________________
૬૨
આગમ કથાનુયોગ-૧
પોતપોતાના કૂટ ઉપર પૂર્વવત્ રહેતી હતી. તેના નામ આ પ્રમાણે :- ૧. રૂપા, ૨. રૂપાશ્રિતા, ૩. સુરૂપા અને ૪. રૂપકાવતી. શેષ કથન પૂર્વવત્ – યાવત્ – તમે ભયભીત ન થશો. એવું કહીને તીર્થકર ભગવંતની નાભિનાળને ચાર આંગળ છોડીને કાપે છે. પછી ખાડો ખોદીને ખાડામાં નાભિનાળને ડાટી દે છે. પછી તે ખાડાને રત્ન અને વજરત્નોથી પૂરી દે છે. પછી લીલા ઘાસ વડે તેના ઉપર પીઠિકા બનાવે છે. પીઠિકાની ત્રણ દિશાઓમાં એક-એક કદલીવૂડની વિકૃર્વણા કરે છે. (તીર્થકર ભગવંતના જન્મ ભવનથી પૂર્વ-દક્ષિણ અને ઉત્તર એ ત્રણે દિશાઓમાં એક-એક કદલીગૃહની વિકુર્વણા કરે છે).
ત્યાર પછી તે પ્રત્યેક કદલીગૃહની મધ્યે એક-એક ચંદ્રશાળા વિકુર્તે છે તે ચંદ્રશાળાની બરાબર મધ્યમાં એક-એક સિંહાસનની રચના કરે છે. (સિંહાસન વર્ણન અન્ય સૂત્રમાં જણાવ્યા મુજબ સમજી લેવું.) ત્યાર પછી તે ચારે મુખ્ય દિકકુમારી જ્યાં તીર્થંકર ભગવંત અને તેની માતા છે ત્યાં આવે છે. આવીને તીર્થકર ભગવંતને પોતાની હથેળીઓમાં ગ્રહણ કરે છે. તીર્થંકરની માતાને હાથનો ટેકો આપી ઉઠાડે છે. પછી તેને દક્ષિણ દિશાવર્તી કદલી મંડપની ચંદ્રશાળાના સિંહાસન પાસે લાવે છે. તીર્થકર ભગવંત અને તેની માતાને સિંહાસન પર બેસાડે છે. શતપાક સહસ્ત્રપાક તેલ વડે તેમને માલીશ કરે છે. પછી સુગંધિત પીઠી-ઉબટન વડે ઉબટન કરે છે. પછી તીર્થકર ભગવંતને બંને હથેલીમાં ગ્રહણ કરે છે અને તેની માતાને ટેકો આપે છે.
ત્યાર પછી માતા અને પુત્રને પૂર્વ દિશાના કદલી મંડપ તરફ લઈ જાય છે. ત્યાંની ચંદ્રશાલાના સિંહાસન ઉપર બેસાડે છે. તેમને ગંધોક, પુષ્પોદક અને શુદ્ધ જળ વડે સ્નાન કરાવે છે. પછી સર્વ પ્રકારના આભુષણ અને અલંકારો વડે વિભૂષિત કરે છે. પછી તીર્થકર ભગવંતને બંને હથેલીમાં ગ્રહણ કરે છે અને તીર્થકરની માતાની બાહાને પકડે છે. ત્યાંથી ઉત્તર દિશાવર્તી કદલીગૃહની ચંદ્રશાલાના સિંહાસન પર લાવે છે. ત્યાં તીર્થકર ભગવંત અને તેની માતાને એ સિંહાસન ઉપર બેસાડે છે.
ત્યાર પછી આભિયોગિક દેવોને બોલાવીને આ પ્રમાણે કહે છે – હે દેવાનુપ્રિયો! તમે જલ્દીથી લઘુ હિમવંત પર્વત જઈને ગોશીષ ચંદનનું કાષ્ઠ લઈને આવો. ત્યારે તે આભિયોગિક દેવો તે મધ્યમ રૂચક પર્વતવાસી ચાર મુખ્ય દિકકુમારીઓની આજ્ઞા અનુસાર હર્ષિત અને સંતુષ્ટ થઈને – યાવત્ – વિનયપૂર્વક તેમની આજ્ઞા સ્વીકારીને લઘુહિમવંત પર્વતથી ગોશીષ ચંદન કાષ્ઠ લઈને આવે છે.
ત્યાર પછી તે ચારે દિકકુમારી અગ્નિ ઉત્પન્ન કરનાર શરકને તૈયાર કરે છે. શરકને અરણિ સાથે ઘસે છે. સંયોજિત કરે છે. શરક અને અરણિને ઘસીને આગની ચિનગારી ઉત્પન્ન કરે છે. ચિનગારી પેટાવીને તેમાં ગોશીષચંદનના લાકડાં નાંખે છે. પછી અગ્નિ પ્રજ્વલિત કરે છે. પછી તેમાં સમિધાકાષ્ઠને નાંખીને અગ્રિહોમ કરે છે. અગ્રિડોમથી રાખ (ભૂતિકર્મ) કરે છે. પછી તે રાખની પોટલી બનાવે છે. પોટલી બાંધે છે. પછી અનેક પ્રકારના મણિરત્નોથી સુંદર એવા બે ગોળાને હાથમાં લઈ તીર્થકર ભગવંતના કાન પાસે ટિક ટિક એવો ધ્વનિ કરે છે અને આશીર્વાદ આપે છે કે હે ભગવન્! આપ પર્વત સમાન આયુષ્યવાળા થાઓ. પર્વતની જેમ સુદીર્ઘજીવી બનો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org