________________
તીર્થકર ચરિત્રભઋષભકથા
આવ્યો. પ્રભુનો વિવાહ આરંભ્યો. વર–પક્ષ સંબંધિ સર્વ કાર્ય ઇન્દ્રએ પોતે અને દેવોએ કર્યું. કન્યાપક્ષ સંબંધિ બધાં કાર્ય દેવીઓએ કર્યા. પછી દેવ-દેવીઓ પોતાના સ્થાનમાં ગયા. એ રીતે સુનંદાસુમંગલા સાથે વિવાહ કરેલ પ્રભુને પણ ભોગ ભોગવતા છ લાખ પૂર્વ વ્યતીત થયા. ત્યારે અનુત્તર વિમાનથી ચ્યવીને આવેલ બાહુ અને પીઠના જીવ સુમંગલાની કુલિમાં ઉત્પન્ન થયા તેનું ભારત અને બ્રાહ્મી નામ પાડ્યું. સુબાહુ અને મહાપીઠના જીવ સુનંદાની કુશીમાં ઉત્પન્ન થયા. તેનું બાહુબલી અને સુંદરી નામ પાડ્યું. પછી સુમંગલાએ ક્રમશઃ ઓગણપચાશ (૪૯) પુત્ર યુગલોને જન્મ આપ્યો. એ રીતે એકસો ભાઈઓ અને બે બહેનો કાળક્રમથી મોટા થવા લાગ્યા. ૦ ડષભદેવનું પ્રથમ રાજાપણું :
(કુલકર વક્તવ્યતામાં જણાવ્યા મુજબ નાભિ કુલકર સુધીમાં હક્કાર, મક્કાર અને ધિક્કાર એ ત્રણ દંડનીતિ પ્રવર્તતી હતી) કાળક્રમે યુગલિકોના ક્રોધાદિ કષાય વધવા લાગ્યા. તેઓ ત્રણે દંડનીતિનું ઉલ્લંઘન કરવા લાગ્યા. અપરાધો વધવા લાગ્યા. યુગલિકોએ એકઠા થઈ પ્રભુને જ્ઞાનાદિ ગુણો વડે અધિક જાણીને તેમને બધી હકીકત જણાવી. ભગવંતે કહ્યું કે નીતિનું ઉલ્લંઘન કરનારનો રાજા દંડ કરે છે. આવો રાજા અમાત્યરક્ષક આદિથી સહિત હોય, તેનો રાજ્યાભિષેક કરાયેલો હોય, દંડનીતિ કઠોર હોય કે જેથી લોકોને યોગ્ય શિક્ષા થઈ શકે. ત્યારે તે યુગલિકોએ કહ્યું કે તમે જ અમારા રાજા થાઓ. પ્રભુએ ઉત્તર આપ્યો કે તમે નાભિ કુલકર પાસે જઈને રાજાની માગણી કરી. તેઓએ નાભિ કુલકરને નિવેદન કર્યું. નાભિએ કહ્યું કે આ ઋષભ તમારો રાજા થાઓ.
યુગલિકોએ ઋષભપ્રભુ પાસે જઈને તે હકીકત જણાવી. પછી પ્રભુનો રાજ્યાભિષેક કરવા માટે પાણી લેવા નીકળ્યા. પદ્મિની સરોવરે ગયા. તે વખતે શક્રેન્દ્રનું સિંહાસન કંપ્યું. અવધિજ્ઞાનના ઉપયોગથી શક્રેન્દ્રએ પ્રભુના રાજ્યાભિષેકની વાત જાણી. પ્રથમ તીર્થંકરના રાજ્યાભિષેકનો પોતાનો શાશ્વત આચાર જાણીને શક્રેન્દ્ર પરિવાર સહિત
ત્યાં આવ્યો. પછી સૌધર્મેન્દ્ર શુક્રએ સુવર્ણની વેદિકા બનાવી. તેના ઉપર સિંહાસન સ્થાપ્યું. દેવોએ લાવેલા તીર્થજળ વડે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી પ્રભુને દિવ્ય વસ્ત્રો પહેરાવ્યા. યથાયોગ્ય અંગો પર રત્નના અલંકારો પહેરાવી પ્રભુને વિભૂષિત કર્યા, મસ્તકે મુગટ પહેરાવી પ્રભુનો રાજ્યાભિષેક કર્યો.
તે સમયે યુગલિકો કમળના પત્રમાં જળ લઈને આવ્યા. તેઓએ પ્રભુને દિવ્ય વસ્ત્રો અને અલંકારોથી શોભતા અને સિંહાસન પર બેઠેલા જોઈ વિસ્મય પામ્યા. દિવ્ય વસ્ત્રો અને આભુષણોથી અલંકૃત્ થયેલા સ્વામીના મસ્તક પર જળ નાંખવું યોગ્ય નથી એમ વિચારતા વ્યાકુળ ચિત્તવાળા થઈ ક્ષણવાર માટે ઊભા રહી ગયા. પછી પ્રભુના ચરણમાં તે જળનો ક્ષેપ કર્યો. તે જોઈ સંતુષ્ટ થયેલા ઇન્દ્ર વિચાર્યું કે ખરેખર ! આ મનુષ્યો. વિનીત છે. એવું વિચારી શક્ર એ વૈશ્રમણ યક્ષરાજને આજ્ઞા કરી કે અહીં બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી એવી વિનીતા નામની નગરી બનાવો. તે દેવોએ શક્રેન્દ્રની આજ્ઞા અનુસાર બાર યોજન લાંબી અને નવયોજન પહોળી એવી રત્ન અને સુવર્ણમય હવેલીઓની પંક્તિથી તથા ફરતા કિલ્લાવાળી એવી સુશોભિત વિનીતા નગરી વસાવી. તે નગરીનું બીજું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org