________________
તીર્થંકર ચરિત્ર-ભઋષભકથા
૮. અનિંદિતા હતા. (સ્થાનાંગ સૂત્રમાં છેલ્લી ચારના નામ સુવત્સા, વત્સમિત્રા, વારિયેણા અને બલાહકા જણાવેલા છે.) (આવશ્યક નિયુક્તિ ૧૮૭ વૃત્તિ તથા કલ્પસૂત્ર વૃત્તિમાં સુવત્સા, વત્સમિત્રા પુષ્પમાલા અને અનિંદિતા છે)
તે સમયે અધોલોકવાસિની તે આઠે દિક્કુમારિકાઓના આસન ચલાયમાન થયા. પોત-પોતાના આસન ચલાયમાન થયેલા જોઈને તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી જોયું તો અવધિજ્ઞાન વડે તીર્થંકરને જોયા. તે જોઈને પરસ્પર એક-બીજી દિકુમારીને બોલાવીને કહ્યું કે જંબુદ્વીપ નામના દ્વીપમાં તીર્થંકર ભગવાન્ ઉત્પન્ન થયા છે. ભૂત-ભવિષ્ય અને વર્તમાનકાલિન દિકુમારીઓનો એવો આચાર છે કે તેઓ તીર્થંકર ભગવાનો જન્મમહોત્સવ કરે. તો ચાલો, આપણે પણ ભગવાનો જન્મ મહોત્સવ કરીએ.
-
આટલું કહીને પ્રત્યેક દિકુમારીએ પોત-પોતાના આભિયોગિક દેવોને બોલાવીને કહ્યું કે, હે દેવાનુપ્રિયો ! તમે શીઘ્ર એક દેવવિમાન તૈયાર કરો. જે વિમાનમાં સેંકડો સ્તંભ હોય, તેના પર ક્રીડા કરતી એવી અનેક પુતળીઓ હોય વગેરે – યાવત્ – જે એક યોજન વિસ્તારવાળું હોય એવા દિવ્યવિમાનની વિકુર્વણા કરી, અમારી આજ્ઞા પ્રમાણે કાર્ય થયાનું અમને જણાવો, ત્યારે તે આભિયોગિક દેવોએ સેંકડો સ્તંભોથી રચાયેલ એવું પૂર્વે કહ્યા મુજબનું વિમાન તૈયાર કર્યું.
-
-
ત્યારે તે અધોલોકવાસિની આઠે દિક્કુમારિકાઓ હર્ષિત અને સંતુષ્ટ થઈ, આનંદિત ચિત્તવાળી થયેલી તે – યાવતુ – પાદપીઠિકાથી ઉપર ચઢીને, તે દરેક પોતપોતાના ચાર હજાર સામાનિક દેવો, ચાર મહત્તરિકાઓ – યાવત્ – બીજા અનેક દેવદેવીઓ સહિત તે વિમાનમાં બેઠી. સર્વઋદ્ધિ, સર્વદ્યુતિ સહિત ઢોલ-મૃદંગ આદિ વાદ્યોને વગાડતી, ગીતો ગાતી પોતાની ઉત્કૃષ્ટ ગતિયાવત્ દેવગતિ વડે જ્યાં તીર્થંકર ભગવંતની જન્મ નગરી હતી, તેમાં જ્યાં તીર્થંકરનું જન્મ ભવન હતું ત્યાં આવી.
ત્યાં આવીને તીર્થંકર ભગવાનના જન્મભવનની ચારે તરફ તે દિવ્ય વિમાન સહિત ત્રણ વખત જમણેથી ડાબી બાજુ પ્રદક્ષિણા કરીને ઇશાન ખૂણામાં પૃથ્વીથી ચાર આંગળ ઊંચે દિવ્ય વિમાનને ઊભું રાખે છે. ત્યાર પછી પોતાના ચાર હજાર સામાનિક દેવ આદિ સર્વ પરિવારથી ઘેરાયેલી એવી તે દિવ્ય વિમાનથી નીચે ઉતરે છે. સર્વઋદ્ધિ સહિત યાવત્ – દુંદુભિના નાદ સહિત જ્યાં તીર્થંકર ભગવાન્ અને તીર્થંકરની માતા છે ત્યાં આવીને તેઓને ત્રણ પ્રદક્ષિણા આપે છે. પછી તે પ્રત્યેક પોત-પોતાના હાથની અંજલિ કરીને મસ્તકે લગાડી નમસ્કાર કરી આ પ્રમાણે કહેવા લાગી—
હે રત્નકુક્ષિધારિણી ! જગતને પ્રદીપ દેનારી ! તમને નમસ્કાર થાઓ, સમસ્ત જગને મંગલરૂપ, મુક્તિ-અભિલાષીઓને નેત્ર સમાન, સમસ્ત જગતના જીવોના વત્સલ, હિતકારી, માર્ગદશક, વાગ્ઋદ્ધિવિભુ, પ્રભુ, જિન, જ્ઞાની, નાયક, બુદ્ધ, બોધક, ત્રણ જગના નાથ, સમસ્ત વિશ્વ માટે મંગલરૂપ, નિર્મલ, ઉત્તમકુળમાં ઉત્પન્ન, જાતિથી ક્ષત્રિય અને લોકોત્તમ પુત્રની માતા–તમે ધન્ય છો. પુણ્યશાલિની છો, કૃતાર્થ છો.
હે દેવાનુપ્રિયે ! અમે અધોલોકવાસિની આઠ પ્રધાનદિકુમારીઓ તીર્થંકર ભગવંતનો જન્મ મહોત્સવ કરીશું. તેથી આપ ભયભીત ન થશો. એવું કહીને તેઓ ઇશાન ખૂણામાં
Jain Education International
૫૯
For Private & Personal Use Only
www.jainelibrary.org