SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬. આગમ કથાનુયોગ-૧ બાળભાવમાં જ્યારે ભૂખ કે તરસ લાગે છે ત્યારે સ્તનનો ઉપયોગ કરતા નથી અર્થાત્ માતાનું દૂધ પીતા નથી, પરંતુ પોતાના જ અંગુઠાને મુખમાં નાખે છે. તે અંગુઠામાં દેવોએ વિવિધ રસયુક્ત અને મનને અનુકૂળ એવા અમૃતને સંક્રમાવેલ હોય છે, જેના વડે તેની ભૂખ-તરસ શાંત થાય છે. જ્યારે તે બાલ્યાવસ્થાને પાર કરે છે ત્યારે અન્ય તીર્થકરો રાંધેલ (અગ્નિથી પકાવાયેલ) આહાર કરે છે. પણ ઋષભદેવ ભગવંતે તો દીક્ષા લીધી ત્યાં સુધી દેવો દ્વારા લેવાયેલ ઉત્તર કુરુક્ષેત્રના કલ્પવૃક્ષોના ફળોનું જ ભોજન કરેલ હતું. ૦ વંશ સ્થાપના : હવે ઇષભદેવ પ્રભુની ઉંમર એક વર્ષથી કંઈક ઓછી હતી ત્યારે શક્રને વિચાર થયો કે – અતીત વર્તમાન અને ભાવિ દેવેન્દ્ર શુક્રનો એવો આચાર છે કે પ્રથમ તીર્થંકરના વંશની સ્થાપના કરવી જોઈએ. ત્યારે લોકોથી પરિવરેલ એવા શક્ર ત્યાં આવે છે. પણ સ્વામી પાસે ખાલી હાથે કેમ જવાય ?" એમ વિચારી એક મોટી ઇક્ષયષ્ટિ (શેરડીનો સાંઠો) લઈને આવ્યો. નાભિ કુલકરના ખોળામાં બેઠેલા પ્રભુએ ઇક્ષયષ્ટિ પર દૃષ્ટિપાત કર્યો (હર્ષિત વદનવાળા પ્રભુએ હાથ લંબાવ્યા) ત્યારે શક્ર ઇન્ડે પ્રભુના ભાવને જાણીને પ્રણામ કરવા પૂર્વક પૂછયું કે, આપ ઇશુ–શેરડી ખાશો ? ત્યારે સ્વામીએ હર્ષિત થઈ હાથ લંબાવ્યો, ત્યારે “પ્રભુને ઇશુ–શેરડીનો અભિલાષ થવાથી” તેમનો વંશ ઇત્ત્વાકુ થાઓ. તેમના પૂર્વજો પણ ઇલુરસ પીતા હતા. તેથી તેમનું ગોત્ર “કાશ્યપ" નામનું થાઓ, એ રીતે શક્રઇન્દ્ર વંશની સ્થાપના કરીને ગયો. ૦ વિવાહ પરંપરા : (ઋષભદેવના કાળે યુગલિક પરંપરા હતી. એક માતાના ઉદરમાંથી એક સાથે બાળક-બાલિકાનો જન્મ થતો હતો. તે નર-નારીનું યુગલ જ પતિ-પત્નીરૂપે જીવન પસાર કરતું હતું) અહીં ભગવંત ઋષભ પણ સુમંગલા સાથે સુખપૂર્વક વિચારતા હતા અને વૃદ્ધિ પામતા હતા. તે કાળે – તે સમયે કોઈ એક યુગલે એક યુગલ (જોડલા)ને જન્મ આપેલ. તે માતા-પિતા યુગલ એ બાળ યુગલને તાડવૃક્ષ નીચે મૂકી ક્રીડા કરવાને કોઈ કદલીગૃહમાં ગયેલા હતા. તે સમયે તાલવૃક્ષથી પાકી ગયેલ કોઈ તાલફળ વાયુના પ્રહારથી તે બાળક ઉપર પડ્યું. તે બાળક અકાળે જ મૃત્યુ પામ્યો. આ અકાળમરણ પહેલી જ વાર થયું. ત્યારે તે માતા-પિતારૂપ યુગલ તે બાલિકાને એકલીને ઉછેરવા લાગ્યા. તેનું નામ સુનંદા પાડેલ. થોડા કાળ પછી તે યુગલ મરણ પામ્યું. સુનંદા અતિ સ્વરૂપવાનું દેવકન્યા જેવી થઈ. વનદેવીની માફક તેણી વનમાં એકલી ભમ્યા કરતી હતી. તેણીને એકલી જોઈને કેટલાંક પુરુષો તેને નાભિ કુલકર પાસે લાવ્યા. ત્યારે નાભિ કુલકરે તે કન્યાને પોતાની પાસે રાખીને કહ્યું કે આ સુંદર કન્યા ઋષભની પત્ની થશે. સુનંદા અને સુમંગલા બંને કન્યાની સાથે મોટા થતાં ઋષભ પણ યૌવનવયને પામ્યા. પૂર્વના જાતિસ્મરણવાળા અને ત્રણ જ્ઞાનયુક્ત પ્રભુ બાળભાવ છોડીને યુવાન થયા ત્યારે શકને આવા પ્રકારનો વિચાર આવ્યો અતીત, વર્તમાન, અનાગત શક્રનો એવો આચાર છે કે પ્રથમ તીર્થંકરનો વિવાહ મહોત્સવ કરવો જોઈએ. શીઘ તે શક્ર કરોડો દેવ-દેવીઓથી પરિવરેલો એવો પ્રભુ પાસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy