SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પર ૧. ભ ઋષભ કથાનક ૦ આગમ સંદર્ભ - કથાનકનો મુખ્ય સ્રોત જંબૂ. ૪૧ થી ૪૬; આવ ચૂ. ૧–પૃ. ૧૩૧ થી ૧૮૨; - તીર્થંકર સંબંધિ વિવિધ બોલ આવ.નિ. ૨૦૮ થી ૩૮૭ મધ્યે; આગમ કથાનુયોગ-૧ આવનિ. ૧૭૦ થી ૧૯૭; ૨૦૪ થી ૨૨૮ + રૃ. ૧૯૫. સમ. ૨૬૩ થી ૩૦૯ મધ્યે, આવ ચૂ.૧--પૃ. ઉપર મુજબ - ૦ ચ્યવન : જંબુદ્વીપમાં આ અવસર્પિણીમાં ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ થયા. જે પૂર્વભવમાં વ્રજનાભ નામે ચક્રવર્તી રાજા હતા. પછી વજ્રનાભ રાજાએ દીક્ષા લીધી. તીર્થંકર નામ ગોત્ર કર્મ બાંધ્યુ. મૃત્યુ પામીને સર્વાર્થસિદ્ધ વિમાને ગયા. ત્યાંથી વિનીતાનગરીમાં નાભિ કુલકરની પત્ની મરૂદેવાની કુક્ષિમાં પુત્રરૂપે ગર્ભપણે ઉત્પન્ન થયા. ૦ કલ્યાણક નક્ષત્ર :- તે કાળ અને તે સમયે કૌશલિક (કૌશલ – અયોધ્યા દેશમાં જન્મેલા) અદ્ભુત ઋષભના ચાર કલ્યાણક ઉત્તરાષાઢા નક્ષત્રમાં થયા અને પાંચમું કલ્યાણક અભિજિત્ નક્ષત્રમાં થયું. - કૌશલિક અર્હત્ ઋષભદેવના જીવનની પાંચ ઘટના ઉત્તરાષાઢા નક્ષત્રમાં અને છઠ્ઠી અભિજિતૂ નક્ષત્રમાં બની. Jain Education International ૧. ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચ્યવ્યા અને ચ્યવીને ગર્ભમાં આવ્યા. ૨. ઉત્તરાષાઢા નક્ષત્રમાં ઋષભદેવનો જન્મ થયો, ૩. ઉત્તરાષાઢા નક્ષત્રમાં મુંડિત થઈ, ગૃહવાસનો ત્યાગ કરી દીક્ષા લીધી. (ઉત્તરાષાઢા નક્ષત્રમાં રાજ્યાભિષેક થયો), ૪. ઉત્તરાષાઢા નક્ષત્રમાં અનંત, અનુતર, અવ્યાબાધ, નિરાવરણ, સમગ્ર, પ્રતિપૂર્ણ શ્રેષ્ઠ કેવળજ્ઞાન–કેવળદર્શન ઉત્પન્ન થયા અને ૫. અભિજિત્ નક્ષત્રમાં નિર્વાણ પામ્યા અર્થાત્ મોક્ષે ગયા. ચ્યવન કલ્યાણક :- તે કાળ અને તે સમયે કૌશલિક અર્હત્ ઋષભદેવ જે તે ગ્રીષ્મકાળનો ચોથો મહિનો, સાતમો પક્ષ એટલે કે અષાઢ માસના કૃષ્ણ પખવાડીયા (અષાઢ વદ) ચોથના દિવસે (ગુજરાતી જેઠ વદ ચોથે) સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય વગેરે પૂર્ણ કરીને આંતરા વિના ચ્યવન કરીને આ જ જંબુદ્વીપ નામક દ્વીપમાં ભરતક્ષેત્રની ઇક્ષ્વાકુ નામક ભૂમિમાં નાભિ કુલકરની મરૂદેવા નામની પત્નીની કુક્ષિમાં, મધ્યરાત્રિએ દેવસંબંધિ આહારનો, દેવના ભવનો, દિવ્ય શરીરનો ત્યાગ કરીને, ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ગર્ભરૂપે ઉત્પન્ન થયા. ૦ ઋષભદેવના પૂર્વભવ ઃ- આ ઋષભ કોણ હતા ? ભગવંત શ્રી ઋષભદેવના જીવને સર્વપ્રથમ ધન્ય સાર્થવાહના ભવમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું તે વખતે તેઓ મિથ્યાત્વથી મુક્ત થયા. તેરમે ભવે તે આ ભરતક્ષેત્રની વર્તમાન અવસર્પિણીના ચોવીસ તીર્થંકરોમાં પ્રથમ તીર્થંકર થયા. (૧) ધન્ય સાર્થવાહ :- ભગવંત ઋષભદેવનો જીવ તે કાળે અને તે સમયે અવરવિદેહમાં ધન્ય નામનો સાર્થવાહ હતો. તેની પાસે વિપુલ સંપત્તિ હતી. તે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરીથી વસંતપુર વ્યાપાર અર્થે જવાનો હતો. તેણે એવી ઉદઘોષણા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy