SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ આગમ કથાનુયોગ-૧ વજનાભ મુનિને વિશુદ્ધ પરિણામથી તીર્થંકર નામકર્મનો બંધ થયો. તેમણે વીશ સ્થાનકની આરાધના પણ કરેલી (પીઠ અને મહાપીઠે ઇર્ષ્યા અને માયા વડે સ્ત્રીવેદનો બંધ કર્યો. બાહને સાધુની ભક્તિથી ચક્રવર્તીનું ભોગકર્મ બંધાયું અને સુબાહુને સાધુની વિશ્રામણાથી અત્યંત બાહુબળ ઉત્પન્ન થયું. –૦- વિશ સ્થાનક કયા કયા? અરિહંત – અશોકવૃક્ષ આદિ આઠ મહાપ્રાતિહાર્યાદિ રૂપ પૂજાને યોગ્ય તે અરિહંત. સિદ્ધ – સઘળા કર્મોથી રહિત થયેલા, પરમ સુખી અને જેના સર્વ કાર્યો સંપન્ન થઈ ગયા છે તેવા કૃતકૃત્ય તે સિદ્ધ. 3. પ્રવચન :- શ્રુતજ્ઞાનના ઉપયોગવાળા અથવા સંઘ તે પ્રવચન. ગુરુ :- શાસ્ત્રાર્થને ગુંથનાર અર્થાત્ ધર્મોપદેશાદિને દેનારા તે ગુરુ (આ પદને આચાર્ય પણ કહે છે.) સ્થવિર :- સ્થવિર ત્રણ પ્રકારે કહ્યા. જાતિથી, શ્રતથી અને પર્યાયથી. જાતિ એટલે કે વયથી સાઈઠ વર્ષના હોય તે, જાતિ વિર. સમવાયાંગને ધારણ કરનાર તે શ્રુત સ્થવિર. વીસ વર્ષના દીક્ષા પર્યાયવાળા તે પર્યાય સ્થવિર. બહુશ્રુત :- જેને ઘણું શ્રુતજ્ઞાન છે તે. અપેક્ષાએ બીજા કરતા વધુ શ્રુતજ્ઞાનવાળા, એમ સમજવું. જો કે સૂત્રધર કરતા અર્થધરનું મહત્ત્વ વધારે છે. તેના કરતા પણ સૂત્ર અને અર્થ ઉભયને ધારણ કરનારાની પ્રધાનતા છે. ૭. તપસ્વી – અનશન આદિ લક્ષણવાળા (બારે પ્રકારના) વિવિધ તપને આદરતા એવા અથવા સામાન્ય સાધુ. આ અરિહંત, સિદ્ધ, પ્રવચન, ગુરુ, સ્થવિર, બહુશ્રુત અને તપસ્વી એ સાતે પ્રત્યે વત્સલભાવ હોવો તે. અરિહંતાદિ સાતે પરત્વે હદયનો અનુરાગભાવ, તેમના ગુણોની સ્તુતિ અને પ્રશંસા, યથાનુરૂપ ભક્તિ અને અતિ બહુમાન આદિ અર્થાત્ અરિહંત વત્સલતા, સિદ્ધ વત્સલતા આદિ પદો સમજવા કે જે તીર્થકર નામ કર્મ બંધાવે છે. ૮. અભીષ્મજ્ઞાનોપયોગ – અનવરત કે નિરંતરપણે જ્ઞાનનો ઉપયોગ હોવો તે અથવા અનુપ્રેક્ષાદિમાં નિઃશંકિતતા આદિ હોવા તે. ૯. દર્શન :- સમ્યકત્વ (જીવાદિ તત્ત્વોની અતુટ શ્રદ્ધા) તેની વિશુદ્ધિ રાખવી. ૧૦. વિનય – જ્ઞાન આદિ ભેદ ઓળખાવાય છે તે. તેમાં સંપન્ન રહેવું તે. આવશ્યક :- સંયમ આદિ ક્રિયા ને નિરતિચારપણે અવશ્ય કરવી તે. ૧૨. શીલવત :– શીલ અર્થાત્ અઢાર હજાર શીલાંગરથરૂપ ઉત્તરગુણ અને વ્રત અર્થાત્ મૂળગુણ. આ મૂળગુણ અને ઉત્તરગુણોનું નિરતિચારપણે પાલન કરવું તે. ૧૩. ક્ષણલવ :- કાળને આશ્રિને આ એક માપ છે. ક્ષણલવમાં સંવેગભાવના ૧૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy