________________
૮૨
ભગવંતને અભિનંદે છે - સ્તવે છે.
તે સમયે કૌશલિક અર્હત્ ઋષભ હજારો નેત્રો વડે અનિમિષ પણે જોવાતા . યાવત્ – (ઉવવાઈ સૂત્રના વર્ણન અનુસાર) નીકળે છે. જ્યાં ગગનમંડળ જનસમૂહના કોલાહલ વડે વ્યાપ્ત હતું તે વિનીતાની રાજધાનીના મધ્ય ભાગ થકી નીકળી, સિદ્ધાર્થ નામના ઉદ્યાનમાં અશોક નામક વૃક્ષ નીચે આવે છે.
તે સમયે સિદ્ધાર્થવન નામક ઉદ્યાન તરફ જતો માર્ગ પાણીથી સીંચેલો હતો. સાફસ્વચ્છ કરાયેલ હતો. પુનઃ સુગંધિત જળનો છંટકાવ કરાયેલો હતો. પુષ્પોથી સજાવેલો હતો. જેના પર હાથી, ઘોડા, રથ અને પગેથી ચાલનારા લોકોને કારણે મંદ મંદ રજ ઉડી રહી હતી. આવા પ્રકારના માર્ગેથી થઈને જ્યાં સિદ્ધાર્થ વન હતું. અશોક નામે વૃક્ષ હતું ત્યાં આવે છે. પછી અશોકવૃક્ષની નીચે પાલખી (શિબિકા) સ્થાપન કરાવે છે. શિબિકામાંથી નીચે ઉતરે છે. પછી પોતાની જ મેળે પ્રભુ આભરણ-અલંકાર આદિ ઉતારે છે. પછી પોતાની જ મેળે ચાર મુષ્ટિ લોચ કરે છે. પ્રભુએ જ્યારે ચાર મુષ્ટિ લોચ કર્યો અને એક મુષ્ટિ કેશનો લોચ બાકી હતો ત્યારે તે એક મુષ્ટિ કેશલતા પ્રભુના સુવર્ણ સમાન કાંતિવાળા ખભા ઉપર લટકતી હતી ત્યારે સુવર્ણકળશ પર શોભતી નીલકમલની માળા જેવી મનોહર દેખાતી હતી. આ એક મુષ્ટિ કેશલતાને જોઈને હર્ષિત ચિત્તવાળા ઇન્દ્રએ પ્રભુને વિનંતી કરી કે, હે સ્વામી ! કૃપા કરી આટલા કેશ રહેવા દો. શક્રના પ્રાગ્રહથી પ્રભુએ તેટલા કેશ રહેવા દીધા. જુઓ- કલ્પસૂત્ર.મૂ.૨૧૧–વૃત્તિ
આગમ કથાનુયોગ–૧
ચાર મુષ્ટિ લોચ કર્યા બાદ અને નિર્જલ એવા છટ્ઠ તપ પૂર્વક ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ઉગ્ર–ભોગરાજન્ય અને ક્ષત્રિય કુળના ચાર હજાર પુરુષો (જેમાં કચ્છ અને મહાકચ્છ પણ હતા) સહિત, ફક્ત એક દેવદૂષ્ય ગ્રહણ કરીને, કેશ લોચ કરવારૂપ દ્રવ્યથી અને ક્રોધાદિ નિગ્રહરૂપ ભાવથી મંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરીને અનગારિક પ્રવજ્યા લીધી અર્થાત્ સાધુપણાને પામ્યા.
અહીં ચાર હજાર પુરુષ સાથે દીક્ષા લીધી તેમ કહ્યું. ભગવંતે ખરેખર તેઓને દીક્ષા આપી નથી. ચારે હજાર પુરુષોએ પોતાની જ મેળે પંચમુષ્ટિક કેશ લોચ કર્યો. સ્વયં પ્રતિજ્ઞા કરી કે જે રીતે ભગવંત કરશે તેમ અમે પણ કરીશું અર્થાત્ ભગવંતને અનુસરીશું. ૦ પ્રથમ ભિક્ષાચર અને અચેલકત્વ :
કૌશલિક અર્હત્ ઋષભદેવ એક વર્ષથી કંઈક અધિક સમય સુધી વસ્ત્રધારી રહ્યા બાદમાં તેઓ અચેલક થઈ ગયા.
અર્હત્ કૌશલિક ઋષભદેવ દીક્ષા લીધા પછી એક હજાર વર્ષ સુધી હંમેશાં કાયાની શુશ્રૂષાનો ત્યાગ કરી, દેહના મમત્વથી રહિત, પરીષહોને સહન કરતા રહ્યા. પરમઘોર અભિગ્રહોને ધારણ કરી, શરીરની માયા છોડી દઈને, આંખની પણ પ્રમાર્જના ન કરતા કે શરીરને પણ ન ખંજવાળતા પ્રભુએ દેવ આદિના કરેલા ઉપસર્ગોને સહન કરે છે. એ રીતે એક ગામથી બીજે ગામ વિચરણ કરી રહ્યા છે.
તે વખતે લોકો સમૃદ્ધ હતા. ભિક્ષા શું ? ભિક્ષાચર કેવા હોય ? તે હકીકત જાણતા ન હતા. જેઓએ પ્રભુની સાથે દીક્ષા લીધી હતી તેઓ ભિક્ષા ન મળવાથી ભૂખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org