________________
૮૮
આગમ કથાનુયોગ-૧
પરોવો. વિષયભોગ આસક્તિ અહિતકારી છે. જીવિત અશાશ્વત છે.
ત્યારે મેં તેને કહ્યું, આ ગીતના શ્રવણનો વિલાપ શા માટે ? નૃત્યથી નયનને વિડંબણા કેમ ? કઈ રીતે દેહની વિભુષારૂપ આભુષણનો ભાર લાગે છે ? લોક સારભૂત. કામમાં રતિકરી દુઃખને વહન કરવાનું કઈ રીતે છે ? ત્યારે અસંભ્રાંત થઈને સ્વયંબુદ્ધ વિનવણી કરી. હે દેવ ! સાંભળો.
જ્યારે પવસિતપતિકા પતિને સ્મરણ કરતી, તેનો સમાગમ ઈચ્છતી પોતાના ભર્તાને ઈચ્છતી બંને રીતે દૂહિત થઈ વિલાપ કરે, નોકરો પણ સ્વામીની કૃપા નિમિત્તે જે વચનો બોલતા, નમનપૂર્વક પોતાને દાસ્યભાવે સ્થાપિત કરે તે વિલાપ, તે જ રીતે સ્ત્રી કે પરષ અન્યોન્ય સમાગમ અભિલાષથી જે કાંઈ મન-વચનથી ક્રિયાઓ કરે, ત્યારે કુશલજન – વિવિધ યોનિનિબદ્ધ – તેને ગીત કહે છે. તો વિચારો કે, હે સ્વામી! તમે કેમ વિલાપ પક્ષે વર્તો છો ?
હવે નૃત્ય સંબંધી વિડંબણા સાંભળો, જો કોઈ પુરુષ કે સ્ત્રી યક્ષાવિષ્ટ થઈને પરવશ થાય કે મદ્યપાન કરતો થાય. કાય વિક્ષેપ આદિ ક્રિયા કરવા લાગે. ગમે તેવા વચનો બોલવા લાગે તે વિડંબણા તે જ પ્રમાણે જે કોઈ પણ સ્ત્રી કે પુરુષ ઘણાં જ પરિતોષ નિમિત્તે નિયોજિત થઈ ધનપતિને કે વિદુષકજન નિબદ્ધ વિધિને અનુસરે અને જે રીતે હાથ, પગ, મસ્તક, નયન, હોઠ વગેરેનું સંચાલન કરે તે વિડંબણા કહેવાય.
પરમાર્થથી આભરણ પણ ભારરૂપ જ જાણવા જે સ્વામીના નિયોગથી મુગટ આદિ આભરણોને વહન કરે છે તે અવશ્ય તેને માટે પીડાજનક ભાર છે. વળી જે પરવિસ્મય નિમિત્તે તેવા જ યોગથી શરીર સ્થાનને સંનિવેસિત કરીને વહન કરે છે, તે તેને રાગને કારણે ભારરૂપ સમજતા નથી. તે જ રીતે જે પરિતોષનિમિત્તે રંગભૂમિના નેપથ્યથી સારી રીતે ભારનું વહન કરે છે, તે “મને કોઈ પરિશ્રમ થતો નથી” તેમ વિચારતો તે ભારને પણ ભાર માનતો નથી.
પરમાર્થથી કામભોગ પણ બે પ્રકારના છે – શબ્દ અને રૂપ. તેમાં શબ્દમાં મૂર્શિત એવા મૃગ શબ્દને સુખરૂપ માની મૂઢતાથી અપરિગણિત વિનિપાત રૂપ વધ, બંધ, મરણને પામે છે. તે જ રીતે સ્ત્રી કે પુરુષ શ્રોત્રેન્દ્રિયને વશ થઈને શબ્દના અનુપાતરૂપ સાધારણ શબ્દમાં મમત્વ બુદ્ધિથી તેના સંરક્ષણ હેતુથી પરસ્પર કલુષિત હૃદયથી દુષિત થાય છે. એ રીતે રાગદ્વેષથી પ્રતિત થઈ તેમાં રત બનીને તેના નિમિત્તે સંસારમાં દુઃખનું ભાજન બને છે. તે જ પ્રમાણે રૂપમાં આસક્ત, રૂપમાં મૂર્ણિત સાધારણ વિષયોમાં મમત્વ બુદ્ધિથી રૂપના રક્ષણમાં પરસ્પર પ્રહસિત થઈ સંક્લિષ્ટ ચિત્તે તે પાપકર્મને સંચિત કરે છે. તેના પ્રભાવથી સંસરમાણ એવા સંસારમાં દુઃખનું ભાજન થાય છે.
આ જ પ્રમાણે ભોગોમાં પણ ગંધ, રસ, સ્પર્શમાં મૂઢ બનેલો એવો તે બીજાથી પ્રહસિત થઈને મૂઢતાપૂર્વક કર્મો એકઠા કરે છે. ત્યાર પછી જાતિ, જરા, મરણની બહુલતાવાળા સંસારમાં ભમે છે.
તેથી કામભોગને દુઃખરૂપ ચિંતવવા, શ્રેયસ્કર છે. આ પ્રમાણે કહેતા સ્વયંબુદ્ધ મંત્રીએ મને જણાવ્યું. મારા હિતને જોતો હતો ત્યારે અહિતમાં મતિનું વહન કર્તા એવાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org