________________
४०
આગમ કથાનુયોગ-૧
૧. સુમતિ :– ભરતક્ષેત્રની આ અવસર્પિણીમાં પંદર કુલકરમાંના પ્રથમ કુલકર હતા. તેના શાસનમાં હક્કાર દંડનીતિ હતી.
સર્વપ્રથમ મનુષ્યોએ અનંત આકાશમાં જ્યારે ચંદ્ર અને સૂર્યને જોયા ત્યારે ભયથી કંપી ઉઠયા. તેઓ વિચારવા લાગ્યા કે આપત્તિઓની ઘનઘોર ઘટા છવાવાની છે. તે ભયભીત માનવોને પ્રથમ કુલકરે આશ્વાસન આપી સમજાવ્યું કે આ સૂર્ય-ચંદ્ર નવા નથી ઉગ્યા પણ તે તો રોજેરોજ ઉગે છે અને આથમે છે. પરંતુ તેજાંગ જાતિના અત્યંત પ્રકાશપૂર્ણ કલ્પવૃક્ષોને કારણે આપણે તેને જોઈ શકતા ન હતા. હવે તે જાંગ કલ્પવૃક્ષનો દિવ્ય પ્રકાશ મંદ થઈ રહ્યો છે તેથી આપણને સૂર્ય-ચંદ્ર દેખાઈ રહ્યા છે, તેથી ભયભીત થવાની આવશ્યકતા નથી. જન માનસનો ભય નષ્ટ કરવાથી તે કુલકર કહેવાયા.
(તિલોયાન્નત્તિમાં અહીં પ્રતિકૃત કુલકરનું નામ જણાવેલ છે.) - ૨. પ્રતિકૃતિ :- ભરતક્ષેત્રની વર્તમાન અવસર્પિણીના બીજા કુલકર હતા. તેના શાસનમાં હક્કાર દેડ નીતિ હતી,
પહેલા કુલકરના અવસાન પછી તેજાંગ નામક કલ્પવૃક્ષ સંપૂર્ણ નાશ પામ્યા. જેનાથી ગહેરો અંધકાર છવાઈ ગયો. અંધકાર થવાથી આકાશમાં અસંખ્ય તારા ઝગમગવા લાગ્યા. લોકોએ પ્રથમ વખત તારાઓ જોયા. તેમનું હૃદય ભયથી આશંકિત થઈ ગયું. બીજા કુલકરે લોકોને સમજાવ્યું કે તેજાંગ કલ્પવૃક્ષના નાશ થવાથી રાત્રિના અંધકારમાં તારાનો પ્રકાશ દેખાઈ રહ્યો છે, તારામંડલ તો આ પહેલાં પણ હતું જ. લોકોને આ વાત સમજાવાથી તેઓ ભયમુક્ત બન્યા અને તે બીજા કુલકર તરીકે ઓળખાયા.
(તિલોયાન્નત્તિમાં અહીં સુમતિ/સમ્પત્તિ કુલકરનું નામ આવે છે.)
૩. સીમંકર :- ભરતક્ષેત્રની વર્તમાન અવસર્પિણીમાં પંદર કુલકરમાંના ત્રીજા કુલકર થયા. તેના શાસનમાં હક્કાર દંડનીતિ હતી.
સીમંકર કુલકરના સમયમાં કલ્પવૃક્ષોની ફળ દેવાની માત્રા ઘટવા લાગી, જેનાથી બધાં મનુષ્યોની આવશ્યકતા પૂર્ણ થતી ન હતી. તેઓ એકબીજાના વૃક્ષો પરત્વે પોતાનો માલિકી ભાવ સ્થાપવાનો પ્રયાસ કરવા લાગ્યા. સીમંકરે કહ્યું કે આ રીતે સંઘર્ષ કરવાથી સમાધાન નહીં થાય. તમે સીમા-મર્યાદા નિર્ધારણ કરો, સીમા નિર્ધારણ કરવાથી સંઘર્ષ શાંત થયો અને તે કુલકર કહેવાયા.
(તિલોયાન્નત્તિમાં સીમંકરને પાંચમાં કુલકર તરીકે જણાવેલ છે.)
૪. સીમંધર :- ભરતક્ષેત્રની વર્તમાન અવસર્પિણીના પંદર કુલકરમાંના ચોથા કુલકર થયા. તેના શાસનમાં હક્કાર દંડનીતિ હતી
જ્યારે કલ્પવૃક્ષની માલિકીના સંદર્ભમાં પરસ્પર સંઘર્ષ થવા લાગ્યો ત્યારે વૃક્ષો ઉપર નિશાની કરી સંઘર્ષનો અંત લાવવાથી તે કુલકર કહેવાયા.
(તિલોયાન્નત્તિમાં સીમંધરને છઠા કુલકર કહ્યા છે. તેમના મતે હક્કાર અને મક્કાર બંને દંડનીતિ તેમના શાસનમાં હતી.)
૫. ક્ષેમંકર :- જંગલોમાં પહેલાં પણ વાઘ વગેરે પશુ હતા, પણ તેઓ સ્વભાવે સૌમ્ય હતા. કાળક્રમે આ પશુઓમાં ક્રૂરતા પ્રવેશી, તેઓ મનુષ્યોને સંતાપવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org