________________
તીર્થકર ચરિત્ર–ભઋષભકથા
૫૫
આવશ્યકતા હતી. બધાંએ ભેગા થઈ ત્રણે વસ્તુ એકઠી કરી, વેચનાર વણિકે તેનું મૂલ્ય ન લીધું. તે બધાં પહોંચ્યા મુનિની સમીપે. | મુનિની અનુજ્ઞા લીધા વગર જ (બીજા મતે અનુજ્ઞા માંગીને) ચિકિત્સા શરૂ કરી. તેલના મર્દનથી કૃમિઓ બહાર નીકળવા લાગી. રત્નકંબલમાં બધી કૃમિ એકઠી કરી લઈને ગોચર્મમાં મૂકી દીધી જેથી કૃમિ પણ ન મરે. બીજી વખતના મર્દનથી માંસમાં રહેલી કૃમિ નીકળી ગઈ. ત્રીજી વખતના મર્દનથી અસ્થિમાં વ્યાપેલી કૃમિઓ નીકળી ગઈ. કૃમિ રહિત શરીર પર ગોશીષ ચંદનનો લેપ કર્યો. મુનિ પૂર્ણતયા સ્વસ્થ અને નિરોગી બન્યા. છએ મિત્રોએ પછી દીક્ષા લીધી, તપ-સાધના કરી.
(૧૦) અચુત કલ્પે :- (ઋષભદેવનો જીવ તથા રાજા, શ્રેષ્ઠી, અમાત્ય અને સાર્થવાહ એ ચારેના પુત્રો) બધાં જ મનુષ્યભવ પૂર્ણ કરી બારમા અધ્યેત કલ્પે દેવપણે ઉત્પન્ન થયા. (કેસ પણ દેવપણે ઉત્પન્ન થયો)
(૧૧) વજનાભ :-- અય્યતકલ્પથી ચ્યવી આ જ જંબૂદ્વીપમાં પૂર્વવિદેહમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નગરીમાં મનુષ્યરૂપે જન્મ્યા. (ઋષભદેવનો જીવ કે જ) વૈદ્યપુત્ર હતો તે વજસેન રાજાની ધારિણી રાણીની કુક્ષિમાં પુત્ર રૂપે ઉત્પન્ન થયો. તે વૈદ્યપુત્ર આ ભવમાં ચક્રવર્તી થયો. તેનું નામ વજનાભ પાડ્યું.
અન્ય ચાર (રાજપુત્ર–મહીધર, અમાત્યપુત્ર–સુબુદ્ધિ, સાર્થવાહપુત્ર-પૂર્ણચંદ્ર, શ્રેષ્ઠી પુત્ર–ગુણાકર) અનુક્રમે તે વજનાભના ભાઈઓ રૂપે જમ્યા જેમના નામ બાહુ, સુબા, પીઠ અને મહાપીઠ હતા. (છઠો તેમનો સારથી થયો કે જે પૂર્વ કેશવનો જીવ હતો)
વજનાભને રાજ્ય આપીને વજન રાજાએ દીક્ષા ગ્રહણ કરી, તેઓ તીર્થકર થયા. વજનાભ ચક્રવર્તી થયા. વજનાભ આદિ સર્વે પાંચ પ્રકારના કામભોગોને ભોગવતા જીવન જીવવા લાગ્યા. જે દિવસે વજસેન પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તે જ દિવસે વજનાભને ચક્રરત્ન ઉત્પન્ન થયેલું. કેમકે વૈદ્યપુત્રના ભવમાં સાધુની વિશુદ્ધ વૈયાવચ્ચથી તેણે ચક્રવર્તીનું ભોગકર્મ બાંધેલ હતું. બાકીના ચાર માંડલિક રાજા થયા.
વજનાભ ચક્રવર્તીએ ચોર્યાશી લાખ પૂર્વ સર્વાયુ પાળ્યું. તેમાં ત્રીશ લાખ પૂર્વ કુમાર અવસ્થામાં, સોળ લાખ પૂર્વ માંડલિક રાજા રૂપે, ચોવીસ લાખ પૂર્વ ચક્રવર્તીપણે અને ચૌદ લાખ પૂર્વ સાધુપણામાં વ્યતીત કર્યા. જ્યારે તીર્થંકર પરમાત્માનું સમવસરણ થયું ત્યારે તે પિતા તીર્થંકર પાસે ચારે ભાઈઓ સહિત દીક્ષા લીધી. તેમાં વજનાભ ચૌદ પૂર્વે ભણ્યા, બાકીના અગિયાર અંગો ભણ્યા.
તે સાધુ ભગવંતોમાં બાહુમુનિ સાધુઓની વૈયાવચ્ચ કરતા હતા, સુબાહુમુનિ પરિશ્રાંત મુનિઓને વિશ્રામણા આપતા હતા. તે બંને મુનિની સેવાભક્તિ જોઈને વજનાભ ભગવદ્ ઘણાં જ પ્રસન્ન થયા. તેઓએ કહ્યું કે ખરેખર આ બંને મુનિને ધન્ય છે જે આવી ભક્તિ અને વૈયાવચ્ચ કરી રહ્યા છે. આ પ્રશંસા સાંભળીને પીઠ અને મહાપીઠને અપ્રીતિ થતી. અમે બંને સ્વાધ્યાયાદિમાં રત રહીએ છીએ તો અમારી પ્રશંસા થતી નથી પણ આ ભક્તિ વૈયાવચ્ચ કરનારાની પ્રશંસા થાય છે. ખરેખર લોકવ્યવહાર જ સત્ય હોય તેવું જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org