________________
૭૨
આગમ કથાનુયોગ-૧
દેવો ઉત્પતન-નિપતન, નિપતન-ઉત્પતન, સંકુચિત–પ્રસારિત – યાવત્ – ભ્રાંત-સંભ્રાંત નામક નાટ્યવિધીઓનું પ્રદર્શન કરતા હતા.
કેટલાંક દેવ તાંડવ નૃત્ય કરતા હતા. કેટલાંક લીલા કરતા હતા. કેટલાંકે હર્ષોલ્લાસ સહ ગર્જના કરી, કેટલાકે તાલ બજાવી ફટુ ફટ્ટ ધ્વનિ કર્યો, કેટલાંક પરસ્પર ગળે મળ્યા - સિંહનાદ કર્યો, કેટલાંકે આ બધું કર્યું.
કેટલાંક દેવો ઘોડાની જેમ હણહણતા હતા. એ જ રીતે – હાથીની જેમ ચિંઘાડતા હતા, રથ જેવી ઘનઘનાહટ કરતા હતા. કેટલાંક આ ત્રણે કરતા હતા. કેટલાંક સામે કે પાછળથી ઉછળતા હતા. કેટલાંક ચપટી વગાડતા હતા, કોઈ જમીન પર પગ પછાડતા હતા. કોઈ જોરજોરથી અવાજો કરતા હતા. એ પ્રમાણે બધું સમજી લેવું. કેટલાંક દેવ હા– હુ કરતા હતા. એ પ્રમાણે ફૂત્કાર, થા-થા અવાજ, નીચે આવવું – ઉપર ઉછળવું, ઘુમવું, જલવું, તપવું, ધગધગવું, ગર્જવું, વિજળીની જેમ ચમકવું વગેરે કરતા હતા. કેટલાંક દેવોને એક લાઈનમાં ઊભા કરતા હતા – કહકાટ કે દુહદુહાટ કરતા હતા. કેટલાંક અનેક રૂપોની વિદુર્વણા કરતા નાચતા હતા. એ પ્રમાણે શેષ વર્ણન “વિજયદેવ” અનુસાર સમજી લેવું – થાવત્ – ચારે તરફ સર્વત્ર ભાગ-દૌડ મચેલી હતી.
તે સમયે સપરિવાર અચ્યતેન્દ્ર મહાનું અભિષેક દ્વારા પ્રભુને અભિષેક કરે છે. પછી બે હાથ વડે અંજલિ કરીને – યાવત્ – નતમસ્તક થઈ નમસ્કાર કરીને જય-વિજય શબ્દોથી પ્રભુને વધાવે છે. પછી ઇષ્ટ આદિ વાણી વડે જય જયકાર કરીને – યાવતું – કમળ જેવા સુકોમળ, સુગંધિત, ગંધ કાષાયિક વસ્ત્રથી પરમાત્માનું શરીર લુછે છે. પછી શરીરને કલ્પવૃક્ષ સંદેશ અલંકૃત અને વિભૂષિત કરે છે - યાવતુ – નાટ્ય પ્રયોગ દેખાડે છે. પછી સ્વચ્છ, સ્નિગ્ધ, રજતમય સરસ સુંદર અક્ષત વડે ભગવંત સન્મુખ આઠ-આઠ મંગલોનું આલેખન કરે છે. આ મંગલક છે – ૧. દર્પણ, ૨. ભદ્રાસન, ૩. વર્ધમાન, ૪. કળશ, ૫. મત્સ્ય યુગલ, ૬. શ્રીવત્સ, ૭. સ્વસ્તિક અને ૮. નંદાવર્ત.
' અષ્ટમંગલનું આલેખન કરીને તે ભગવંતની પૂજા (ઉપચાર) કરે છે. કઈ રીતે ? પાટલ, મલિક, ચંપક, અશોક, પુત્રાગ, આમ્રમંજરી, નવલિકા, બકુલ, તિલક, કણેર, કુંદ, કુબ્બક, ટોરંટક પત્ર, દમનક પુષ્પોની શ્રેષ્ઠ સુગંધથી વાસિત અને હાથમાંથી નીચે પડતા પુષ્પોનો ત્યાગ કરીને, તે રંગબેરંગી એવા પંચરંગી પુષ્પોથી ઘુંટણ પ્રમાણ ઢગલાની રચના કરે છે પછી ચંદ્રકાંત કર્યેતનાદિ રત્ન, વજ-વૈડુર્યમણિથી નિર્મિત વિમલદંડ વાળી સુવર્ણ મણિરત્ન આદિથી રચિત વિવિધ ચિત્રોથી યુક્ત, કૃષ્ણાગરૂ, કંદરક, તુરષ્ક જેવી ઉત્તમ સુગંધવાળી ધૂપોની સુગંધની લહેરને ફેલાવનારી ધૂપદાનીથી ધૂપક્ષેપ કરે છે. પછી ઋષભજિનેન્દ્રથી સાત-આઠ ડગલાં દૂર જઈને દશે આંગળી પરસ્પર ભેગી કરી મસ્તકે અંજલિ કરી વિશુદ્ધ પાઠવાળી–ઉત્તમ છંદોથી રચિત અર્થસમૃદ્ધ અને અપુનરુક્ત એવી ૧૦૮ સ્તુતિ કરે છે.
- સ્તુતિ કર્યા બાદ ડાબા ઘૂંટણને વાળીને ઊંચો કરે છે. જમણો ઘૂંટણ જમીન ઉપર સ્થાપે છે – યાવત્ – બંને હાથ જોડી મસ્તકે અંજલિ કરી કહ્યું કે, હે સિદ્ધ, બુદ્ધ, નીરજ, શ્રમણ, સમાધિયુક્ત, સમત્ત (અવિસંવાદિ વચનવાળા) સમયોગી, શલ્ય રહિત, નિર્ભય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org