SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ આગમ કથાનુયોગ-૧ હું ચ્યવીશ એ પ્રમાણે જાણતા હતા, હું ચ્યવ્યો એ પ્રમાણે પણ જાણ્યું, પરંતુ જ્યારે આંતરા વિના તેનું ચ્યવન થયું ત્યારે એક જ સમયમાં ચ્યવન થવાનો કાળ અતિ સૂક્ષ્મ હોવાથી હું ઍવું છું એ પ્રમાણે તેઓ જાણતા ન હતા. જે રાત્રિએ ઋષભદેવ પ્રભુનો જીવ મરૂદેવા માતાની કુક્ષિમાં આવ્યો ત્યારે મરૂદેવા માતા ચૌદ સ્વપ્નોને જોઈને જાગ્યા. તે ચૌદ સ્વપ્નો આ પ્રમાણે હતા :- ૧. હાથી, ૨. વૃષભ, ૩. સિંહ, ૪. લક્ષ્મીદેવી, ૫. ફૂલની માળા, ૬. ચંદ્ર, ૭. સૂર્ય, ૮. ધ્વજા, ૯. પૂર્ણ કળશ, ૧૦. પદ્મ સરોવર, ૧૧. સમુદ્ર, ૧૨. દેવવિમાન, ૧૩. રત્નનો ઢગલો અને ૧૪. નિધૂમ અગ્રિ. (સ્વખ વર્ણને ભ, મહાવીર ચરિત્રમાં જોવું) (આ ચૌદ સ્વપ્ન સર્વસાધારણ જિનમાતાને આશ્રિને છે. મરૂદેવામાતાએ પહેલા સ્વપ્ન વૃષભ જોયો હતો. જુઓ સાવ નિર્યાવર-૧૮૪ની વૃત્તિ તથા ચૂર્ણિ) આ સ્વપ્નનો સર્વ વૃત્તાંત મરૂદેવા માતાએ નાભિ કુલકરને કહ્યો. તે કાળે સ્વપ્નના ફળ બતાવનાર સ્વપ્ન લક્ષણ પાઠકો ન હતા. નાભિકુલકરે પોતે જ તે સ્વપ્નના ફળને જણાવતાં કહ્યું કે તારો આ પુત્ર મહાન્ કુલકર થશે. તે સમયે શક્ર ઇન્દ્રનું આસન ચલિત થયું. તે શીધ્ર આવ્યા અને મરૂદેવા માતાને કહ્યું કે, હે દેવાનુપ્રિયા ! તમારો પુત્ર સકલભુવનમાં મંગલરૂપ એવો પ્રથમ રાજા અને પ્રથમ ધર્મચક્રવર્તી થશે. કેટલાંક આચાર્યો કહે છે કે બત્રીશે ઇન્દ્રોએ આવીને સ્વપ્નોનું ફળ વર્ણવેલું હતું. મરૂદેવા માતા તે સાંભળીને પ્રસન્ન તથા સંતુષ્ટ થઈને ગર્ભનું વહન કરવા લાગ્યા. જન્મ કલ્યાણક – તે કાળે અને તે સમયે ગ્રીષ્મઋતુનો પ્રથમ માસ અને પ્રથમ પક્ષ અર્થાત્ ચૈત્રમાસનો કૃષ્ણ પક્ષ આવ્યો ત્યારે ચૈત્રવેદી (ગુજરાતી ફાગણ વદી) આઠમના દિવસે મરૂદેવા માતાને ગર્ભવહનના નવ માસ અને સાડાસાત રાત્રિ વ્યતીત થયા ત્યારે–મધ્ય રાત્રિના સમયે ઉત્તરાષાઢા નક્ષત્રનો ચંદ્રમામાં યોગ થયો ત્યારે આરોગ્યવાનું માતાએ આરોગ્યવાનું એવા પુત્ર કૌશલિક અહંતુ ઋષભને જન્મ આપ્યો. તીર્થકરનો જન્મ થાય ત્યારે સર્વલોકમાં ઉદ્યોત થાય છે. તીર્થંકરની માતા પ્રચ્છન્નગર્ભા હોય છે. તીર્થકર જન્મે ત્યારે જરાઆવરણપs, લોહી, કલિમલ આદિ હોતા નથી. (મરૂદેવા માતાને પણ આમાંનું કંઈ ન હતું.) કે જન્મ મહોત્સવ – જંબૂઢીપપ્રજ્ઞતિ વક્ષસ્કાર-પાંચ મુજબ આ વર્ણન અહીં વિસ્તારથી છે. ભ મહાવીરના કથાનકમાં આજ વર્ણન કલ્પસૂત્રની વૃત્તિ અનુસાર સંક્ષેપથી આપેલું છે. -૦- અધોલોકવાસી દિકુકમારીઓનું આગમન : તીર્થકર ઋષભનો જન્મ થયો ત્યારે અધોલોક નિવાસી આઠ દિકકુમારી પોતાના ફૂટ ઉપર પોત-પોતાના ભવનમાં પોત-પોતાના પ્રાસાદવતંત્રોમાં પ્રત્યેક ચાર હજાર સામાનિક દેવો, ચાર સપરિવાર મહત્તરિકાઓ, સાત સેનાઓ, સાત સેનાધિપતિયો, સોળ હજાર આત્મરક્ષક દેવો તથા બીજા અનેક ભવનપતિ અને વાણવ્યંતર દેવ-દેવીથી ઘેરાયેલી સુમધુર નાટ્ય ગીત-વાદ્ય આદિના કર્ણપ્રિય ધ્વનિ વડે ચાવ––ભોગોપભોગમાં રત હતી. અધોલોકવાસી આ આઠ દિકકુમારીકાઓ નામ :- ૧. ભોગંકરા, ૨. ભોગવતી, 3. સુભોગા, ૪. ભોગમાલિની. ૫. તોયધારા. ૬. વિચિત્રા. ૭. પપમાલા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy