________________
૪૪
આગમ કથાનુયોગ-૧
તે કાળમાં “હાકાર' દંડનીતિથી શાસિત થયેલ યુગલ લજ્જા પામી, વિશેષ લજ્જિત થઈ, કંપિત અને ભયભીત થઈ ચૂપ થઈ જતા તથા વિનય વડે નીચું મોઢું કરી ઊભા રહી જતા હતા.
૨. મક્કાર દંડનીતિ :- જે કોઈ વ્યક્તિ નીતિનું ઉલ્લંઘન કરે તે દોષી યુગલને મત કરો – “આવું કરો નહીં” એવી નિષેધાત્મક આજ્ઞા કરાતી. તે “મા-કાર" શબ્દ જ મોટો દંડ ગાતો હતો, જે તે યુગલને આઘાત સમાન લાગતો હતો. આટલા દંડથી તે યુગલ લજ્જિત, વિશેષરૂપે લજ્જિત થઈ કાંપતા-ભયભીત થતા અને વિનયપૂર્વક મૌન ધારણ કરી નીચે મોઢે ઊભા રહી જતા હતા.
૩. ધિક્કાર દંડનીતિ :- જે કોઈ વ્યક્તિ નીતિનું ઉલ્લંઘન કરે તે દોષી યુગલને (હા! તમે આ શું કર્યું?, આવું નહીં કરવું જોઈએ એમ હા-કાર અને મા-કાર બંને દંડ ને ન ગણકારે ત્યારે તેને) ધિક્કાર નીતિથી દંડ કરાતો “ધિક્કાર છે કે તમે આવું કાર્ય કર્યું” આવા તિરસ્કાર સૂચક શબ્દો સાંભળીને તેઓ મૃત્યુદંડ કરતાં પણ વિશેષ પોતાની જાતને દંડિત સમજતા. આટલા દંડથી તે યુગલ લજ્જિત થઈ યાવત્ નીચે મુખે ઊભા રહી જતા.
તે સમયની પ્રજા સ્વભાવથી સરળ, માનસથી કોમળ, સ્વયં શાસિત અને મર્યાદા પ્રિય હોવાથી આ દંડનીતિ વડે શાસન ચાલતું હતું. નાભિ કુલકર સુધી આ ત્રણે દંડનીતિઓ ચાલી. (ઋષભ કુલકરના આરંભ કાળ પર્યન્ત આ દંડનીતિ ચાલી) પછી વધારે પડતો કાળ આવ્યો. યુગલોના કષાયો વધવા લાગ્યા તેઓ ત્રણે દંડનીતિઓનું ઉલ્લંઘન કરવા લાગ્યા.
૪. પરિભાષણ :- અપરાધીને ઠપકો આપવો. નીતિનો ભંગ કરનારને ક્રોધઆવેશપૂર્વક ઉપાલંભ આપવો.
૫. મંડલબંધ :- નીતિભંગ કરનાર અપરાધીને ક્ષેત્ર મર્યાદાની બહાર ન જવાની આજ્ઞા આપવી.
૬. ચારક :- નીતિનો ભંગ કરનારને કૈદમાં નાંખવો, બંધનમાં બાંધવો.
૭. છવિચ્છેદ :- અપરાધી વ્યક્તિના હાથ–પગ નાસિકા આદિનો છેદ કરીને તેને દંડ આપવો તે.
આ છેલ્લી ચાર દંડનીતિનો અમલ ભરત ચક્રવર્તીના કાળમાં શરૂ થયેલો, કેટલાંક કહે છે કે, કુલકરકાળના અંતે ઋષભદેવના શાસનમાં પરિભાષણ અને મંડલબંધ નીતિનો આરંભ થયો અને ચારક તથા છવિચ્છેદ દંડનીતિનો આરંભ ભરત ચક્રીના કાળે થયો.
કુલકર કાળે કલ્પવૃક્ષ :- વિમલવાહન કુલકરના કાળમાં સાત પ્રકારના વૃક્ષો ઉપભોગમાં આવતા હતા... નાભિ કુલકરના કાળમાં કલ્પવૃક્ષો પ્રાયઃ નષ્ટ થઈ રહ્યા હતા. આવો ઇતિહાસ પહેલાથી છેલ્લા કુલકર સુધીનો કહ્યો. આ કલ્પવૃક્ષોની સંખ્યા સ્થાનાંગ, સમવાયાંગ, જીવાજીવાભિગમ, જંબૂતીપપ્રજ્ઞપ્તિ આદિમાં દશની બતાવેલી છે.
યુગલિક યુગમાં મનુષ્યોની ઈચ્છા અલ્પ હતી. તેમના ભૂખ, તરસ, વસ્ત્ર, પાત્ર, મકાન આદિની આવશ્યકતા કલ્પવૃક્ષોથી થતી હતી. આ પ્રત્યેક વૃક્ષની પોતપોતાની ફળ દેવાની વિભિન્ન શક્તિ હતી. “કોઈપણ કલ્પવૃક્ષ કંઈપણ માંગો તો આપે” – એ માન્યતા ભ્રામક છે. દશે કલ્પવૃક્ષ અલગ-અલગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org