SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ-૧ ગઈ. ત્યાં જઈ વૈક્રિય સમુદુઘાત કર્યો. સમુદઘાત કરીને સંખ્યાત યોજન લાંબો દંડ બનાવ્યો. તે દંડ રત્નોનો હતો – યાવત્ – સંવર્તક વાયુની વિદુર્વણા કરી. તે વાયુ કલ્યાણકર, મૃદુ, નીચે તરફ વહેનારો, ભૂમિતળને નિર્મળ કરનારો, મનોહર, સર્વ ઋતુઓના ફૂલોની સુગંધથી યુક્ત, ઘનીભૂત ગંધ વડે સર્વત્ર સુગંધ ફેલાવનારો અને તિર્થો વહેતો તીર્થકર ભગવંતના જન્મ ભવનની ચારે તરફ યોજન પર્યન્ત સફાઈ કરવાવાળો હતો. જે રીતે કોઈ સેવકપુત્ર હોય – યાવત્ – તે જ રીતે તે વાયુએ ત્યાં જે તૃણ, પાંદડા, ડાળી, કચરો, અશુદ્ધિ, અપવિત્ર સડેલા એવા પદાર્થ હતા તે બધું જ ઉડાવીને એકાંત સ્થળે ફેંકી દીધું. ત્યાર પછી તે દિકુકમારીઓ જ્યાં તીર્થકર ભગવંત અને તેની માતા હતા ત્યાં આવ્યા. આવીને તીર્થકર ભગવંત કરતા બહુ દૂર નહીં અને બહુ નજીક નહીં એવા યોગ્ય સ્થળે ગીત ગાતી એવી ત્યાં ઊભી રહી. -૦- ઉર્ધ્વલોકવાસી દિકકુમારીઓનું આગમન :- તે કાળે અને તે સમયે ઉર્ધ્વલોકમાં રહેનારી આઠ પ્રધાન દિકકુમારીઓ પોતપોતાના કૂટ પર પોતપોતાના ભવનમાં પોતપોતાના પ્રાસાદવતંસકોમાં તે પ્રત્યેક પોતપોતાના ચાર - હજાર સામાનિક દેવો ઇત્યાદિ પૂર્વે વર્ણવ્યા પ્રમાણે રહેતી હતી. તેના નામ આ પ્રમાણે છે– ૧. મેઘંકરા, ૨. મેઘવતી, ૩. સુમેધા, ૪. મેઘમાલિની, ૫. સુવત્સા, ૬. વત્સમિત્રા, ૭. વારિષેણા અને ૮. બલાહકા (સ્થાનાંગ આઠમાં પહેલા ચાર નામો આ જ છે. પછીના ચાર નામો અનુક્રમે - તોયધારા, વિચિત્રા, પુષ્પમાલા અને અનિંદિતા છે. જ્યારે આવશ્યક વૃત્તિમાં તથા કલ્પસૂત્ર વૃત્તિમાં પાંચમાં અને છઠા નામમાં ફેરફાર છે. પાંચમું નામ તોયધારા અને છઠું નામ વિચિત્રા છે. બાકી નામો ઉપર મુજબ છે.) તે સમયે તે ઉર્ધ્વલોકવાસિની આઠ મુખ્ય દિકકુમારીઓના આસન ચલાયમાન થયા. આ બધી દેવીઓ પણ અધોલોકવાસી દેવીઓની માફક આવી – યાવત્ – હે દેવાનુપ્રિયે! અમે ઉર્ધ્વલોકવાસિની આઠ મુખ્ય દિકકુમારીએ છીએ. અમે તીર્થકર ભગવંતનો જન્મ મહોત્સવ કરીશું તેથી તમે ભયભીત થશો નહીં. એમ કહીને તે ઇશાનખૂણામાં ચાલી ગઈ. ત્યાં જઈને – યાવત્ – આકાશમાં વાદળા વિદુર્ગા, વરસાદ દ્વારા – યાવત્ – એક યોજન ભૂમિમાં રજ-ધૂળને શાંત કરી દીધી, ધૂળનો નાસ કર્યો – ધૂળ બેસાડી દીધી – પ્રશાંત ઉપશાંત કરી દીધી. આ રીતે કરવાથી ધૂળ શીધ્ર શાંત થઈ અર્થાત્ બેસી ગઈ. ત્યાર પછી પુષ્પના વાદળો વિકુર્લા અને પુષ્પોની વર્ષા કરી. એ જ રીતે – યાવત્ – કાળા અગરુની ઉત્તમ ધૂપ દ્વારા સુગંધ ફેલાવી – યાવત્ ઉત્તમ દેવોના આગમનને યોગ્ય બનાવી. પછી જ્યાં તીર્થકર ભગવંત અને તેના માતા હતા ત્યાં આવી – યાવત્ – મંદ અને મધુર સ્વરમાં ગીત ગાતી ત્યાં ઊભી રહી. –૦- પૂર્વરૂચકવાસિની દિકુકમારીઓનું આગમન : તે કાળ અને તે સમયે પૂર્વ દિશાવર્તી રુચકપર્વતવાસી આઠ મુખ્ય દિકકુમારીઓ પોતપોતાના કૂટ ઉપર – યાવતું – રહેતી હતી. તેમના નામ આ પ્રમાણે છે :- ૧. નંદોત્તર, ૨. નંદા, ૩. આનંદા, ૪. નંદિવર્ધના, ૫. વિજયા, ૬. વૈજયંતી, ૭. જયંતી અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy