________________
૩૪૦
આગમ કથાનુયોગ-૧
પરીષહ સેનાથી પીડિત હોવા છતાં કઠોરતમ કષ્ટોનો સામનો કરતા મેરૂ પર્વતની માફક ધ્યાનમાં નિશ્ચલ રહીને મોક્ષ પથમાં પરાક્રમ કરતા હતા.
(૧૪) મતિમાનું માહણ ભગવંત મહાવીરે નિદાન કર્મથી રહિત (અપ્રતિજ્ઞ) થઈને આ વિધિનું અનકેવાર આચરણ કર્યું. તેમ હું કહું છું. ૦ ભગવંતનું ચિકિત્સા વર્જન :
(૧) ભગવંત રોગથી આક્રાન્ત ન થવા છતાં ઉણોદરી તપ કરવામાં સમર્થ હતા. રોગ હોય કે ન હોય તો પણ ઔષધિસેવન આદિ ચિકિત્સામાં રુચિ રાખતા ન હતા.
(૨) શરીરને આત્માથી ભિન્ન સમજીને, ભગવંત રોગની શાંતિ માટે વિરેચન, વમન, મર્દન, સ્નાન, ચંપી વગેરે પરિકર્મનું સેવન કરતા ન હતા. દંત પ્રક્ષાલન પણ કરતા. ન હતા.
(૩) ભગવંત ઇન્દ્રિય ધર્મો – વિષયોથી વિરક્ત રહેતા હતા. અલ્પભાષી હતા. કોઈ કોઈ વખત શીતકાળમાં પણ છાયામાં ઊભા રહી ધ્યાન ધરતા હતા. ૦ ભગવંતની આહાર ચર્યા :
(૧) ભગવંત ગ્રીષ્મ ઋતુમાં આતાપના લેતા હતા. ઉલૂક આસને સૂર્યની સામે બેસતા. પ્રાયઃ રૂક્ષ આહાર જેવો કે ક્રોદ્રવ, બોરનું ચૂર્ણ તથા અડદ વગેરેથી પોતાના શરીરનો નિર્વાહ કરતા હતા.
(૨) ભગવંતે ઉક્ત ત્રણ વસ્તુનું સેવન કરીને આઠ માસ સુધી જીવનનિર્વાહ કરેલો. ક્યારેક ક્યારેક ભગવંતે અડધા મહિના કે મહિના સુધી પાણી પણ પીધું નહીં.
(૩) ભગવંત ક્યારેક ક્યારેક બે માસથી પણ વધુ સમય માટે, ક્યારેક છ માસ સુધી પાણી પણ પીધુ ન હતું. રાતભર જાગતા રહેતા. પણ તેમના મનમાં નિદ્રા લેવાનો વિચાર પણ આવતો ન હતો. ક્યારેક પર્ટુષિત ભોજનથી પણ ચલાવતા.
(૪) ભગવંત કક્યારેક બે દિવસના અંતરે, કયારેક ત્રણ દિવસના, ક્યારેક ચાર દિવસના તો ક્યારેક પાંચ દિવસના અંતર પછી પણ આહાર કરતા હતા. આહાર પ્રતિ પ્રતિજ્ઞારહિત થઈને સમાધિમાં લીન રહેતા હતા.
(૫) તે ભગવંત મહાવીર (દોષોને) જાણીને સ્વયં પાપ કરતા નહીં, બીજા પાસે કરાવતા નહીં અને પાપકર્મ કરવાવાળાની અનુમોદના પણ કરતા ન હતા.
(૬) ગામ કે નગરમાં પ્રવેશીને બીજા માટે બનાવાયેલ આહારની એષણા કરતા હતા. સુવિશુદ્ધ આહાર ગ્રહણ કરીને ભગવંત આયતયોગપૂર્વક તેનું સેવન કરતા હતા.
(૭) ભિક્ષાટનના સમયે ભગવંત નીકળે ત્યારે રસ્તામાં ભૂખથી પીડિત કાગડા તથા પાણી પીવાને આતુર અન્ય પ્રાણીઓને એકત્રિત થયેલા જુએ ત્યારે તથા –
(૮) અથવા બ્રાહ્મણ, શ્રમણ, ગામના ભિખારી કે અતિથિ, ચાંડાલ, બિલાડી કે કુતરાઓને માર્ગમાં બેઠેલા જુએ ત્યારે
(૯) તેઓની આજીવિકામાં બધા ન પહોંચે, તેમના મનમાં અપ્રીતિ ઉત્પન્ન ન થાય, તેનું ધ્યાન રાખીને ભગવંત ધીમે ધીમે ચાલતા હતા. કોઈને લેશમાત્ર ત્રાસ ન પહોંચે તે માટે હિંસા ન થાય તે રીતે આહારની ગવેષણા કરતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org