________________
૯૦
આગમ કથાનુયોગ-૧
પાણીના સ્ત્રોતનો વિક્ષોભ કહ્યો તેને મરણકાળ સમજવો. જે નિર્ગમની વિષમતા કહી તેને પરભવનું સંક્રમણ જાણવું.
એ પ્રમાણે હે સંભિન્નસ્રોત ! તું સમજ, જો તુચ્છ અને અસાર એવા અલ્પકાલીન કામભોગનો ત્યાગ કરીને તપ અને સંયમમાં ઉદ્યમ કરે છે, તે સુગતિમાં જાય છે, તેમાં કોઈ સંશય નથી અને જે વિષયભોગમાં ગૃદ્ધ બની મરણ સમયની ઉપેક્ષા કરે છે, તે શરીરનો ભેદ થતાં દુર્ગતિ પામીને દીર્ઘકાળ પર્યન્ત દુઃખી થાય છે. તેથી શીયાળની પેઠે તુચ્છ વિષયમાં સુખની ભ્રાંતિ વડે પ્રતિબદ્ધ બની વિપુલ દીર્ઘકાલિક સુખની અવજ્ઞા ન કર.
ત્યારે સંભિન્નશ્રોતે કહ્યું, કઈ રીતે ? સ્વયંબુદ્દે જણાવ્યું સાંભળી કોઈ એક વનચર વનમાં ફરતો હતો. તેણે વયસ્થ હાથીને જોયો. તે વિષમ પ્રદેશમાં રહ્યો. તે કોઈ વખતે હાથીના દાંતને ગ્રહણ કરવાના હેતુથી પરશુ લઈને ગયો. તે વખતે હાથીના પડવાથી તેને મહાકાય સર્પ વડે ખવાતા ત્યાં જ પડ્યો. ત્યારે કોઈ શિયાળે ભમતા ભમતા તે હાથીને જોયો. બીકણપણાને લીધે ત્યાંથી સરકી ગયો. પણ માંસની લોલુપતાથી ફરી ફરી ત્યાં આવવા-જવા લાગ્યો. નિશંકપણે સંતુષ્ટ થઈ તે હાથીને જોતા-જોતા તે વિચારવા લાગ્યો કે આ હાથી એ મારું જાવજીવનું ભોજન છે. અહીં રહેલા માણસ અને સર્પ કેટલોક કાળ રહેશે, પછી તેઓ ચાલ્યા જશે ત્યારે હું હાથીના કલેવરને ખાવાનું શરૂ કરીશ. તે મંદબુદ્ધિ એમ વિચારતો હતો, તેટલામાં કોઈ કારણે તાલુપ્રદેશથી ભૂદાઈને મૃત્યુ પામ્યો. જો અલ્પસારભૂત એવા હાથીના, મનુષ્યના, સર્પના કલેવરમાં તે મોહાયો ન હોત તો બીજી દીર્ધકાળ સુધી ભોજન કરત.
એ પ્રમાણે તે પણ જાણ કે, મનુષ્ય સંબંધી સુખમાં આસક્ત બની જે પરલોકના સાધનભૂત કાર્યોની ઉપેક્ષા કરે છે, તે જંબૂક–શીયાળ માફક વિનાશને પામે છે અને પરભવનું સુખ પણ મળતું નથી.
હે સ્વામી ! તમે કુમારકાળે મારી સાથે નંદનવનના દેવઉદ્યાને આવેલા ત્યાં દેવો અવતર્યા. હું તે જોઈને અટકી ગયો. દેવો પણ દિવ્યગતિથી ક્ષણવારમાં મારી નજીક આવ્યા. તેમણે કહેલું કે હું શતબલ છું, હે મહબલ ! તારો દાદો છું. રાજ્યશ્રીનો ત્યાગ કરીને લાતક કલ્પનો અધિપતિ થયો છું. તે પ્રમાણે તું પણ મહાપ્રમાદી ન થઈને તારા આત્માને જિનવચન વડે ભાવિત કર, તો તું સુગતિને પામીશ. એ પ્રમાણે કહીને તે દેવ ચાલ્યો ગયેલો.
હે સ્વામી ! જો તમને આ વાત યાદ આવે તો પરલોક છે તેવી શ્રદ્ધા રાખજો. ત્યારે મેં કહેલું કે, હું સ્વયંભુદ્ધ મને યાદ છે કે પિતામહ–દાદાને જોયા હતા. અવકાશ પ્રાપ્ત થયો ત્યારે કહ્યું કે, સાંભળ
પૂર્વે કુરચંદ નામે રાજા હતો. તે કરમતી નામે રાણી હતી. તેઓને હરિચંદ નામે કુમાર હતો. તે રાજા નાસ્તિકવાદી હતો. તે માનતો હતો કે, પરભવ સંક્રમ જેવું કંઈ નથી, સુકૃત કે દુષ્કૃતનું કોઈ ફળ નથી તે ઘણાં જીવોનો ઘાત કરતો, છરાની જેમ એકાંત ધારની જેમ વર્તતો, શીલરહિત અને વ્રતરહિત રહેતો હતો. તેને આ રીતે જીવતા ઘણો કાળ ગયો. મરણ કાળે અશાતા વેદનીયની બહુલતાથી નરકપ્રતિરૂપક પુદ્ગલ પરિણામો થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org