SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ આગમ કથાનુયોગ-૧ કરીને મેં પૂછયું, ભગવન્! મહાબલ રાજાનું કેટલું આયુષ્ય છે ? તેમણે જણાવ્યું કે, એક માસનું આયુ બાકી છે. તેથી સંભ્રાન્ત થઈને હું આવ્યો. આ પરમાર્થ છે, હવે તમને જે શ્રેયકારી લાગે તે તમે કરો. ત્યારે મેં તે ઉપદેશ સાંભળી કે જે સ્વયંબુઢે કહેલો, પછી હું ધર્માભિમુખ થયો. આયુનો ક્ષય સાંભળીને, ભયથી જલ્દી ઉઠીને, અંજલિ જોડીને સ્વયંબુદ્ધના શરણે ગયો. હે મિત્ર! આ બાકી રહેલા એક માસના આયુષ્યમાં પરલોકના હિતને માટે શું કરું? પછી તેણે મને આશ્વાસિત કરતા કહ્યું કે, હે સ્વામી ! સર્વ સાવદ્યનો ત્યાગ કરવા માટે દિવસ પણ પૂરતો છે, તો પછી મહિનામાં તો કહેવું જ શું ? ત્યાર પછી તેના વચનથી પુત્રને પ્રજાના પાલનને માટે રાજ્ય પર સ્થાપીને હું સિદ્ધાયતને ગયો. ભક્ત પરિત્યાગ કર્યો. સંથારો સ્વીકાર્યો. સ્વયંબુદ્ધ ઉપદિષ્ટ જિનમહિમા સંપાદને શુભ મનથી અનિત્ય એવા સંસારની દુગંછાથી પાદોપગમન કર્યું. વૈરાગ્ય જનિત એવો કાળ કરીને અહીં આવ્યો. એ પ્રમાણે મેં થોડો જ તપ કર્યો. આ પ્રમાણે આજે મને લલિતાંગ દેવે સપરિવાર કહ્યું. ઇશાન દેવરાજ સમીપનો એક દૃઢધર્મ નામનો દેવ આવ્યો અને કહ્યું, હે લલિતાંગ! દેવરાજ ઇન્દ્ર નંદીશ્વરતીપે જિનમહિમા કરવા માટે જાય છે, હું પણ સાથે જવાનો છું. તે તને જાણ કરું છું, એમ કહી તે ગયો. તેથી હું આજે દેવ સહિત અવશ્ય ગમન કરીશ, મને આટલું કહીને તુરંત નંદીશ્વર કીપે ગયો. જિનાયતનમાં મહોત્સવ કર્યો. પછી તિછલોકમાં તિર્થંકરને વંદન કરી શાશ્વત ચૈત્યની પૂજા કરી. લલિતાંગ દેવનું ચ્યવન થયું. પરમ શોકાગ્નિથી બળતા હૃદયે ચિંતાસાગરમાં ડૂબી. બધાં સપરિવાર શ્રીપ્રભ વિમાનમાં ગયા. મને બોધિલાભ થશે તેમ કહ્યાનું યાદ રાખી હું પણ ત્યાંથી ચ્યવી. જંબૂઢીપના વિદેહમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરિકિણી નગરીએ વજસેના ચક્રવર્તીની ગુણવતી રાણીની પુત્રી શ્રીમતી નામે મારો જન્મ થયો. ત્યાં પિતાના ભવનમાં રાજહંસી જેવી અને ધાત્રીજન દ્વારા પરિગૃહિત યમક પર્વત સંશ્રિત લતા સુખે વૃદ્ધિ પામી. રમત-રમતમાં બધી કળા શીખી લીધી. કોઈ દિવસે પ્રદોષે સર્વતોભદ્રપ્રસાદે મેં તેને નગર બહાર દેવકુલે જોયેલ. ત્યારે મને દેવજાતિનું સ્મરણ થયું. તે યાદ આવતા દુઃખ વડે આહત થઈને મૂછ આવી. પરિચારિકાએ જલકણ વડે સિંચિત કરી. ત્યાર પછી મને ભાન આવતા વિચાર્ય, મારો પ્રિય લલિતાંગ દેવ ક્યાંથી ? ત્યારે હું કોઈપણ કારણ વિના મૂકત્વને પામી. ત્યારે પરિજનો કહેવા લાગ્યા, કોઈ પક્ષ દ્વારા તે આવિષ્ટ થઈ છે. કોઈ ચિકિત્સકે બલિ, હોમ, મંત્ર, રક્ષાદિ વિધાન વડે ઉપચાર શરૂ કર્યો. હું પણ મૂળ લક્ષને છોડતી ન હતી. મારી અંબેધાત્રી પંડિતિકા મારા હૃદયગત અર્થને જાણવા બોલી કે, જે બન્યું છે તે મને કહો.' ત્યારે મેં કહ્યું, હે અંબા ! કારણ હોવાથી જ મેં મૂકત્વ ધારણ કર્યું છે. ત્યારે તેણી સંતુષ્ટ થઈ બોલી, હે પુત્રી ! તું મને કારણ જણાવ. સાંભળીને તું જેમ કહીશ તેવું કરીશું. ત્યારે મેં કહ્યું – ધાતકીખંડહીપના પૂર્વ વિદેહમાં મંગલાવતી વિજયે નંદીગ્રામ નામક સંનિવેશ હતું. ત્યાં હું આજથી ત્રીજા ભવે દરિદ્રકુળમાં છ પુત્રી ઉપર સાતમી પુત્રી રૂપે જન્મી મારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy