________________
૬૬
આગમ કથાનુયોગ–૧
તે વિમાનની અંદરનો ભૂમિપ્રદેશ અતિ સમતલ, રમણીય હતો. તે મૃદંગ અથવા ઢોલકના મુખ ભાગ જેવો – યાવતુ – ચીત્તાની ખાલ જેવો હતો. તેના તળીયામાં હજારો શંકુ અને ખીલીઓ જડેલી હતી. તેમાં સુઘડતાથી જડેલ રંગબેરંગી વિવિધ પ્રકારના મણિ– માણિકમાંથી કેટલાંયે આવર્ત-પ્રત્યાવર્તવાળા, શ્રેણી પ્રશ્રેણીવાળા, સુરેખ સ્વસ્તિક, શરાવસંપુટ, મંગલપાઠક, મચ્છી–મગરના ઇંડા જેવા હતા. કેટલાંકમાં પુષ્પવેલ, કમલવેલ, સાગરતરંગ, વસંતલતા, પઘલતા આદિ જેવા ઘણા બીજા સુંદર ચિત્રો અંકિત થયેલા હતા. એ રીતે તે ભૂ-ભાગમાં જડેલ ચમકતા ઉત્કૃષ્ટ પ્રભાવશાળી મણિયો વડે તે શોભતું હતું. તે મણિના વર્ણસ્પર્શ આદિનું વર્ણન રાજપશ્રિયસૂત્ર (સૂર્યાભદેવ મુજબ) જાણવું.
તે ભૂમિભાગના મધ્યમાં સેંકડો સ્તંભોથી યુક્ત પ્રેક્ષાગૃહમંડપ હતો – યાવત્ – પ્રતિરૂપ પદ સુધીનું વર્ણન પૂર્વવત્ સમજી લેવું. તે પ્રેક્ષાગૃહ મંડપમાં બાંધેલા ચંદરવામાં પઘલતા આદિના ચિત્રો હતા – યાવત્ – સુંદર રીતે ચમકતા સોનેરી તારોથી ગુંથેલ હતા - યાવત્ – પ્રતિરૂપ અતિ સુંદર હતા. તે મંડપના અતિ સમતલ અને રમણીય ભૂમિ પ્રદેશની મધ્યમાં આઠ યોજન લાંબી-પહોળી અને ચાર યોજન ઊંચી સર્વાત્મના મણિમય પીઠિકા હતી. તેના પર એક વિશાલ સિંહાસન હતું. તેના પર એક રત્નજડિત વિજયકૂષ્ય હતું.
તેની બરાબર મધ્યમાં વમણિનું બનેલ અંકુશ હતું. તેમાં ઘડા જેટલું મોટું એક મુક્તાદામ હતું. તેની આસપાસ ચારે તરફ અડધી ઊંચાઈવાળા અર્ધ કુંભ પ્રમાણ બીજા મુકૃતાદામ હતા. તે મુકૃતાદામ, મોતીની માળા સુવર્ણ નિર્મિત દડા જેવા આભરણોથી યુક્ત, સોનાના પતરાથી બનેલ, વિવિધ મણિરત્નોના અનેક હાર અને અર્ધપારોથી શોભિત એવી સુંદર રીતે ઘડાયેલી હતી. જે એક મેકની ઘણી નીકટ હતી. પરવાઈ હવાથી તે મંદમંદ હલતી હતી – યાવત્ – તે માળાના પરસ્પર ટકરાવાથી ઉત્પન્ન થતો અવાજ કર્ણપ્રિય હતો – યાવત્ – તે ઘણી જ શોભાયમાન લાગતી હતી.
તે સિંહાસનના વાયવ્ય ખૂણામાં, ઉત્તરમાં અને ઇશાન ખૂણામાં દેવેન્દ્ર દેવરાજ શક્રના ચોર્યાશી હજાર સામાનિક દેવોના ચોર્યાશી હજાર ભદ્રાસનો હતા. પૂર્વ દિશામાં આઠ પટ્ટરાણીઓના ભદ્રાસન હતા. અગ્નિ ખૂણામાં અત્યંતર પર્ષદાના ચૌદ હજાર દેવોના, દક્ષિણ દિશામાં મધ્યમ પર્ષદાના ચૌદ હજાર દેવોના, નૈઋત્ય ખૂણામાં બાહા પર્ષદાના સોળ હજાર દેવોના અને પશ્ચિમ દિશામાં સાત સેનાપતીઓના ભદ્રાસન હતા. તદુપરાંત તે સિંહાસનની ચારે દિશાઓમાં ચોર્યાશી-ચોર્યાશી હજાર આત્મરક્ષક દેવોના ભદ્રાસન હતા. ઇત્યાદિ બધું વર્ણન “સૂર્યાભદેવના આગમન” પ્રસંગ અનુસાર જાણવું.
ત્યારે તે શક્ર હર્ષિત અને સંતુષ્ટ આદિ થઈને જિનેન્દ્ર ભગવંત સન્મુખ જવા માટેના યોગ્ય સર્વ અલંકારોથી વિભૂષિત દિવ્ય ઉત્તરવૈક્રિયરૂપની વિકૃર્વણા કરે છે. પછી પોતાની આઠ સપરિવાર પટ્ટરાણીઓ સાથે નર્તક અને ગંધર્વવંદ સહિત તે વિમાનની પ્રદક્ષિણા કરતા કરતા પૂર્વ દિશાના ત્રણ સોપાનોથી થઈને તેમાં ચઢે છે – યાવત્ – પૂર્વ દિશા સામે મુખ કરીને સિંહાસન ઉપર બેસે છે. એ જ રીતે સામાનિક દેવો પણ ઉત્તર દિશાના ત્રણ સોપાનો ચઢીને પ્રત્યેક દેવ પૂર્વે રચેલા પોત-પોતાના ભદ્રાસન પર બેસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org