________________
૫૪
આગમ કથાનુયોગ-૧
સ્વયંપ્રભા દેવીનું ચ્યવન થવાથી લલિતાંગદેવ તેના વિરહમાં આકુળ-વ્યાકુળ બની ગયો. ત્યારે મહાબલના ભવનો તેનો સુબુદ્ધિ અમાત્યનો જીવ જે તે જ કલ્પમાં દેવ થયો હતો તેણે આવીને તેમને સાંત્વના આપી. સ્વયંપ્રભા દેવી ત્યાંથી ચ્યવીને જે નિર્નામિકા નામની બાલિકા રૂપે જન્મેલી તે કેવલીના ઉપદેશથી શ્રાવિકા બની. ત્યાં મનુષ્યનું આયુ પૂર્ણ કરી ફરી તે જ દેવલોકમાં સ્વયંપ્રભા દેવી બની. તે લલિતાંગ દેવ ફરી તેનામાં આસક્ત થઈ ગયો. અંતે નમસ્કાર મહામંત્રના જાપ સાથે દેવભવનું આયુ પૂર્ણ કર્યું.
(૬) વજજંઘ :- (ઋષભદેવનો જીવ છઠા ભવમાં) જંબુદ્વીપની પુષ્કલાવતી વિજયમાં લોહાર્ગલ નગરના સ્વામી સ્વર્ણગંધ સમ્રાટની પત્ની લક્ષ્મીદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. તેનું વજજંઘ નામ પડાયું. તે રાજા બન્યો.
સ્વયંપ્રભાદેવી પણ દેવભવનું આયુ પૂર્ણ કરી પુંડરીગિણી નગરીમાં વજસેન રાજાની શ્રીમતી નામે પુત્રી થઈ. શ્રીમતી એક વખત મહેલની છત ઉપર ઊભી હતી. તે સમયે પાસેના ઉદ્યાનમાં મુનિને કેવળજ્ઞાન થયું. તેના મહોત્સવ નિમિત્તે દેવગણ આકાશ માર્ગે જઈ રહેલ હતો.તે જોઈને શ્રીમતીને પૂર્વભવની સ્મૃતિ થઈ. આ સ્મૃતિ એક ચિત્રપટ પર અંકિત કરી. તેની પરિચારિકાને રાજમાર્ગ ઉપર મોકલી.
વજસેન રાજાનો મહોત્સવ મનાવવા આવતા-જતા અનેક રાજકુમારો તેને જોતા હતા. વજજંઘ રાજકુમારે જેવું આ ચિત્ર જોયું કે તેને પૂર્વભવની સ્મૃતિ થઈ. શ્રીમતીના કહેવાથી વજસેન રાજાએ વજજેઘ સાથે શ્રીમતીનો વિવાહ કરાવ્યો. વજસેન રાજાએ સંયમ ગ્રહણ કર્યો. એક વખત લડાઈ જીતીને પાછા ફરતા હતા ત્યારે તેને જાણ થઈ કે આ અરણ્યમાં બે મુનિઓને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું છે, તેમના દિવ્ય પ્રભાવથી દષ્ટિવિષ સર્પ નિર્વિષ થઈ ગયો. તેથી વજજંઘ મુનિ દર્શનાર્થે ગયા. ઉપદેશ સાંભળી વૈરાગ્યે થયો. દીક્ષા ગ્રહણ કરવાની ભાવના સાથે પોતાની રાજધાનીમાં પહોંચ્યા. તેના પુત્રને થયું કે પિતાજી મને રાજ્ય આપશે નહીં તેથી રાજ્યલોભમાં વજજંઘના મહેલમાં ઝેરી ધુમાડો ફેલાવ્યો. જેની ગંધથી વજજંઘરાજા અને શ્રીમતી રાણી બંને મૃત્યુ પામ્યા.
(૭) યુગલિક :- (ઋષભદેવનો જીવ) સાતમે ભવે ઉત્તરકુરમાં યુગલ બન્યો અને શ્રીમતિ તેની યુગલિની બની.
(૮) સૌધર્મકલ્પ :- યુગલિકનું આયુ પૂર્ણ કરી તે સૌધર્મકલ્પ દેવ થયા.
(૯) વૈદ્યપુત્ર :- દેવાયુ પૂર્ણ કરીને (ઋષભદેવનો જીવ) વૈદ્ય પુત્ર થયો. (તેનું નામ જીવાનંદ હતું.) તે વખતે ત્યાં પાંચ અન્ય જીવો પણ ઉત્પન્ન થયા. (૧) રાજપુત્ર–મહીધર, (૨) મંત્રીપુત્રસુબુદ્ધિ, (૩) સાર્થવાહપુત્ર-પૂર્ણચંદ્ર, (૪) શ્રેષ્ઠીપુત્રગુણાકર, (૫) ઈશ્વરદત્ત પુત્ર કેશવ (જે શ્રીમતીનો જીવ હતો.) આ છ એ મિત્રોને પરસ્પર અતીવ ખેહ હતો. (Hવશ્ય વૃoિf અને વૃત્તિમાં ચારનો ઉલ્લેખ છે. ઈશ્વરદત્ત પુત્રનો ઉલ્લેખ નથી)
જીવાનંદ વૈદ્ય વૈદ્યક શાસ્ત્રમાં નિષ્ણાત હતા. એક વખત કૃમિકુષ્ઠની ભયંકર વ્યાધિથી પીડાતા મુનિને જોયા. જીવાનંદ વૈદ્યને તેની ચિકિત્સા તો આવડતી હતી પણ તેની પાસે ફક્ત લક્ષપાક તેલ હતું. ચિકિત્સા માટે રત્નકંબલ અને ગોશીષચંદનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org