________________
તીર્થંકર ચરિત્ર–ભઋષભકથા
લાખ પૂર્વ મહારાજા રૂપે રહ્યા. તે મહારાજા–પણામાં કળા-શિલ્પ-કર્માદિનો ઉપદે લોકહિતાર્થે આપ્યો. છેલ્લે પોતાનાં સો પુત્રોને સો રાજ્યો પર અભિષેક કર્યો. એ રી. વ્યાસી લાખ પૂર્વ ગૃહસ્થપણે પૂર્ણ કર્યા. દીક્ષા લેવાને તત્પર થયા. (છેલ્લા પૂર્વનું) એ વર્ષ બાકી રહ્યું ત્યારે લોકાંતિક દેવોએ પોતાનો શાશ્વત આચાર જાણી પ્રભુને દીક્ષા અવસર જણાવવા વિનંતી કરી. તીર્થંકર પરમાત્માને દીક્ષાનો અવસર જણાવવાનો તેમને કલ્પ હોવાથી બ્રહ્મલોક નિવાસી લોકાંતિક દેવોએ તેવા પ્રકારની વિશિષ્ટ ગુણવાળી, છા થાવત્ પ્રિય વાણી વડે પ્રભુને અભિનંદવા પૂર્વક સ્તુતિ કરતા કહ્યું કે, હે પ્રભુ! આપ જ પામો – જય પામો. હે ભગવન્! આપ બોધ પામો. હે લોકનાથ ! સકળ જગતના જીવો હિતકર એવું ધર્મતીર્થ પ્રવર્તાવો.
(* લોકાંતિક દેવ સંબંધિ વિશદ્ ચર્ચા ભમલ્લિ–કથાનકમાં જોવી)
ઋષભદેવે અવધિજ્ઞાન અને અવધિદર્શન વડે પોતાનો દીક્ષાકાળ જાણી વર્ષિદા આપ્યું – યાવત્ – પોતાના ગોત્રીયોને સુવર્ણાદિક ધન ભાગે પડતું વહેંચી આપી ગ્રામ્યધર્મ (ઇન્દ્રિય વિષયો) અને રાજ્યનો ત્યાગ કરીને પ્રભુ દીક્ષા લેવા નીકળ્યા.
જે આ ગ્રીષ્મ ઋતુનો પહેલો માસ, પહેલો પક્ષ અર્થાત્ ચૈત્ર માસનું કૃ પખવાડીયું, તેની આઠમી તિથિ અર્થાત્ ચૈત્ર વદ આઠમ (ગુજરાતી ફાગણ વદી આઠમ) દિવસે, દિવસના પાછલા પ્રહરે દીક્ષા લેવા નીકળ્યા. (અહીં જંબૂતીપ પ્રજ્ઞપ્તિમાં ‘ચિત્ત બહુલ નવમી પકખેણે લખ્યું છે. વૃત્તિકારે પણ “નવખ્યાસ્મિથે' લખ્યું છે. પછી આગળ સ્પષ્ટીકરણમાં નવા પલે' નોમને દિવસે એવું અર્થઘટન કરી પછી આઠમના દિવસનો ચોથો પ્રહર એવો ખુલાસો પણ આપેલ ૯ તે વાંચાનાંતર અથવા અથાતર જાણવું)
પ્રભુ દીક્ષા લેવા નીકળ્યા ત્યારે સુવર્ણનો ત્યાગ કરીને, હિરણ્ય, કોશ કોઠાગારનો ત્યાગ કરીને, સેના–વાહનનગર-અંતઃપુરનો ત્યાગ કરીને, વિપુલ ધસુવર્ણ, રત્ન, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાલ, માણેક તથા ઉત્તમ સારરૂપ દ્રવ્ય ત્યાગ કરીને તેમજ આ બધું સ્વજનો અને સંબંધીઓમાં વહેંચી દઈ દીક્ષા લેવા નીકળેલ
(* તીર્થકર અભિષેક માટે ભમલિ તથા ભ૦ મહાવીર કથાનક ખાસ જોવું).
તે સમયે (ચૈત્ર વદી આઠમના ચોથા પ્રહરે) સુદર્શના નામની પાલખીમાં રત્નજડિ સિંહાસન પર પૂર્વદિશા સન્મુખ બેસીને નીકળ્યા. તેની પાછળ-પાછળ દેવ, મનુષ્યો આ અસુરોની પરિષદ ચાલી રહી હતી. શંખવાદક, ચક્રધારી, હળધારી, મંગલવચન બોલનાર મંગલપાઠક, વધાઈગાનારા, કથક, દોરડા પર નાચનારા, ચિત્રપટ દેખાડનારા, ઘંટ વગાડનારા આદિ તેની સાથે ચાલી રહ્યા હતા. પોતાની ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનહર ઉદાર, કલ્યાણકર, શિવંકર, ધન્ય, માંગલિક, સશ્રીક, હૃદયંગમ, ગંભીર, કર્ણ અને મન સુખદ–અપુનરુક્ત સુંદર વાણી વડે અવિચ્છિન્નરૂપથી અભિનંદન અને સ્તુતિ કરાતા હતા કુલના વડિલો-સ્વજનો ઇત્યાદિ પ્રભુને કહે છે કે –
હે કલ્યાણકારક ! હે ભદ્રકારક ! તમે જય પામો – જય પામો. સંયમરૂપ ધર્મ તમે નિર્વિજનતા પામો. પરિષહો-ઉપસર્ગોથી ભયભીત ન થનારા તમે ભીષણ ભયોને લ ભાવે સહન કરનારા તમે ! તમારી ધર્મારાધના નિર્વેિદનપણે સંપન્ન થાઓ. એ પ્રકા
Jain
nternational
For Private & Personal Use Only
www.jainelibrary.org