________________
તીર્થંકર ચરિત્ર-ભત્રઋષભકથા
૬૭
બાકીના દેવ-દેવીઓ દક્ષિણ દિશાવર્તી ત્રણ સોપાનોથી ચઢી – યાવત્ – પૂર્વવત્ બેઠા.
ત્યારે તે શક્રના તે વિમાનમાં ચઢવાની સાથે આઠ-આઠ મંગલમ યથાક્રમે આગળ ચાલ્યા. ત્યાર પછી પૂર્ણ કલશ, ભૂગારક, ચામર સહિત દિવ્ય છત્ર પતાકા અને ફરકવાને ારણે દર્શનીય તથા મોહક, આકાશની ઊંચાઈને સ્પર્શતી (અતિ ઊંચી) અને વાયુથી લહેરાતી એવી વિજય વૈજયંતી પતાકા અનુક્રમે આગળ ચાલી, પછી છત્ર અને ઝારી ચાલ્યા. પછી અનુક્રમે વજરત્નથી બનેલ ગોળ, સુંદર, સુસ્થિત, સુશ્લિષ્ટ, પરિમાર્જિત, રમણીય, સુપ્રતિષ્ઠિત, વિશિષ્ટ હજારો પંચરંગી નાની-નાની ધ્વજાઓથી સજાવાયેલ નયનરમ્ય, હવાથી ફરકતી વિજય વૈજયંતીવાળી પતાકાઓથી યુક્ત છત્રાતિછત્રોયુક્ત ગગનતલના શિખરને સ્પર્શે તેવો ઊંચો, હજાર યોજનનો મહાન ઇંદ્રધ્વજ આગળ ચાલ્યો.
તેની પાછળ પોતપોતાનો અનુરૂપ વેશ પહેરેલા સુસજ્જિત અને સર્વ અલંકારોથી વિભૂષિત પાંચ સેના અને પાંચ સેનાપતિ ચાલ્યા. પછી અનેક આભિયોગિક દેવ-દેવીઓ પોતપોતાના રૂપ – યાવત્ – નિયોગોથી દેવેન્દ્ર દેવરાજ શક્રની આગળ-પાછળ આજુબાજુ ચાલવા લાગ્યા. પછી સૌધર્મકલ્પવાસી અનેક દેવ-દેવીઓ પોતપોતાની સમસ્ત ઋદ્ધિ વૈભવ આદિ સાથે વિમાનોમાં આરૂઢ થઈને આગળ-પાછળ ઇત્યાદિ ચાલ્યા.
ત્યારે તે શક્ર પાંચ પ્રકારની સેનાઓથી ઘેરાયેલો – યાવત્ – જેની આગળ આગળ ઇન્દ્રધ્વજ ચાલતો હતો, જે ચોર્યાશી હજાર સામાનિક દેવોથી પરિવૃત્ત હતો; સમગ્ર ઋદ્ધિ – કાવત્ – ધ્વનિ સાથે સૌધર્મકલ્પની બરાબર મધ્યમાં થઈને પોતાની તે દિવ્યઋદ્ધિનું પ્રદર્શન કરતો, સૌધર્મકલ્પની બહાર જવાના ઉત્તર દિશાવર્તી માર્ગ પાસે આવ્યો. ત્યાં આવી એક લાખ યોજન પ્રમાણવાળી ઉત્કૃષ્ટ દેવગતિથી ગમન કરતો તિછલોક સંબંધિ અસંખ્યાત દ્વીપસમુદ્રની મધ્યમાં થઈને નંદીશ્વર દ્વીપના અગ્નિખૂણામાં રતિકર પર્વત પાસે આવ્યો. આગળનું વર્ણન સૂર્યાભદેવ અનુસાર જાણવું.
- ફર્ક માત્ર એ કે સૂર્યાભદેવને સ્થાને શક્રેન્દ્ર નામ સમજવું. દિવ્ય દેવદ્ધિ – થાવત્ – દિવ્યયાન વિમાનનું પ્રતિસંહરણ-સંકોચન કરીને – યાવત્ – જ્યાં તીર્થંકર ભગવંતનું જન્મનગર છે, તેમાં જ્યાં જન્મભવન છે, ત્યાં આવીને તે દિવ્ય યાનવિમાન દ્વારા તીર્થકર ભગવંતના જન્મભવનને ત્રણ વખત પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને તીર્થકર ભગવંતના જન્મભવનથી ઇશાન ખૂણામાં જમીનથી ચાર આંગળ ઊંચે તે દિવ્ય ચાનવિમાનને ઊભું રાખે છે. પછી આઠ પટ્ટરાણીઓ, બે સેના, નર્તકવંદ, ગંધર્વવંદની સાથે તે દિવ્ય યાનવિમાનમાંથી પૂર્વ દિશાવર્તી ત્રણ સોપાનોથી નીચે ઉતરે છે. પછી તેના ચોર્યાશી હજાર સામાનિક દેવો તે દિવ્ય વિમાનના ઉત્તર દિશાવર્તી ત્રણ સોપાનોથી નીચે ઉતરે છે. બાકીના દેવ-દેવીઓ તેના દક્ષિણ દિશાવર્તી ત્રણ સોપાનોથી નીચે ઉતરે છે.
ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શક ચોર્યાશી હજાર સામાનિક દેવો આદિથી સંપરિવૃત્ત અને સર્વદ્ધિથી સજ્જ થઈને – યાવત્ – દંદુભિ ઘોષના ધ્વનિ સહ જ્યાં તીર્થકર ભગવંત અને તેની માતા છે ત્યાં આવે છે. પ્રણામ કરે છે. તીર્થકર ભગવંત અને તેની માતાને ત્રણ પ્રદક્ષિણા દઈ, મસ્તકે અંજલિ કરી આ પ્રમાણે કહ્યું, હે રત્નકૂલિધારિણી ! તમને મારા નમસ્કાર થાઓ. ઇત્યાદિ દિકકુમારીવત જાણવું – યાવત – આપ ધન્ય છો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org