________________
આગમ કથાનુયોગ-૧
સુવર્ણ, અશોકાદિ પુષ્પસમૂહ, મણિરત્નોના કિરણો ઇત્યાદિ પોતપોતાના વર્ણ અને આભાથી તેજસ્વી લાગે છે તે જ રીતે આ વૃક્ષ અનેક વિસ્રસા પરિણામથી પ્રકાશવિધિ યુક્ત હતા. તે સુખકારી અને મંદ છતાં તેજસ્વી પ્રકાશ આપતા હતા. તેનો આતાપ તીવ્ર ન હતો. પર્વત જેવા આ સ્થિર વૃક્ષો આસપાસના સર્વ પ્રદેશને તથા ત્યાં રહેલા સઘળા પદાર્થોને પ્રકાશિત કરતા હતા.
૬. ચિત્રાંગ :- આ વૃક્ષો, ફૂલ, માળા વગેરે આપતા હતા. જેમાં કોઈ પ્રેક્ષાગૃહ વિવિધ રંગી, રમ્ય, શ્રેષ્ઠપુષ્પોની માળાથી સજાવેલ હોય, વિકસિત, પ્રકાશિત, વિખરાયેલા પુષ્પગુંજોથી સુંદર અને વિવિધ પ્રકારની ગુંથાયેલી માળાથી શોભાયમાન હોય, કુશળ માલાકાર દ્વારા તૈયાર થયેલ માળાઓ વડે જેનું સૌદર્ય વધી ગયું હોય, પંચવર્ણી પુષ્પમાળા સ્થાને સ્થાને લટકતી હોય, અગ્રભાગે લટકાવેલી વનમાળાથી જે દીપ્તિમાન લાગતું હોય એવા પ્રેક્ષાગૃહ સમાન તે ચિત્રાંગ વૃક્ષો અનેકવિધ વિસસા પરિણામવાળી માલ્યવિધિથી યુક્ત હતા.
૭. ચિત્રરસાંગ :- આ વૃક્ષો પરમાન્ન-ખાદ્ય પદાર્થો આપતા હતા. જે રીતે સુગંધી અને શ્રેષ્ઠ જાતિના ચોખા અને વિશિષ્ટ કક્ષાની ગાયના શુદ્ધ દૂધથી પકાવેલ, શરદઋતુના ઘી, ગોળ, સાકર આદિ ભેળવેલ અતિ સ્વાદિષ્ટ અને ઉત્તમ વર્ણ તથા ગંધયુક્ત દૂધપાક–ખીર તૈયાર કરાય છે. જે રીતે ચક્રવર્તીના કુશળ રસોઈયા દ્વારા તૈયાર થયેલ ઉત્તમ જાતિના ચોખા કે જેમાં અનેક મેવા-મસાલા આદિ નાંખીને સુગંધિત દ્રવ્યોથી જે સંસ્કારિત કરાયેલ હોય – કે જે શ્રેષ્ઠ વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી યુક્ત થઈ બળ-વીર્ય રૂપે પરિણત થતા હોય, ઇન્દ્રિયોની શક્તિ વધારતા હોય, ભૂખ-તરસ શાંત કરતા હોય ઇત્યાદિ ગુણયુક્ત અને અતિ પ્રિયકારી દ્રવ્યયુક્ત હોય એવા પરમ આનંદદાયક તે પરમાન્ન-ખીર સદશ આ કલ્પવૃક્ષ હોય છે કે જેમાં આ સામગ્રી વિઢસા પરિણામથી પરિણત થાય છે.
૮. મયંગ :- આ વૃક્ષો આભૂષણ આપતા હતા. જે રીતે હાર, મુગટ, કુંડલ, મુદ્રિકા, બાજુબંધ, કંદોરો આદિ આભૂષણ હોય, વળી તે સૂર્ય, વૃષભ, ચક્રમાળા આદિ આકારવાળા હોય, સોના, મણિ, રત્ન આદિની રચનાવાળા અને અતિ સુંદર હોય તે જ રીતે આ મર્યાગવૃક્ષો વિઐસા પરિણામથી આભૂષણ વિધિથી યુક્ત હતા.
૯. ગેહાકાર :- આ વૃક્ષો રહેઠાણ–નિવાસસ્થાન આપતા હતા. જે રીતે પ્રાસાદ, અટ્ટાલિકા, હાર, ગોખ, મંડપ, ગર્ભગૃહ, મોહનગૃહ, ચિત્રશાળા આદિથી સજ્જ એવા ઘર હોય, ગોળ, ચોરસ, નંદાવર્ત આદિ આકારવાળા હોય, વિવિધ પ્રકારના ભવનો હોય, અનેકવિધ સગવડો યુક્ત ઘર હોય તેવી જ રીતે આ ગેહાકાર વૃક્ષો પણ વિવિધ પ્રકારના અતિ સ્વાભાવિક પરિણામોથી પરિણત ભવન અને ગૃહોથી યુક્ત હતા. તે ભવનોમાં સુખે કરી ચઢી–ઉતરી શકાતું. તેના પગથીયા પણ નજીક-નજીક અને વિશાળ હતાં. તેમાં સુખે કરી આવ-જા થઈ શકતી હતી. મનને અતિ પ્રિય લાગે તેવા હતા.
૧૦. અનગ્ન :- આ વૃક્ષો વસ્ત્ર આપતા હતા. જે રીતે વિવિધ પ્રકારના ચર્મવસ્ત્ર, કપાસ કે ઉનના વસ્ત્ર, મૂલાયમ વસ્ત્ર, રેશમી વસ્ત્ર આદિ હોય. આ વસ્ત્રો રંગબેરંગી તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org