SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થંકર ચરિત્ર–ભઋષભકથા ૯૩ માતાપિતાએ મારું કોઈ નામ પાડ્યું નહીં. નિર્નામિકા એવું જ નામ થઈ ગયું. કર્મને વશ તેઓનું અવસાન થયું, હું જીવતી રહી. કોઈ દિવસે ઉત્સવે આઠ બાળકો પોતાના ઘેરથી વિવિધ ભક્ષ્ય હાથમાં લઈ નીકળ્યા. તેમને જોઈને મેં માતાને કહ્યું, હે માતા ! મને લાડું કે બીજું કંઈ ખાવાનું આપો તો આ બાળકો સાથે રમવા જઉ. તેણે રોષપૂર્વક મને ઘરમાંથી કાઢી મૂકી. ત્યારે હું રડતી રડતી નીકળી. માર્ગને ન જાણતી જતી હતી. મેં કોઈ જણને અંબરતિલક પર્વત તરફ જતો જોયો. હું પણ તેની સાથે ગઈ. ત્યાં મેં પૃથ્વીના તિલકભૂત વિવિધ ફળના ભારથી નમેલ એવું ઝાડનું સંકુલ જોયું. ત્યાં મેં પણ ઝાડ પરથી પડેલા સ્વાદિષ્ટ ફળો ખાધા. ગિરિવરની રમણીયતા જોતી ચાલતી હતી ત્યારે લોકોની સાથે મેં પણ અતિ મનોહર શબ્દોને સાંભળ્યા. તેને અનુસરતી હું લોકો સાથે તે પ્રદેશમાં ગઈ. ત્યાં મેં યુગંધર આચાર્યને જોયા. તેઓ વિવિધ નિયમના ધારક અને ચૌદપૂર્વના જ્ઞાતા હતા. ત્યાં દેવ-મનુષ્ય આદિ આવેલા હતા. તેઓ જીવોને કર્મના બંધ અને મોક્ષ વિશે કહેતા હતા. સંશયનું નિવારણ કરતા હતા. ત્યારે હું તે જણની સાથે ત્યાં બેઠી. તેમના પરમ મધુર વચનો સાંભળ્યા. ધર્મકથા મધ્યે મેં પૂછયું, ભગવન્! શું મારા સમાન દુઃખી એવો કોઈ જીવ આ જીવલોકમાં હશે ખરો ? ત્યારે તેઓએ કહ્યું, હે નિર્નામિકા ! તને શુભાશુભ શબ્દો સારી રીતે સંભળાય છે, રૂપોને પણ તું સારી રીતે જોઈ શકે છે, શુભાશુભ ગંધ સુંઘી શકે છે. મનોજ્ઞ-અમનોજ્ઞ રસને પણ આસ્વાદી શકે છે. ઇષ્ટ અનિષ્ટ સ્પર્શ પણ અનુભવે છે. વળી શીત, ઉષ્ણ, તૃષ્ણા, સુધાદિનો તું પ્રતિકાર કરી શકે છે. નિદ્રા પણ તું સુખપૂર્વક લઈ શકે છે. અંધકારમાં જ્યોતિના પ્રકાશમાં તું તારા કાર્યો કરી શકે છે. જ્યારે જેઓ દાસ-ચાકર આદિ છે. તેઓ પરવશ છે, વિવિધ પ્રકારે દેહપીડાકુલેશાદિ અનુભવે છે. ક્ષણવાર પણ તેમને નિકાસુખ મળતું નથી. નારકીના જીવો પણ વિવિધ પ્રકારે ભયંકર-દારુણ દુ:ખોને સહન કરે છે અને વેદના વેદે છે. (ઇત્યાદિ નરક આદિ ગતિના દુઃખનું વર્ણન જાણવું). તે ધર્મ સાંભળીને કેટલાકે પ્રવજ્યા ગ્રહણ કરી, કેટલાંક ગૃહવાસ યોગ્ય (શ્રાવકને યોગ્ય) શીલ અને વ્રત ગ્રહણ કર્યા. મેં વિનવણી કરી કે, હું જે નિયમનું પાલન કરી શકું તેમ હોય તેવા નિયમોનો મને ઉપદેશ આપો. ત્યારે મેં તેમની પાસે પાંચ અણુવ્રત સ્વીકાર્યા. વંદન કરી, સંતોષ પામી, તે જણ (વ્યક્તિ)ની સાથે નંદિગ્રામે આવી. વ્રતનું પાલન કરતા પણ હું સંતોષ પામી. કુટુંબ સંવિભાગથી પરિણત થઈને ઉપવાસ-છઠઅઠમ મેં કર્યા. એ પ્રમાણે કાળ વીતતો હતો, ત્યારે ક્યારેક ભક્ત પરિત્યાગ કરેલો ત્યારે રાત્રે એક દેવને મેં જોયો. તે પરમદર્શનીય હતો. તેણે કહ્યું, હે નિર્નામિકા ! મને જો અને મનમાં ચિંતવ કે હું આ દેવની પત્ની થઉં. તો તું મારી દેવી થઈશ અને મારી સાથે દિવ્ય ભોગોને ભોગવીશ. આટલું કહી તે દેવ અદૃશ્ય થઈ ગયો. હું પણ તે દેવના દર્શનથી હૃદયપૂર્વક સંતૃપ્ત થઈ. પછી સમાધીપૂર્વક કાળ કરી ઇશાનકલ્પમાં શ્રીપ્રભ વિમાનમાં લલિતાંગ દેવની અગ્રમડિષી સ્વયંપ્રભા થઈ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy