________________
૭૪
આગમ કથાનુયોગ-૧
તીર્થકર ભગવંતનું જન્મનગર હતું, જ્યાં જન્મભવન હતું, જ્યાં તીર્થંકરના માતા હતા ત્યાં પહોંચે છે. પછી તીર્થકર ભગવંતને માતાની પાસે રાખે છે, તીર્થંકરની પ્રતિકૃતિનું પ્રતિસંહરણ કરે છે, માતાને આપેલ અવસ્થાપિની નિદ્રા પાછી લઈ લે છે. પછી એક મહામૂલ્યવાનું સૌમયુગલ (એક પ્રકારના વસ્ત્રો અને બે કુંડલને તીર્થકર ભગવંતના ઓશીકા પાસે રાખે છે. તપનીય સુવર્ણના ઝૂમખાંવાળું, સોનાના પતરાનું બનેલ, અનેક પ્રકારના મણિરત્નો અને નાની-નાની માળાઓથી સુશોભિત સુંદર કુંભ સદશ એક શ્રીદામચંડ તીર્થકર ભગવંતની ઉપર ચંદરવામાં લટકાવે છે. સુખપૂર્વક એવા અને આનંદથી રમતા તીર્થકર ભગવંતને અનિમેષ દૃષ્ટિએ જોતા-જોતા તે ઊભો રહ્યો.
- ત્યાર પછી તે દેવેન્દ્ર દેવરાજ શકે વૈશ્રમણ દેવોને બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય! બત્રીસ કરોડ હિરણ્ય, બત્રીસ કરોડ સુવર્ણ, સુભગ, સુંદર રૂપ અને લાવણ્ય યુક્ત બત્રીશ નંદાસણ, બત્રીસ ભદ્રાસન ભગવંતના જન્મભવનમાં યથાસ્થાને જલદીથી સજાવટ સાથે સ્થાપિત કરો. એમ કર્યા પછી મને તુરંત જણાવો. તે વૈશ્રમણ દેવે શક્રના આજ્ઞા વચનોને સવિનય સ્વીકારી જંભક દેવોને બોલાવ્યા. તેઓને કહ્યું કે, હે દેવાનુપ્રિય! તમે જલ્દીથી બત્રીશ કોડી હિરણ્ય આદિને તીર્થકર ભગવંતના જન્મભવનમાં સ્થાપન કરો અને મને તે કાર્ય થયાની જાણ કરો.
ત્યારે તે વૈશ્રમણદેવની આજ્ઞા સાંભળી હર્ષિત અને સંતુષ્ટ થયેલા તે જંભક દેવે બત્રીશ કોડી હિરણ્ય આદિ ભગવંતના જન્મભવનમાં મૂક્યા. કાર્ય થયાની સૂચના આપી. વૈશ્રમણદેવે તે વાત શક્રેન્દ્રને જણાવી.
- ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શક્ર એ આભિયોગિક દેવોને બોલાવીને કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી તમે તીર્થકર ભગવંતના જન્મનગરના શૃંગાટક – યાવત્ – રાજમાર્ગમાં જઈને ઉચ્ચ સ્વરે ઘોષણા કરો કે, હે અનેકાનેક ભવનપતિ, વાણવંતર,
જ્યોતિષ્ક, વૈમાનિક દેવ-દેવીઓ ! સાંભળો, હે દેવાનુપ્રિયો ! જે કોઈ તીર્થંકર કે તીર્થંકરની માતાને માટે મનમાં અશુભ ચિંતવશે તેના મસ્તકના અર્જક વૃક્ષની મંજરીની પેઠે સો-સો ટુકડા થઈ જશે. આ પ્રમાણે ઘોષણા કરી મને તે સમાચાર જણાવો.
ત્યારે તે આભિયોગિક દેવોએ – “જેવી આપની આજ્ઞા” એમ વિનયપૂર્વક તે આજ્ઞાને સ્વીકારી, દેવેન્દ્ર દેવરાજ શક્ર પાસેથી નીકળી, તુરંત જ ભગવંતના જન્મનગરના શૃંગાટક આદિમાં “તું” ઘોષણા કરી. ઘોષણા કર્યા બાદ શક્રેન્દ્રને તે વાત જણાવી.
ત્યાર પછી તે અનેકાનેક ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવો તીર્થકર ભગવંતનો જન્મ મહોત્સવ કરે છે. કરીને નંદીશ્વર હીપે આવે છે. ત્યાં પણ અષ્ટાલિકા મહોત્સવ કરે છે. પછી તેઓ જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ફરે છે. વિશેષ એટલે કે દેવેન્દ્ર શુક્ર નંદીશ્વરવીપના પૂર્વીય અંજનક પર્વત અષ્ટાલિકા મહોત્સવ કરે છે. તેના ચાર લોકપાલો, ચાર દધિમુખ પર્વત પર, ઇશાનેન્દ્ર ઉત્તરીય અંજનગ પર્વત પર, તેના લોકપાલો ચાર અંજનક પર્વત પર, અમરેન્દ્ર દક્ષિણીય અંજનક પર્વત પર, બલીન્દ્ર પશ્ચિમના અંજનક પર્વત પર, તેઓના લોકપાલો દધિમુખ પર્વત પર અષ્ટાલિકા મહોત્સવ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org