SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર ચરિત્ર–ભઋષભકથા ૭૩ રાગદ્વેષ રહિત, મમત્વરહિત, નિસ્ટંગ, નિઃશલ્ય, માનમર્ધક, ગુણરત્નોના ભંડાર, શીલસાગર, અનંત અપ્રમેય ભવ્ય ધર્મરાજ્યના સાર્વભૌમ ચક્રવર્તી ! આપને મારા નમસ્કાર થાઓ. “અરિહંતોને નમસ્કાર થાઓ' એમ કહી તેણે (ઋષભપ્રભુને) વંદના–નમસ્કાર કર્યા, પછી અતિ નિકટ કે અતિ દૂર નહીં તેવા યથોચિત સ્થાને ઊભા રહીને સુશ્રુષા – યાવત્ - પર્યપાસના કરે છે. –૦- ઇશાન આદિ ઇન્દ્રો કૃતુ જન્માભિષેક : જે રીતે અચ્યતેન્દ્રએ અભિષેક કર્યો તે જ રીતે પ્રાણત આદિ ઇન્દોએ પણ (ઋષભ પ્રભુનો) જન્માભિષેક કર્યો. વિશેષ એ કે જેનો જે પરિવાર હોય તે પરિવાર તેના–તેના ઇન્દ્ર સાથે સમજી લેવો – યાવત્ – ઇશાનેન્દ્રએ કરેલ જન્માભિષેક પર્યત સર્વ ઇન્દ્રો દ્વારા પ્રભુનો જન્માભિષેક થયો. એ જ રીતે ભવનપતિ, વ્યંતર અને સૂર્યઇન્દ્ર પર્યંત શક્ર સિવાયના પ્રત્યેકે – પ્રત્યેકે સપરિવાર જન્માભિષેક કર્યો. તે સમયે તે દેવેન્દ્ર દેવરાજ ઇશાનેન્દ્રએ પાંચ ઇશાનેન્દ્રોની વિકુર્વણા કરી, એક ઇશાનેન્દ્રએ તીર્થકર ભગવંતને પોતાની બંને હથેલીમાં ગ્રહણ કર્યા, લઈને પૂર્વ દિશા પ્રતિ મુખ રાખીને સિંહાસન પર બેઠો. એક ઇશાનેન્દ્ર પાછળ છત્ર લઈને ઊભો. બે ઇશાનેન્દ્ર ચામર ઢોળતા બંને પડખે ઊભા રહ્યા. એક ઇશાનેન્દ્ર હાથમાં શૂળ લઈ સામે ઊભો. –૦- શક્ર ઇન્દ્ર દ્વારા કરાયેલ જન્માભિષેક : પછી દેવેન્દ્ર દેવરાજ શક્ર એ આભિયોગિક દેવોને બોલાવ્યા. બોલાવી અય્યતેન્દ્રની માફક અભિષેક સામગ્રી લાવવાની આજ્ઞા આપી. તે દેવો પણ પૂર્વ વર્ણિત રીતે બધી સામગ્રી લાવ્યા. પછી દેવેન્દ્ર દેવરાજ શક્ર તીર્થકર ભગવંતની ચારે દિશાઓમાં ચાર શ્વેત વૃષભોની વિદુર્વણા કરે છે. તે વૃષભો શંખદળ સર્કશ વિમળ, દહીં સમાન નિર્મળ, ગાયની દૂધના ફીણ અને ચાંદીના ઢેર જેવા પ્રકાશમાન શ્વેત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને સુંદર હતા. એ ચારે શ્વેત વૃષભોના આઠ સીંગડામાંથી જલધારાઓ નીકળતી હતી. આ આઠે જલધારા ઊંચે આકાશમાં ઉછળતી હતી. ત્યાં એકત્રિત થઈને તે તીર્થકર ભગવંતના મસ્તક પર પડતી હતી. તે સમયે તે દેવેન્દ્ર દેવરાજ શક્ર પોતાના ચોર્યાશી હજાર સામાનિક દેવો સાથે (અય્યતેન્દ્રની પેઠે) અભિષેક કાર્ય સંપન્ન કરી – યાવત્ – વંદના નમસ્કાર કરી – થાવત્ – પÚપાસના કરે છે. પછી દેવેન્દ્ર દેવરાજ શક્ર પાંચ શક્રોની વિકુર્વણા કરીને, એક શક્ર તીર્થકર ભગવંતને પોતાના કરસંપુટમાં ગ્રહણ કરે છે, એક શક્ર પાછળ ઊભો રહી છત્રને ધારણ કરે છે, બે શક્રો આસપાસ ઊભા રહી ચામર ઢોળે છે. એક શક્ર હાથમાં વજ લઈ આગળ ઊભો રહે છે. ત્યાર પછી તે શક્ર ચોર્યાશી હજાર સામાનિક દેવો – યાવત્ – બીજા ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવ-દેવીઓથી ઘેરાયેલો પોતાની પૂર્ણ ઋદ્ધિ સાથે – થાવત્ – વાદ્યોના નિર્દોષપૂર્વક પોતાની ઉત્કૃષ્ટ દિવ્ય દેવગતિથી ચાલતા-ચાલતો જ્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy