________________
તીર્થંકર ચરિત્ર–ભઋષભકથા
આ પ્રકારે દેવેન્દ્ર દેવરાજ શક્ર દ્વારા આજ્ઞા અપાયેલ પદાતિ-અનિકાધિપતિ હરિશૈગમેલી દેવ હર્ષિત-સંતોષિત થઈ શક્રની આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકાર કરે છે. પછી શક્રેન્દ્ર પાસેથી વિદાય લઈ સુધર્મા સભામાં (પૂર્વવર્ણિત એવી) એક યોજન વિસ્તાર વાળી સુઘોષા નામક ઘંટા પાસે આવીને ત્રણ વખત સુઘોષા ઘંટા વગાડે છે. ત્યારે (પૂર્વવર્ણિત એ ઘંટાના વગાડવાથી) સૌધર્મકલ્પના એક સિવાયના બધાં જ એવા બત્રીસ લાખ વિમાનાવાસોમાં એક સિવાયની બત્રીશ લાખ ઘંટા ખણખણાટ કરતી વાગવા લાગી. એ રીતે પ્રાસાદ–વિમાનોના નિષ્ફટ પ્રદેશોમાં થતા ઘંટારવોથી લાખો પ્રતિધ્વનીઓથી આખો સૌધર્મકલ્પ વ્યાપ્ત થઈ ગયો.
તે સમયે આ સૌધર્મલ્પવાસી અનેક વૈમાનિક દેવ-દેવીઓ જેઓ ફક્ત વિષય સુખમાં આસક્ત, નિત્ય પ્રમત્ત અને મૂર્ણિત રહેતા હતા. તેઓ આ ઘંટાઓના મધુર રણકારથી ઉત્પન્ન કોલાહલ દ્વારા એકાએક જાગૃત થઈ ગયા. તેઓ ઘોષણા સાંભળવા એકાગ્ર ચિત્તવાળા થયા. તેઓના એકાગ્ર ચિત્ત થયા બાદ તેમજ ઘંટારવ શાંત થયા પછી પદાતિ અધિકારીએ ધીરગંભીર સ્વરમાં ઘોષણા કરતા શક્રેન્દ્રએ કહેલ આજ્ઞાને સંભળાવી શક્ર પાસે શીઘ્ર ઉપસ્થિત થવા જણાવ્યું.
ત્યારે આ ઘોષણા સાંભળીને તે દેવ-દેવીઓ હર્ષિત, સંતુષ્ટ – યાવત્ – પ્રસન્ન હૃદયવાળા થયા. તેમાંના કેટલાંક વંદનના હેતુથી, કેટલાંક નમસ્કારના હેતુથી, કેટલાંક પૂજાના, સત્કારના, સન્માનના, દર્શનના, જિનભક્તિના એવા પ્રત્યેક ભિન્ન ભિન્ન હેતુથી, તો કોઈ શક્રની આજ્ઞાના પાલન માટે અને કોઈ એકબીજાને અનુસરીને, તો અનેક પોતાનો પરંપરાગત આચાર સમજીને શક્ર સમક્ષ ઉપસ્થિત થયા.
દેવેન્દ્ર દેવરાજ શક્ર ક્ષણ માત્રનો વિલંબ કર્યા વિના પોતાની સમક્ષ હાજર થયેલા દેવ-દેવીઓને જોઈને હર્ષિત થઈ પાલક નામના આભિયોગિક દેવને બોલાવે છે. પછી કહે છે કે, હે દેવાનુપ્રિય ! તું જલદીથી સેંકડો સ્તંભવાળું એક વિમાન વિકુ. જેમાં લીલા કરતી પુતળીઓ હોય, ઇહામૃગ, વૃષભ, ઘોડા, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, રૂર, સરભ, અમર, કુંજર, વનલતા, પદ્મલતા આદિના ચિત્રોની રચના હોય, પ્રત્યેક સ્તંભની વજય વેદિકા હોય જેના પર યંત્રોથી જોડાયેલી એવી દેખાતી વિદ્યાધર યુગલની પુતળીઓ હોય, સહસ્રરશ્મિ સૂર્યની માફક ચમકતી હોય, જે હજારો રૂપકવાળા હોય, અતિશય દેદીપ્યમાન અને આંખોને જોવા ગમે તેવા તથા આકર્ષક હોય, જેનો સ્પર્શ સુખદ હોય, શોભાસંપન્ન હોય, જેની ઘંટડીનો સ્વર મધુર અને મનોહર હોય, જે શુભ, કાંત, દર્શનીય નિયમોપેત હોય, જેની ચારે તરફ ચમકતા મણિરત્નોથી જડેલી ઘંટડીઓની માળા ગુંથેલી હોય, જે ૧૦૦૦ યોજન લાંબુ, પ૦૦ યોજન ઊંચુ હોય, શીધ્ર ત્વરિત ગતિવાળું હોય એવા દિવ્યવિમાનની વિકુર્વણા કરી, મારી આજ્ઞાનું પાલન થયાનું મને જણાવી
ત્યારે દેવરાજ દેવેન્દ્ર શુક્રની આજ્ઞા સાંભળી તે પાલકદેવ હર્ષિત, સંતુષ્ટ થઈ – થાવત્ – વૈક્રિય સમુદુઘાતથી તેવા પ્રકારનું વિમાન બનાવે છે. તે દિવ્ય યાન-વિમાનની ત્રણ દિશાઓમાં ત્રણ સોપાન પ્રતિરૂપક હતા. તે પ્રતિરૂપકોની સામે એક એક તોરણ હતું - આદિ સમજી લેવું. (જુઓ સૂર્યાભદેવ કથા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org