________________
તીર્થકર ચરિત્ર–ભsષભકથા
૬૯
કર્તા દેવ) સર્વતોભદ્ર હતા.
(૧) સૌધર્મ, (૩) સનસ્કુમાર, (૫) બ્રહ્મલોક, (૭) મહાશુક્ર અને (૯-૧૦) આનત-પ્રાણતના ઇન્દ્રોને ત્યાં સુઘોષા નામની ઘંટા હતી, પદાતિ સેનાપતિ હરિશૈગમેષી હતા, બહાર નીકળવાનો માર્ગ ઉત્તર દિશા હતો, રતિકર પર્વતના અગ્નિ ખૂણામાં વિમાન લઈ ગયેલા. જ્યારે (૨) ઇશાન, (૪) માહેન્દ્ર, (૬) લાંતક, (૮) સહસ્ત્રાર, (૧૧–૧૨). આરણ અય્યત કલ્પના ઇન્દ્રોને ત્યાં મહાઘોષા નામની ઘંટા હતી, પદાતિ સેનાપતિ લઘુ પરાક્રમ નામે હતા, બહાર નિકળવાનો માર્ગ દક્ષિણ દિશા હતો. રતિકર પર્વતના ઇશાન ખૂણામાં વિમાન લઈ ગયેલા.
આ સિવાય પર્ષદામાં આત્મરક્ષક દેવોની સંખ્યા તેમના–તેમના સામાનિક દેવોની સંખ્યા કરતા ચાર ગણી સમજવી. બધાં જ ઇન્દ્રોના યાનવિમાનોનો વિસ્તાર એક લાખ યોજનનો અને ઊંચાઈ પોતપોતાના વિમાન પ્રમાણ જાણવી. બધાંનો ઇન્દ્રધ્વજ ૧૦૦૦ યોજન ઊંચો હતો. શક્રેન્દ્ર સિવાયના બાકીના ઇન્દ્રો મેરુ પર્વત પર ઉતરીને – યાવત્ – પર્યુપાસના કરે છે. -૦- અસુરેન્દ્ર ચમરનું આગમન :
તે કાળ તે સમયે અસુરેન્દ્ર અસુરરાજ ચમર પોતાની ચમચંચા નામક રાજધાનીમાં સુધર્મા નામક સભામાં ચમરનામક સિંહાસન પર ૬૪,૦૦૦ સામાનિક દેવો, ચાર લોકપાલ, સપરિવાર પાંચ પટ્ટરાણી, ત્રણ પર્ષદા, સાત સેના, સાત સેનાધિપતિ, ૨,૫૬,૦૦૦ આત્મરક્ષક દેવો – યાવત્ – શક્રની જેમ બિરાજમાન હતો. ફર્ક માત્ર એટલો કે તેના પદાતિ સેનાધિપતિનું નામ ડ્રમ, ઘંટાનું નામ ઓઘસ્વરા, વિમાનનો વિસ્તાર ૫૦,૦૦૦ યોજન, ઇન્દ્રધ્વજની ઊંચાઈ ૫૦૦ યોજન, વિમાનનિર્માતા આભિયોગિક દેવ. શેષ વર્ણન શક્રેન્દ્ર મુજબ જાણવું – યાવત્ – મેરુ પર્વત ઉપર આવીને પર્યપાસના કરે છે. –૦- બલી આદિ અન્ય અસુરેન્દ્રનું આગમન :
તે કાળ તે સમયે બલી નામક અસુરેન્દ્ર અસુરરાજ પણ ચમરેન્દ્રની માફક જ આવ્યો. ફર્ક માત્ર એટલો કે તેના ૬૦,૦૦૦ સામાનિક દેવ હતા. ૨,૪૦,૦૦૦ તેના આત્મરક્ષક દેવો હતા. પદાતિ સેનાધિપતિનું નામ મહાદ્રુમ હતું. ઘંટાનું નામ મહા ઓઘસ્વરા હતું. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું.
તે કાળ તે સમયે ઘરણ નામક અસુરેન્દ્ર પણ આવ્યો. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું. વિશેષ એટલે કે તેના સામાનિક દેવ ૬૦૦૦, છ પટ્ટરાણી, ૨૪,૦૦૦ સામાનિક દેવ, મેઘસ્વરા નામક ઘંટા, પદાતિ સેનાધિપતિ ભદ્રસેન, વિમાનનો વિસ્તાર ૨૫,૦૦૦ યોજન, ઇન્દ્રધ્વજ ૨૫૦ યોજન ઊંચો હતો.
આ પ્રકારે અસુરેન્દ્ર સિવાયના બધાં ભવનવાસી ઇન્દ્રો વિશે સમજવું. વિશેષ એટલું કે, ૧. અસુરકુમારોની ઘંટા ઓઘસ્વર, ૨. નાગકુમારોની ઘંટા મેઘસ્વરા, ૩. સુવર્ણકુમારોની ઘંટા હંસસ્વરા, ૪. વિદ્યુતકુમારોની ઘંટા ક્રૌંચસ્વરા, ૫. અગ્રિકુમારોની મંજુસ્વરા, ૬. દિકકુમારોની મંજુઘોષા, ૭. ઉદધિકુમારોની સુસ્વરા, ૮. દ્વીપકુમારોની મધુરસ્વરા, ૯. વાયુકમારોની નંદિ સ્વરા અને ૧૦. સ્વનિતકુમારોના ઇન્દ્રની ઘંટા નંદિઘોષા નામની હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org