________________
આગમ કથાનુયોગ-૧
ડાબો ઘૂંટણ વાળીને ઊંચો કરે છે અને જમણો ઘૂંટણ વાળીને જમીન પર સ્થાપિત કરે છે. ત્રણ વખત મસ્તકને નમાવીને ધરતી પર મુકે છે. પછી થોડો ઊંચો થાય છે. કટક અને ત્રુટિતથી સ્તંભિત પોતાની ભુજાઓને સંભાળીને બંને હાથ વડે અંજલિ બનાવી મસ્તક પર ઘુમાવીને આ પ્રમાણે કહ્યું
ધર્મની આદિને કરનાર, તીર્થંકર, સ્વયંસંબુદ્ધ; પુરષોત્તમ, પુરુષસિંહ, પુરુષોમાં ઉત્તમ કમળ સમાન, ઉત્તમ ગંધહસ્તિ સમ પુરુષ, લોકમાં ઉત્તમ, લોકના નાથ, લોક હિતકારી, લોક પ્રદીપ, લોક પ્રદ્યોતક, અભયદાતા, ચક્ષુદાતા, માર્ગદાતા, શરણદાતા, જીવનદાતા, બોધિષ્ઠાતા, ધર્મદાતા, ધર્મોપદેશક, ધર્મનાયક, ધર્મસારથી, ચાતુરંગ ધર્મચક્રવર્તી એવા અરિહંત પરમાત્માને મારા નમસ્કાર થાઓ.
૬૪
જે દ્વીપ / દીવા રૂપ છે, ત્રાણ રૂપ છે, શરણાગત માટે આશ્રયરૂપ છે. અપ્રતિહત શ્રેષ્ઠ જ્ઞાનદર્શનને ધારણ કરવાવાળા છે. જેનું છદ્મસ્થપણું ચાલી ગયું છે. પોતે જિન છે અને બીજાને જિન બનવાનો ઉપાય દેખાડે છે, સ્વયં સંસારસાગર તરી ગયા છે અને બીજાને તારનારા છે. પોતે બુદ્ધ છે અને બીજાને બોધ પમાડનારા છે. પોતે મુક્ત છે. બીજાને મુક્ત કરાવનારા છે. સર્વજ્ઞ છે, સર્વદર્શી છે.
જે કલ્યાણકારી, અચલ, અરુજ, અનંત, અક્ષય, અવ્યાબાધ, અપુનરાવૃત્તિવાળી સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરવાવાળા છે એવા ભવિજેતા જિનને નમસ્કાર થાઓ. ધર્મના આદિકર – યાવત્ – મોક્ષ પ્રાપ્ત કરવાની આકાંક્ષાવાળા તીર્થંકર ભગવંતને મારા નમસ્કાર થાઓ. અહીં રહેલો એવો હું ત્યાં રહેલા તીર્થંકર ભગવંતને વંદના કરું છું. ત્યાં રહેલા એવા હે ભગવંત ! અહીં રહેલા એવા મને જુઓ. આ પ્રમાણે તે શક્ર વંદન અને નમસ્કાર કરે છે. પછી સિંહાસન પર પૂર્વ દિશા તરફ મુખ કરીને બેઠો.
ત્યાર પછી તે દેવેન્દ્ર દેવરાજ શક્રના મનમાં આ પ્રકારનો – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો. ખરેખર ! જંબૂદ્વીપમાં તીર્થંકર ભગવંત ઉત્પન્ન થયા છે. ભૂત–ભાવિ અને વર્તમાનકાળના દેવેન્દ્ર દેવરાજ શક્રનો એવો પરંપરાગત આચાર છે કે તીર્થંકરનો જન્મ મહોત્સવ કરે તો હું પણ તીર્થંકર ભગવંતનો જન્મ મહિમા કરું. એ પ્રમાણે વિચારીને પદાતિસેનાના અધિકારી હરિêગમેષી દેવને બોલાવી આ પ્રમાણે કહ્યું –
હે દેવાનુપ્રિય ! સુધર્મસભામાં જે મેઘસમૂહની ગર્જના જેવી ગંભીર અને સુમધુર ધ્વનિ કરનારી, એક યોજન પરિધિવાળી સુંદર સ્વરવાળી સુઘોષા નામક ઘંટા છે. તેને ત્રણ વખત વગાડીને ઉચ્ચ સ્વર માં ઘોષણા કરતા તમે આ પ્રકારે આજ્ઞા પ્રસારિત કરો દેવેન્દ્ર દેવરાજ શક્ર આ આજ્ઞા આપે છે કે દેવેન્દ્ર દેવરાજ શક્ર જંબુદ્વીપમાં તીર્થંકર ભગવંતનો જન્મ મહોત્સવ કરવા જઈ રહ્યા છે. તેથી હે દેવાનુપ્રિય ! તમે બધાં જ પોતાની સમસ્ત ઋદ્ધિ, કાંતિ, બળ, સમુદાય, સન્માન, વિભૂતિ, વિભૂષા, નર્તકો, નાટકોથી સજ્જ થઈ અંતઃપુર સહિત, સર્વ પ્રકારના પુષ્પ, ગંધ, માળા, અલંકારોથી વિભૂષિત થઈ સર્વ દિવ્ય ત્રુટિત, કટક, કેયુર આદિ વાદ્યોના તુમુલ ધ્વનિ સાથે યાવત્ – પોતપોતાના પરિવાર સાથે પોતપોતાના યાનવિમાનો, વાહનો પર આરૂઢ થઈને, ક્ષણ માત્રના વિલંબરહિત શક્રની સમીપે ઉપસ્થિત થાઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org