________________
તીર્થકર ચરિત્ર–ભઋષભકથા
૦ શિલ્પ દ્વાર :
આહાર દ્વારા પૂર્ણ કરી આવશ્યક નિર્યુક્તિકાર શિલ્પ હારને જણાવે છે. પ્રભુએ પાંચ પ્રકારના મૂળ શિલ્પોની કળાનું શિક્ષણ આપ્યું :- ૧. કુંભારનું, ૨. લુહારનું, 3. ચિતારાનું, ૪. વણકરનું અને ૫. નાપિતનું. આ પાંચ મૂળ શિલ્પ કળાના પ્રત્યેકના વીસ-વીસ ભેદો થવાથી કુલ એક સો શિલ્પ પ્રગટ કર્યા.
(અહીં શિલ્પ અને કર્મનો મહત્ત્વનો ભેદ જણાવે છે–) આચાર્યના ઉપદેશ વિના ઉત્પન્ન થાય તે કર્મ. આચાર્યના ઉપદેશથી થાય તે શિલ્પ. પરમાત્માએ ઘડા વગેરે વાસણ બનાવવા શીખવ્યું તે કુંભારનું શિલ્પ, વસ્ત્રો બનાવવા માટે શીખવ્યું તે વણકર શિલ્પ ઇત્યાદિ પાંચ મુખ્ય ભેદે શિલ્પનું જ્ઞાન આપ્યું. તદુપરાંત કળાનું વિજ્ઞાન પણ પ્રજાના હિત માટે શીખવ્યું. ૦ કળાનો ઉપદેશ :
ઋષભદેવ પ્રભુએ પ્રજાના હિત માટે પુરુષોની બોંતેર કળા, સ્ત્રીઓની ચોસઠ કળા, ઉક્ત શિલ્પો તથા અસિ, મણિ, કૃષિ રૂપ કર્મોનું પરીષ્નાન કરાવ્યું.
-૦- પુરુષોની બોંતેર કળા :- ૧. લેખન, ૨. ગણિત, ૩. ગીત, ૪. નૃત્ય, ૫. વાદ્ય, ૬. પઠન, ૭. શિક્ષા, ૮. જ્યોતિષ, ૯. છંદ, ૧૦. અલંકાર, ૧૧. વ્યાકરણ, ૧૨. નિરુક્તિ, ૧૩. કાવ્ય, ૧૪. કાત્યાયન, ૧૫. નિઘંટું, ૧૬. ગજારોહણ, ૧૭. અશ્વારોહણ, ૧૮. હાથીઘોડા કેળવવા, ૧૯. શસ્ત્રાભ્યાસ, ૨૦. રસ, ૨૧. મંત્ર, ૨૨. યંત્ર, ૨૩. વિષ, ૨૪. ખણ્ય, ૨૫. ગંધવાદ, ૨૬. પ્રાકૃત, ૨૭. સંસ્કૃત, ૨૮. પૈશાચિક, ૨૯, અપભ્રંશ, ૩૦. સ્મૃતિ, ૩૧. પુરાણ, ૩૨. વિધિ-અનુષ્ઠાન, ૩૩. સિદ્ધાંત, ૩૪, તર્ક, ૩૫. વૈદ્યક, ૩૬. વેદ, ૩૭. આગમ, ૩૮. સંહિતા, ૩૯. ઇતિહાસ, ૪૦. સામુદ્રિક, ૪૧. વિજ્ઞાન, ૪ર. આચાર્ય વિદ્યા, ૪૩. રસાયણ, ૪૪. કપટ, ૪૫. વિદ્યાનુવાદ, ૪૬. દર્શન સંસ્કાર, ૪૭. ધૂર્તશંબલક, ૪૮. મણિકર્મ, ૪૯. તરુ ચિકિત્સા, ૫૦. ખેચરી કલા, ૫૧. અમરીકલા, ૫૨. ઇન્દ્રજાળ, ૫૩. પાતાલ સિદ્ધિ, ૫૪. યંત્રક, પપ. રસવતી, ૫૬. સર્વકરણી, ૫૭. પ્રાસાદ લક્ષણ, ૫૮. જુગાર, ૫૯. ચિત્રોપલ, ૬૦. લેપ, ૬૧. ચર્મકર્મ, ૬૨. પત્રચ્છેદ, ૬૩. નખચ્છેદ, ૬૪. પત્ર પરીક્ષા, ૬૫. વશીકરણ, ૬૬. કાષ્ઠ ધન, ૬૭. દેશભાષા, ૬૮. ગારુડ, ૬૯. યોગાંગ, ૭૦. ધાતુકર્મ, ૭૧. કેવલિવિધિ ૭૨. શકુનરુત.
(સમવાયાંગ–૭૨ (સૂત્ર–૧૫૦)માં કળાઓના નામમાં થોડો ભેદ છે. ૧–લેખ, ગણિત, રૂપ, નાટ્ય, ગીત, વાદ્ય, સ્વગત, પુષ્કગત, સમતાલ, ૧૦–દુત, જનવાદ સુરક્ષા અષ્ટાપદ દકમૃતિકા અન્નવિધિ, પાનવિધિ, વસ્ત્રવિધિ, શયનવિધિ, આર્યવિધિ ૨૦–પ્રહેલિકા માગધિકા, ગાથા, શ્લોક, ગંધયુતિ, મધુમિકથ, આભરણવિધિ, તરુણી, પ્રતિકર્મ, સ્ત્રીલક્ષણ, પુરુષલક્ષણ, ૩૦–અશ્વલક્ષણ, ગજલક્ષણ, બલોકેલ લક્ષણ, કુકર્કટ લક્ષણ, મેઢલક્ષણ, ચક્રલક્ષણ, છત્રલક્ષણ, દંડલક્ષણ, અસિલક્ષણ, મણિલક્ષણ, ૪૦–કાકણીલક્ષણ, ચર્મલક્ષણ, ચંદ્રચર્યા સૂર્યચર્યા, રાષ્ય ગ્રહચર્યા, સૌભાગ્ય કરણ, દૌભથ્થકરણ, વિદ્યાગત, મંત્રગત, ૫૦–રહસ્યગત, સમાસ, ચાર, પ્રતિચાર, બૃહ પ્રતિબૃહ, સ્કંધાવારમાન, નગરમાન, વાસ્તુમાન, સંધાવાર નિવેશ, ૬૦–વાસ્તુરિવેશ, નગરનિવેશ, અસ્ત્રવિદ્યા, અસિવિદ્યા, અશ્વશિક્ષા, હસ્તિશિક્ષા, ઘનુર્વેદ, હિરણ્યપાક, બાહુલ્ડ-મુષ્ટિ આદિ યુદ્ધ, સૂત્ર—નાલિકા–વર્ત આદિ ખેડ, ૭૦–પત્રચ્છેદ, સંજીવની વિદ્યા અને ૭ર–પક્ષીની બોલી આદિ જાણવા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org