________________
૩૪
આગમ કથાનુયોગ-૧
'ખંડ૧ ઉત્તમ પુરુષ ચરિત્ર
-: અધ્યયન-૧-તીર્થકર ચરિત્ર :ભૂમિકા-તીર્થકર
તીર્થકર એટલે જે તીર્થની સ્થાપના કરે છે. સાધુ, સાધ્વી, શ્રાવકશ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની અથવા પ્રથમ ગણધરની સ્થાપના કરનારને તીર્થકર કહે છે. આચાર, સૂત્રકૃતુ આદિ બાર અંગરૂપ પ્રવચનની તેઓ દેશના આપે છે. આ અર્થસભર દેશનાને ગણધરો (તીર્થકરના મુખ્ય શિષ્યો) સૂત્રરૂપે ગુંથે છે. તીર્થકરની વાણીની એક વિશેષતા હોય છે કે તે પ્રત્યેક સાંભળનાર પ્રાણી તે દેશનાને પોત-પોતાની ભાષામાં સમજી શકે છે કેમકે પ્રવચન સાંભળનાર પ્રાણીની જે ભાષા હોય તે ભાષામાં આપો આપ જ તીર્થકર ભગવંતોની વાણી પરાવર્તન પામે છે.
જે ઉત્તમ મનુષ્યો પૂર્વના મનુષ્યભવે તીર્થકર નામકર્મનું ઉપાર્જન કરીને આવેલા હોય તે તીર્થકર બને છે. તેઓ હંમેશાં ઉત્તમ કૂળોમાં જ જન્મે છે. તેમના જાતિ અને વંશ ઉત્તમ જ હોય છે. તેઓ કદાપી અંત્ય, પ્રાંત, અઘમ, તુચ્છ, દરિદ્ર, કૃપણ, ભિક્ષુ આદિ કુળમાં જન્મતા નથી. તેઓ માતાના ગર્ભમાં આવે ત્યારે હંમેશા તેઓની માતા ચૌદ મહાનું સ્વપ્નોને જુએ છે. તેઓને જન્મથી જ મતિ, કૃત, અવધિ એ ત્રણ જ્ઞાન હોય છે અને જ્યારે દીક્ષા લે ત્યારે મન:પર્યવ નામનું ચોથું જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેઓ સ્વયંભુદ્ધ હોય છે અર્થાત્ આપમેળે જ બોધ પામનારા હોય છે. તેઓ તેમના દેખાવ, રૂપ, બુદ્ધિ, શક્તિ, જ્ઞાન આદિ સર્વ બાબતોમાં ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ આદિથી ચઢીયાતા હોય છે. તેઓ ચોત્રીશ અતિશયોથી યુક્ત હોય છે.
તીર્થકરોના જીવનની પાંચ ઘટના અતિ મહત્ત્વની છે. ચ્યવન–માતાના ગર્ભમાં આવવું, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન પ્રાપ્તિ અને નિર્વાણ આ પાંચ ઘટનાને કલ્યાણક શબ્દથી ઓળખવામાં આવે છે. આ પાંચે કલ્યાણકોની ઉજ્વણી ઇન્દ્ર આદિ દેવો આપણી આ પૃથ્વી ઉપર આવી કરે છે. તેઓ પરમાત્માની સ્તુતિ
સ્તવના આદિ કરે છે. પરમાત્માને કેવળજ્ઞાન થયા પછી દેવો સમવસરણની રચના કરે છે. પુષ્પવૃષ્ટિ ઇત્યાદિ અનેકવિધ પ્રવૃત્તિ કરે છે, જે તીર્થકર પરમાત્માના અતિશયોને આભારી હોય છે. તીર્થકરોને આદિકર, અરહંત, બુદ્ધ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org