________________
તીર્થકર ચરિત્ર–ભઋષભકથા
૬ ૩
તે પછી તે ચારે મહત્તર દિકકુમારી તીર્થકર ભગવંતને બંને હથેલીમાં ગ્રહણ કરી, તીર્થકરની માતાને બાજુઓથી પકડીને તીર્થકર ભગવંતના જન્મભવનમાં આવે છે. ત્યાં આવીને તીર્થકર ભગવંતની માતાને બેસાડે છે. તીર્થકર ભગવંતને માતા પાસે સુવડાવી મંગલ ગીતો ગાતી ત્યાં ઊભી રહે છે.
આ રીતે અધોલોક, ઉર્ધ્વલોક, રૂચક પર્વતની ચારે દિશા એ છ ની આઠ-આઠ તથા રૂચકલીપની ચાર, વિદિશાની ચાર અને મધ્યરૂચક પરની ચાર એમ કુલ છપ્પન દિકકુમારીઓએ તીર્થકર ભગવંતનો જન્મ મહોત્સવ કર્યો.
દેવેન્દ્રો દ્વારા તીર્થકરનો જન્મ મહોત્સવ :–૦- દેવેન્દ્ર શુક્રનું આગમન :
તે કાળે – તે સમયે વજપાણિ, પુરંદર, શતક્રતુ, સહસ્રાક્ષ, મધવા, પાકશાસન ચક્ર નામનો દેવેન્દ્ર દેવરાજ કે જે દક્ષિણાર્ધલોકનો અધિપતિ છે. બત્રીસ લાખ વિમાનોનો સ્વામી છે. ઐરાવણ હાથી જેનું વાહન છે. સુરોનો ઇન્દ્ર છે. આકાશ જેવા નિર્મળ શ્વેત વસ્ત્રોને જેણે ધારણ કરેલા છે. ઝુમખાવાળા મુગટથી જેનું મસ્તક શોભી રહેલું છે. તેમસુવર્ણથી બનેલ એવા સુંદર ચિત્તની જેવા ચંચળ અને ગાલોને સ્પર્શ કરતા કુંડળ જેના કાનમાં શોભી રહેલા છે. જેનું શરીર કાંતિમાન છે. ગળામાં માળાઓ લટકી રહી છે. જે અતિશય વૈભવશાળી, કાંતિમાન, બલિષ્ઠ, યશસ્વી, સૌભાગ્યશાળી, સુખસંપન્ન છે. જે સૌધર્મકલ્પના સૌધર્માવલંસક વિમાનમાં સુધર્મા નામની સભામાં શક્ર નામના સિંહાસન પર બેઠો છે.
આવો તે શક્રેન્દ્ર બત્રીસ લાખ વિમાનવાસી, ચોર્યાશી હજાર સામાનિકદેવો, તેત્રીશ ત્રાયશ્ચિંશક દેવો, ચાર લોકપાલો, આઠ સપરિવાર પટ્ટરાણીઓ, ત્રણ પર્ષદ, સાત સેના, સાત સેનાધિપતીઓ, ચોર્યાશી હજાર આત્મરક્ષક દેવો તથા બીજા અનેક વૈમાનિક દેવદેવીઓના અધિપતિ, અગ્રેસર, સ્વામી, ભર્તા, મહત્તર, આજ્ઞાદાતા, નાયક છે. તેનું ભરણપોષણ અને શાસનકર્તા છે. સુમધુર નૃત્ય, ગીત, વાદ્ય, વીણા, તલ, તાલ, ત્રુટિત, મૃદંગ, ઢોલ, નગારા આદિના ધ્વનિપૂર્વક દિવ્ય ભોગોપભોગ ભોગવતો ત્યાં રહ્યો હતો.
તે સમયે તે દેવેન્દ્ર દેવરાજ શક્રનું વિવિધ પ્રકારના મણિયુક્ત આસન કંપાયમાન થાય છે. તે જોઈને શક્ર અવધિજ્ઞાનનો ઉપયોગ કરે છે. અવધિજ્ઞાન વડે તીર્થકર ભગવંતને જુએ છે. જોઈને હૃષ્ટ, તુષ્ટ, આનંદિત, પ્રસન્ન મનવાળો થાય છે. હર્ષાતિરેકથી તેનું હૃદય ઉછળવા લાગે છે. જે રીતે મેઘવર્ષાથી કદંબપુષ્પ વિકસ્વર થાય તે રીતે તેના રોમરોમ વિકસ્વર થયા. સુંદર કમળ સમાન નેત્ર અને મુખ વિકસિત થઈ ગયા. શરીરના સ્પંદનોથી તેણે પહેરેલા શ્રેષ્ઠ કટક કેયુર બાજુબંધ મુગટ ચંચળ થઈ ગયા, જેના વક્ષસ્થળ ઉપર હાર, કાનોમાં કુંડલ શોભી રહ્યા છે. લટકતા ઝુમખાથી ગળામાં પહેરેલ આભૂષણહાર આદિ ટકરાઈ રહ્યા છે એવો તે દેવેન્દ્ર દેવરાજ શક્ર ઉત્સુકતાપૂર્વક ચપળતાથી પોતાના સિંહાસનથી ઊભો થાય છે.
- પછી તે પાદપીઠથી નીચે ઉતરે છે. ઉતરીને તે તેની વૈડૂર્ય વરિષ્ટ-રિષ્ટ-અંજન રત્ન વિશેષથી બનેલી પાદુકા ઉતારે છે. પછી એક શાટિક ઉત્તરાસંગ કરે છે. (ખેસ ઓઢે છે) બંને હાથો વડે અંજલિ કરીને તીર્થકરની દિશામાં સાત-આઠ ડગલાં ભરે છે. પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org