્પર્શ આદિ અનુભવ્યા. સર્વાર્થસિદ્ધના સુખને પણ પામ્યા, તો પણ તમારી તૃષ્ણા ન ગઈ તો પછી આ મનુષ્યલોકના અશુચિમય, તુચ્છ, અલ્પકાલિક, વિરસ એવા કામભોગની અભિલાષા શા માટે રાખો છો ? એ પ્રમાણે વૈતાલિક (વૈદારિક) અધ્યયનની પ્રરૂપણા કરી. “સખ્ય બોધ પામાં કેમ બોધ પામતા નથી ?” એ પ્રમાણે તે અઠાણુ ભાઈઓ બોધ પામ્યા અને તે બધાંએ દીક્ષા ગ્રહણ કરી. –૦- બાહુબલી સાથે યુદ્ધ અને બાહુબલીની દીક્ષા : ત્યાર પછી ભરત મહારાજાએ બાહુબલી પાસે દૂત મોકલ્યો. અઠાણું ભાઈની દીક્ષાની વાત સાંભળી તે ઘણો ક્રોધિત થયો. તેણે દૂતને કહ્યું કે, તે ભાઈઓ તો બાળક હતા તે દીક્ષા લઈ લીધી પણ હું તો યુદ્ધ કરવા માટે સમર્થ છું. શું તે મને જીતી શકશે? કાં તો હું રાજા થઈશ અથવા તે રાજા થશે. ત્યારે તે બંને પોત-પોતાના દેશની સરહદે સર્વબળ–સૈન્યાદિ સહિત યુદ્ધ કરવા માટે એકઠા થયા. (ભરત બાહુબલીનું યુદ્ધ બાર વર્ષ ચાલ્યું. બંનેના સૈન્યમાં પુષ્કળ મનુષ્યોનો સંહાર થયો, પણ બંનેમાં કોઈ હાર્યું નહીં) બાહુબલીએ તેને કહ્યું કે, નિરપરાધી લોકોને શા માટે મારવા જોઈએ ? આપણે બે જ પરસ્પર યુદ્ધ કરીએ. ત્યારે પ્રથમ દૃષ્ટિયુદ્ધ થયું. ભરત તેમાં હારી ગયો. ત્યાર પછી બંને વચ્ચે અનુક્રમે વાયુદ્ધ, બાયુદ્ધ, મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ થયું. તે સર્વેમાં ભરત હારી ગયો. (કલ્પસૂત્રની વૃત્તિમાં અહીં એમ કહ્યું છે કે, શક્રેન્દ્રએ યુદ્ધ અટકાવી બંનેને પરસ્પર લડવા કહેલું. શક્રએ દષ્ટિયુદ્ધ, વાયુ, મુષ્ટિયુદ્ધ અને દંડ્યુદ્ધ એમ ચાર પ્રકારે બંને ભાઈઓએ પરસ્પર લડવાનો ઠરાવ કર્યો હતો. એ ચારે યુદ્ધમાં બાહુબલીનો વિજય થયેલો) ત્યારે ભારતને થયું કે, ખરેખર ! આ ચક્રવર્તી છે કે, હું દુર્બલ છું. ત્યારે તેની ચિંતા જોઈ દેવતાએ તેને ચક્રરત્ન નામનું આયુધ આપ્યું. બાહુબલીને હણવા માટે તે ક્રોધથી ધમધમતો દોડ્યો અને તેના પર ચક્રરત્ન ફેંક્યું. આ તરફ બાહુબલીએ ભરતને દિવ્યચક્રરત્ન ગ્રહણ કરીને આવતો જોયો. તેણે સગર્વ વિચાર્યું કે ભારતને હવે આ ચક્ર સહિત ચૂર્ણ કરી નાંખુ. (કલ્પસૂત્ર–વૃત્તિમાં અહીં જણાવે છે કે સમાન ગોત્રી ઉપર ચક્રરત્ન કાંઈ કરી શકતું નથી માટે ચક્ર પાછું ફર્યું. ત્યારે બાહુબલીને થયું કે અત્યાર સુધી મેં ભ્રાતૃભાવથી આને કંઈ કર્યું નહીં, છતાં તે પોતાનો દુષ્ટ સ્વભાવ છોડતો નથી. હવે એક જ મુઠીના પ્રહારથી ભરતના ચૂરેચૂરા કરી દઈશ) તુરંત બાહુબલીને થયું કે, તુચ્છ એવા કામભોગ માટે હું પ્રતિજ્ઞાભ્રષ્ટ થઈશ. ભરતને મારી નાંખવો યોગ્ય નથી. મારી પહેલાં અઠ્ઠાણું ભાઈઓએ જે કર્યું. તે જ યોગ્ય For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy