________________
તીર્થકર ચરિત્ર-ભઋષભકથા
૯૫
તેણે બધું જ જેમ હતું તેમ કહી દીધું. ત્યારે મેં પણ સંતુષ્ટ થઈને તેને જણાવ્યું કે, આ શ્રીમતી કુમારી છે. તે જ સ્વયંપ્રભા છે. ત્યારે તે શુભ મનવાળો થઈને ગયો. હું પણ પાછી આવી.
હવે હું રાજા પાસે જઈને આ બધો વૃત્તાંત કહીશ. ત્યારે મને પ્રિયનો સમાગમ થશે એમ કહ્યું.
એ સમયે અવર વિદેહમાં સલિલાવતી વિજયમાં વીતશોકા નામે નગરી છે. ત્યાં જિતશત્રુ નામે રાજા છે. તેને મનોહરી અને કેકથી નામે બે રાણી છે. તેમને અચલ અને વિભિષણ નામે અનુક્રમે પુત્રો છે. પિતાના મૃત્યુ બાદ તે (અચલ) બળદેવ અને (વિભિષણ) વાસુદેવ બને અર્ધ ભરતનું રાજ્ય ભોગવી રહ્યા છે.
ત્યાર પછી કેટલાંક કાળ બાદ મનોહરી કે જે બળદેવની માતા હતી, તેણીએ પ્રવજ્યા માટે રજા માંગી. પછી બળદેવે તેને કહ્યું કે, જો તમે દેવલોક જાઓ તો મને પ્રતિબોધ કરવો, એ વાત કબૂલ હોય તો દીક્ષા લેવાની રજા આપું. તેણીએ એ વાત કબૂલ કરી – યાવત્ –તેણી કાળધર્મ પામીને લાતક કલ્પે ઇન્દ્ર થઈ – યાવત્ – મનોહરી દેવના પ્રતિબોધથી અચલ બળદેવે દીક્ષા લીધી. (ઇત્યાદિ કથા અચલની કથાથી શ્રમણ વિભાગમાંથી જાણી લેવી.),
આ અચલ બળદેવ પુત્રને રાજ્યલક્ષ્મી સોંપી, કામભોગથી ઉદ્વિગ્ન થઈ પ્રવ્રજિત થયો. તપ વગેરે આદરીને લલિતાંગ દેવ થયેલો. તે લલિતાંગ સાગરોપમના સાત નવમાંશ ભાગે દેવસુખ ભોગવીને ચ્યવ્યો. ત્યાં બીજો દેવ ઉત્પન્ન થયો. તે લલિતાંગ એ આ મારો પુત્ર છે. એવી રીતે બધાં શ્રીમતી પાસે પહોંચ્યા. પણ તેમાં વ્રજજંઘ જ એવો લલિતાંગ દેવ હતો કે જેને જોઈને શ્રીમતીને સ્નેહ ઊભરાયો. બીજાને વિસર્જિત કર્યા. તેઓએ નિર્વિધે ભોગો ભોગવ્યા.
વજસેન રાજા પણ લોકાંતિક દેવના પ્રતિબોધથી સાંવત્સરિક દાન આપીને નીકળ્યા. દીક્ષા લીધી. કેવળજ્ઞાન થયું, ધર્મદેશના આપી. વજજંઘ અને શ્રીમતી પણ ગયા - યાવત્ – હે આર્ય ! જે નિર્નામિકા હતી તે, જે સ્વયંપ્રભા હતી તે, જે શ્રીમતી હતી તે હું જ છું તેમ જાણવું અને જે મહાબલ રાજા હતા, જે લલિતાંગ દેવ હતા, જે વજજંઘ હતા તે તમે છો અને તમે જેનું નામ ગ્રહણ કર્યું તે સ્વયંપ્રભા હું જ છું.
ત્યારે સ્વામીએ કહ્યું, હે આર્યા ! જાતિસ્મરણ જ્ઞાનથી દેવઉદ્યોત દર્શન વડે મેં વિચાર્યું – દેવભવમાં વર્તતી મારી સ્વયંપ્રભા મેં ખોઈ. પૂર્વભવના સ્મરણથી ઉત્પન્ન થયેલ સ્નેહથી સુખે આવેલ વિષયસુખ ત્રણ પલ્યોપમ પર્યત ભોગવી કાળધર્મ પામી સૌધર્મકલ્પ દેવ થયા. ત્યાં પણ પરસ્પર પ્રીતિ રહી.
પલ્યોપમની સ્થિતિ ભોગવી, ત્યાંથી ચ્યવી વચ્છકાવતી વિજયે પ્રભંકરા નગરીએ ત્યાં દાદા (ભગવંત ઋષભનો જીવ) સુવિધિ વૈદ્યનો પુત્ર કેશવ નામે થયા. હું શ્રેષ્ઠીપુત્ર અભયઘોષ થયો. ત્યાં પણ અમને પરસ્પર સ્નેહ મૈત્રી રહ્યા. તે જ નગરમાં રાજપુત્ર, પુરોહિતપુત્ર, મંત્રીપુત્ર, સાર્થવાહ પુત્ર હતા. તે બધા સાથે મૈત્રી થઈ (ઇત્યાદિ કથા તીર્થકર ઋષભદેવમાં, ભરત ચક્રવર્તીમાં, બાહુબલીમાં આવી ગયેલ છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org