________________
તીર્થકર ચરિત્ર
-
-
-
'અધ્યયન-૧
(Jતીર્થકર ચરિત્ર
-- તીર્થકર ચરિત્ર પૂર્વે “ભૂમિકા” અંતર્ગત કુલકર વિષયક વિસ્તૃત વર્ણન કર્યું કેમકે ભગવંત ઋષભને પંદરમાં કુલકર કહ્યા છે.
–૦- દષ્ટિવાદમાં આવતા ગંડિકાનુયોગમાં તીર્થકર ગંડિકામાં તીર્થકરોના ચરિત્રો ઉપલબ્ધ હતા, પણ કાળક્રમે દષ્ટિવાદ વિચ્છેદ પાડું, ઉપલબ્ધ આગમોનું સાહિત્ય પણ ઘણું જ અલ્પ પ્રમાણમાં રહ્યું છે.
- - હાલ મુળ આગમોમાં કંઈક વિસ્તારથી કહી શકાય તેવા તીર્થંકર ચરિત્રોમાં વર્તમાન ચોવીસીના માત્ર ત્રણ તીર્થકરના કથાનક ઉપલબ્ધ છે. ૧. ઋષભ, ૨. મલિ અને ૩. મહાવીર. આગામી ચોવીસીના પ્રથમ તીર્થંકર મહાપવનું કથાનક કંઈક વિસ્તારથી મળે છે.
– નેમિનાથ અને પાશ્વનાથનું કિંચિત્ કથાનક કલ્પસૂત્રમાં મળે છે. - અન્ય તીર્થકરોની તો વિવિધ માહિતી માત્ર “બોલસંગ્રહ” રૂપે છે.
–૦- ઉત્તરાધ્યયન ભાવવિજય કૃત્ વૃત્તિને આધારે શાંતિ-કુંથુ-અર એ ત્રણ કથાનકો ચક્રવર્તી કથાનકોમાં પ્રાપ્ત થાય છે.
-૦- નેમિ અને પાર્થ વિષયક થોડો વિસ્તાર કલ્પસૂત્રવૃત્તિમાં મળે છે.
–૦- આવશ્યક સૂત્રની નિર્યુક્તિ, ચૂર્ણિ અને વૃત્તિમાં તીર્થકરો સંબંધિ ઘણી જ માહિતી ઉપલબ્ધ છે. કથાનકોમાં તો ઉક્ત તીર્થકરના ચરિત્રોથી વિશેષ અન્ય કોઈ તીર્થકર વિષયક વિશેષ કથાનક જોવા મળેલ નથી.
ગ્રંથોમાં ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર, ચઉuન મહાપુરુષ ચરિયું કે તીર્થંકર પરમાત્માના સ્વતંત્ર ચરિત્રોમાં જરૂર ચોવીસે તીર્થંકરની કથા મળે)
જો કે પૂર્વભવના નામ, કલ્યાણક નક્ષત્ર, પરિવાર સંખ્યા આદિમાં આગમ અને કથાગ્રંથોમાં અનેક સ્થાને તફાવત જોવા મળેલ છે. અમારું ક્ષેત્ર “આગમ" હોવાથી અમે આગમને જ પ્રાધાન્ય આપેલ છે.)
-૦- અહીં વર્તમાન ચોવીસીના તીર્થંકરના ક્રમમાં જ અમે કથાનક રજૂ કર્યા છે, તેમાં જે વર્ણનાત્મક કથા મળે છે તે વર્ણન રૂપે અને બોલસંગ્રહ રૂપ માહિતી પેરેગ્રાફ રૂપે રજૂ કરેલ છે.
છે જે
૪
થrm grૉ ર ા,
– મુનિ દીપરત્નસાગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org